મગજ ખાનારા અમીબાથી 15 વર્ષના યુવકનું મોત, નહાતી વખતે નાકના રસ્તે શરીરમાં પ્રવેશ

દૂષિત જળમાં જોવા મળતા એક પ્રકારની અમીબાના કારણે થનાર દુર્લભ બ્રેન ઇન્ફેક્શનથી કેરળના અલપ્પુઝા જિલ્લામાં એક કિશોરનું મોત થઈ ગયું. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે શુક્રવાર (7 જુલાઇના રોજ)એ આ જાણકારી આપી હતી. કેરળના અલપ્પુઝા જિલ્લાના પનાવલ્લીનો રહેવાસી 15 વર્ષીય કિશોર પ્રાઇમરી અમીબા મેનિંગોએન્સેફલાઇટિસ (PAM)થી સંક્રમિત હતો. મંત્રી વીણા જોર્જે કિશોરના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે રાજ્યમાં પહેલા આ દુર્લભ બીમારીના 5 કેસ સામે આવી ચૂક્યા છે.

પ્રાઇમરી અમીબા મેનિંગોએન્સેફ્લાઇટિસના શું છે લક્ષણ?

વિના જોર્જે તિરુવંતપુરમમાં મીડિયાને જણાવ્યું કે, પહેલો કેસ વર્ષ 2016માં સામે આવ્યો હતો. ત્યારબાદ ફરી વર્ષ 2019, વર્ષ 2020 અને વર્ષ 2022માં તેના કેસ સામે આવ્યા હતા. તાવ, માથાનો દુઃખાવો, ઉલ્ટી અને ખેંચ આવવી આ બીમારીના મુખ્ય લક્ષણ છે. વીણા જોર્જે કહ્યું કે, સંક્રમિત થયેલા બધા દર્દીઓના મોત થઈ ગયા.

ડૉક્ટરોએ શું કહ્યું?

ડૉક્ટરોએ કહ્યું કે, જ્યારે મુક્ત જીવિત, ગેર-પરોપજીવી અમીબા બેક્ટિરિયા નાકના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે તો વ્યક્તિનું મગજ સંક્રમિત થઈ જાય છે. આ એક ગંભીર બીમારી છે. તેને જોતા જિલ્લા સુરક્ષા અધિકારીઓએ લોકોને દૂષિત પાણીથી નાહતા બચવાની સલાહ આપી છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, અમીબા વર્ગના રોગજનક જે પરોપજીવી પ્રકૃતિના પાણી વિના સ્વતંત્ર રૂપે રહે છે, નાળા કે તળાવમાં સ્નાન કરવાથી નાકની પાતળી ત્વચાના માધ્યમથી માનવ શરીરમાં પ્રવેશે છે અને એન્સેફલાઇટિસનું કારણ બને છે જે મસ્તિષ્કને ગંભીર રૂપે પ્રભાવિત કરે છે. તેના મુખ્ય લક્ષણ, તાવ, માથાનો દુઃખાવો, ઉલ્ટી અને ખેંચ આવવા છે. પ્રાથમિક અમીબા મેનિંગોએન્સેફલાઇટિસ એક દુર્લભ મસ્તિષ્ક સંક્રમણ છે, જે નેગાલેરિયા ફાઉલેરીનું કારણ હાય છે. તે એક અમીબા છે (એકકોષિય જીવ જે સૂક્ષ્મદર્શી ન જોઈ શકાય તેવો નાનો).

દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી 1-2 અથવાડિયાની અંદર લક્ષણ શરૂ થઈ જાય છે. ક્યારેક ક્યારેક પહેલું લક્ષણ ગંધ કે સ્વાદમાં બદલાવ હોય છે. ત્યારબાદ લોકોને માથાનો દુઃખાવો, ખેંચ આવવી અને ઊલ્ટીનો અનુભવ થાઈ શકે છે. આ બીમારીની સારવાર એમ્ફોટેરિસિન B, એજિથ્રોમાઇસિન, ફ્લૂકોનાજોલ, રિફેમ્પિન, મિલ્ટેફોસિન અને ડેક્સામેથાસોન સહિત દવાઓથી કરી શકાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ દવાઓનો ઉપયોગ નેગલેરિયા ફાઉલેરી વિરુદ્ધ પ્રભાવી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.