કર્ણાટકમાં વોટિંગ દરમિયાન ત્રણ જગ્યા પર હિંસા, તોડ્યા EVM, જુઓ વીડિયો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વોટિંગ સવારે 7 વાગ્યાથી ચાલુ છે. અહીં 224 સીટો પર 2614 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. કર્ણાટકના તમામ જિલ્લાઓમાં પોલિંગ સ્ટેશન પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાનો વોટ આપવા માટે પહોંચી રહ્યા છે. 3 વાગ્યા સુધી 52.18% વોટ પડી ચુક્યા છે. કર્ણાટકમાં વોટિંગ દરમિયાન ત્રણ જગ્યાઓ પર હિંસક ઘટનાઓ થઈ છે. પોલીસે જણાવ્યું કે, વિજયપુરા જિલ્લાના બાસવાના બાગેવાડી તાલુકામાં લોકોએ કેટલાક EVM અને VVPAT મશીનોને તોડી નાંખ્યા. તેમણે પોલિંગ અધિકારીઓની ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું. અહીં અફવા ઉડી હતી કે, અધિકારી મશીનો બદલીને વોટિંગમાં ગડબડ કરી રહ્યા હતા.

બીજી ઘટના પદ્મનાભ વિધાનસભાના પપૈયા ગાર્ડન પોલિંગ બૂથમાં બની, જ્યાં કેટલાક યુવાનોએ લાકડી લઇને પોતાના વિરોધીઓ પર હુમલો કર્યો. આ હુમલામાં વોટ નાંખવા આવેલી કેટલીક મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઈ ગઈ. ત્રીજી ઘટના બલ્લારી જિલ્લાના સંજીવારાયાનાકોટેમાં બની, જ્યાં કોંગ્રેસ અને BJP કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ.

કર્ણાટકમાં વોટિંગને લઇને પૂર્વ વડાપ્રધાન અને JDS પ્રમુખ એચડી દેવગૌડાએ કહ્યું હતું કે, આ પહેલા એક નાનકડું ગામ હતું, જે હવે એક વિકસિત શહેર બની ચુક્યુ છે. અહીં બહુમુખી વિકાસ થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય, શિક્ષાની તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેનો શ્રેય અહીંના ધારાસભ્ય એચડી રેવન્નાને જાય છે.

વોટિંગ કર્યા બાદ ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, ઘરના મોટા લોકોએ યુવા સભ્યોની સાથે બેસવુ જોઈએ અને તેમને સલાહ આપવી જોઈએ કે મતદાન કરવું શા માટે મહત્ત્વપૂર્ણ છે. મારા માતા-પિતાએ પણ આ જ કર્યું હતું. મતદાનના દિવસે તેઓ એ સુનિશ્ચિત કરતા હતા કે વોટ આપ્યા વિના અમે ક્યાંય ના જઈએ. તેઓ એ પાક્કું કરી લેતા હતા કે અમે મતદાન કર્યું છે કે નહીં. હું તેને માટે સંપૂર્ણરીતે વડીલોને જવાબદાર માનુ છું.

કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈએ જણાવ્યું હતું કે, હું લોકોને લોકતંત્રની જીત અને રાજ્યના ભવિષ્ય માટે વોટ કરવાની અપીલ કરીશ. મને વિશ્વાસ છે કે અમે પૂર્ણ બહુમતની સરકાર બનાવીશું. કોંગ્રેસ ભ્રષ્ટાચારની વાત કરી રહી છે પરંતુ, તેમનો પોતાનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. તેમના ઘણા લોકો જામીન પર બહાર છે.

કર્ણાટકના પૂર્વ CM એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક નિર્વાચન ક્ષેત્રમાં તેમણે (BJP) કેટલું નિવેશ કર્યું છે. આ બધી વાતો બધા જ જાણે છે. માત્ર BJPને જ નહીં, હું દરેક પાર્ટીને દોષ આપીશ, દર વખતે આપણે નિષ્પક્ષ ચૂંટણી વિશે વાતો કરીએ છીએ પરંતુ, માત્ર કાગળોમાં તેની જાહેરાત કરવામાં આવે છે. હકીકત તેના કરતા અલગ છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.