બેંગ્લોરમાં નહીં બને કોઈ વ્યક્તિનો પડછાયો, જાણો કેમ થશે આ રસપ્રદ ઘટન

સૌરમંડળમાં મોટા ભાગે કંઈક ને કંઈક ચોંકાવનારી ઘટનાઓ થતી રહે છે. એવી જ એક અનોખી ઘટના 25 એપ્રિલના રોજ બંગ્લોરમાં થવાની છે. આ દિવસે બેંગ્લોરમાં થોડી ક્ષણ માટે પડછાયો પૂરી રીતે ગાયબ થઈ જશે. સાંભળવામાં ભલે તે હેરાન કરનારી વાત લાગે, પરંતુ એમ થવું નક્કી છે. આ ઘટના બપોરે સવા બાર (12:15) વાગ્યે થશે. તેને ઝીરો શેડો ડેનું નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ પોતાના કેમ્પસમાં આ અવસર પર એક ખાસ કાર્યક્રમ આયોજિત કરી રહી છે.તેને લઈને બેંગ્લોરના લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ ઇવેન્ટની તૈયાર કરતા તસવીરો ટ્વીટ કરી રહ્યા છે.

શું છે ઝીરો શેડો ડે?

એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, બપોરે સૂરજ કોઈ પણ ઓબ્જેક્ટનો પડછાયો નહીં બનાવે. એ સમયે તે એકદમ ચરમ સ્થિતિમાં હશે અને તેના કારણે આ ઘટના થશે. એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ આગળ કહ્યું કે, ઝીરો શેડો ડે ઉષ્ણકાંતિબંધીય (કર્ક રેખા અને મકર રેખા વચ્ચે)માં સ્થળો માટે વર્ષમાં 2 વખત થાય છે. આ ક્ષેત્રોમાં રહેનારા લોકો માટે સૂરજનો ઝુકાવ ઉત્તરાયણ અને દક્ષિણાયન બંને દરમિયાન અક્ષાંશ બાબર હશે.

આખરે કેમ થાય છે એવું?

એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, પૃથ્વીની ધૂર્ણન ધુરી સૂરજની ચારેય તરફ પરિક્રમા માટે 23.5 ડિગ્રી પર ઝૂકી છે. તેના કારણે જ અલગ-અલગ હવામાન આવે છે. તેનો અર્થ એ છે કે સૂરજ, દિવસના પોતાના ઉચ્ચ બિંદુ પર, ખગોળીય ભૂમધ્ય રેખાના 23.5 ડિગ્રી દક્ષિણમાં ભૂમધ્ય રેખા (ઉત્તરાયણ)ના 23.5 ડિગ્રી ઉત્તરમાં અને એક વર્ષમાં ફરીથી દક્ષિણાયન તરફ વધશે. આ રોટેશનના કરણે ઝીરો શેડો ડે ઉત્તર અને દક્ષિણાયન દરમિયાન થાય છે. એવામાં 23.5 ડિગ્રી ઉત્તર અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે રહેનારા લોકો માટે સૂરજનો ઝુકાવ 2 વખત તેમના અક્ષાંશ બરાબર હશે.

કેટલા સમય માટે હશે ઝીરો શેડો ડે?

આમ તો આ રોચક અને અનોખી ઘટના સેકન્ડના થોડા હિસ્સા માટે હશે, પરંતુ તેનો પ્રભાવ લગભગ એક દોઢ મિનિટ સુધી રહેશે. આ અગાઉ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં વર્ષ 2021માં ઝીરો શેડો ડે અનુભવાઈ ચૂક્યો છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.