ઓવૈસીના સરકારી બંગલાની બારી તૂટેલી મળી, પોલીસે શરૂ કરી તપાસ

ઓલ ઈન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દી ઓવૈસીના દિલ્હી સ્થિત સરકારી બંગલામાં કથિત રીતે તોડફોડ થઈ છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ આ ઘટના રવિવારે એટલે કે 13 ઑગસ્ટની સાંજે થઈ છે. બંગલામાં ઉપસ્થિત કેર ટેકરે પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી. જ્યારે PCR ઘટનાસ્થળ પર પહોંચી તો બંગલાની બારીનો કાચ તૂટેલો હતો. ત્યારબાદ વિસ્તારના DCP અને SHO સહિત ઘણા મોટા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અશોકા રોડ પર બંગલા નંબર 34માં લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસી રહે છે. રવિવારે તેમને ત્યાં સર્વન્ટ ક્વાર્ટરમાં રહેનારા રોહિતે પોલીસને જણાવ્યું કે, સાંજે આચનક તેમનો કૂતરો જોર જોરથી ભસવા લાગ્યો હતો. જ્યારે રોહિતે સર્વન્ટ ક્વાર્ટરથી બહાર નીકળીને જોયું તો કોઈએ કથિત રૂપે બંગલાની બારીનો કાંચ તોડી દીધો હતો. રોહિતના જણાવ્યા મુજબ, તેણે ઘણા સમય સુધી આસપાસ જઇને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ખબર ન પડી શકી કે કાંચ કેવી રીતે તૂટ્યો છે?

પોલીસે પણ ઘટનાસ્થળ પર જઈને તપાસ કરી છે. DCP નવી દિલ્હીના જણાવ્યા મુજબ, અત્યારે ઘટનાની તપાસ ચાલી રહી છે. દિલ્હીમાં અસદુદ્દીન ઓવૈસીના સરકારી બંગલા પર આ પહેલી વખત થયું નથી. આ જ વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ પણ અહી કથિત રૂપે અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જાણકારી મળતા જ દિલ્હી પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને કેસ નોંધ્યો હતો. ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસીના અશોકા રોડ સ્થિત આવાસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો. આ સંબંધમાં અસદુદ્દીન ઓવૈસીએ ફરિયાદ નોંધાવી છે.

અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી પોલીસને ટેગ કરતા ટ્વીટ પણ કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, મારા દિલ્હી આવાસ પર ફરીથી હુમલો થયો છે. વર્ષ 2014 બાદ આ ચોથી ઘટના છે. આજે રાત્રે હું જયપુરથી ફર્યો અને મારા ઘરેલુ સહાયકે જણાવ્યું કે બદમાશોના એક ટોળાએ પથ્થરમારો કર્યો, જેથી બારીઓ તૂટી ગઈ. આ ચિંતાજનક છે કે આ એક તથકથિત હાઇ સિક્યોરિટી ક્ષેત્રમાં થયું છે. મેં દિલ્હી પોલીસને ફરિયાદ કરી દીધી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.