કેરળનું પોતાનું 'ઓળખ કાર્ડ' હશે! CM પિનરાયી સરકારે નેટિવિટી કાર્ડ રજૂ કર્યું, BJP કોર્ટ જશે

કેરળ સરકારે રાજ્યમાં કાયમી નેટિવિટી કાર્ડ (રહેઠાણ પ્રમાણપત્ર) રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ કાર્ડમાં ધારકનો ફોટો પણ હશે. CM પિનરાયી વિજયને 24 ડિસેમ્બરે આ જાહેરાત કરી હતી. આ નવું કાર્ડ હાલના નેટિવિટી પ્રમાણપત્રની જગ્યા લેશે.

CM પિનરાઈએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, કોઈને પણ રાજ્યમાં તેમની ઓળખ, જન્મ અથવા લાંબા ગાળાના રહેઠાણનો પુરાવો વારંવાર આપવો ન પડે. તેમણે કહ્યું, 'એ અત્યંત ચિંતાજનક છે કે, લોકોને વારંવાર તેમની ઓળખ સાબિત કરવી પડે છે. કોઈને પણ બિનજરૂરી રીતે પરેશાન ન કરવું જોઈએ. આ માટે એક એવા કાનૂની દસ્તાવેજની જરૂર છે, જે કાયમી અને વિશ્વસનીય હોય.'

Kerala Nativity Card
hindi.moneycontrol.com

CM પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, હાલનું નેટિવિટી પ્રમાણપત્ર ફક્ત જન્મ અને રહેઠાણનો પુરાવો પૂરો પાડે છે, પરંતુ તેની કોઈ કાયમી કાનૂની માન્યતા નથી હોતી, અને વિવિધ હેતુઓ માટે વારંવાર નવા પ્રમાણપત્રો મેળવવાની જરૂર પડે છે. સરકારને લાંબા સમયથી આ સમસ્યા અંગે ફરિયાદો મળી રહી હતી, જેના કારણે કાયમી ઉકેલની જરૂર પડી હતી.

નવા પ્રસ્તાવ હેઠળ, આ નેટિવિટી કાર્ડ કાયદેસર રીતે માન્ય દસ્તાવેજ હશે અને તેનો ઉપયોગ રાજ્ય સરકારની યોજનાઓ માટે થઈ શકે છે. ભવિષ્યમાં લાભાર્થીઓને ઓળખવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

Kerala Nativity Card
bhaskar.com

CM પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ આ કાર્ડને કાયદેસર માન્યતા આપવા માટે કાયદા વિભાગ સાથે પરામર્શ કરીને કાયદાનો મુસદ્દો તૈયાર કરશે, જેને ત્યાર પછી મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કાર્ડ બહાર પાડવા માટે તહસીલદારો જવાબદાર રહેશે.

BJPએ કેરળ સરકારના આ પગલાનો સખત વિરોધ કર્યો છે, તેને 'ખતરનાક અલગતાવાદી રાજકારણ' ગણાવ્યું છે. BJPના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ આ નિર્ણયને કાયદેસર રીતે પડકારશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારનું પગલું કોઈપણ સંગઠન કે જાહેર માંગણીના જવાબમાં લેવામાં આવ્યું નથી.

Kerala Nativity Card
asianetnews.com

તેમણે એમ પણ કહ્યું હતું કે, CM પિનરાયી વિજયન જાણી જોઈને જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જાહેરાત તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક ગઠબંધનની હાર પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.