કેરળનું પોતાનું 'ઓળખ કાર્ડ' હશે! CM પિનરાયી સરકારે નેટિવિટી કાર્ડ રજૂ કર્યું, BJP કોર્ટ જશે

કેરળ સરકારે રાજ્યમાં કાયમી નેટિવિટી કાર્ડ (રહેઠાણ પ્રમાણપત્ર) રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ કાર્ડમાં ધારકનો ફોટો પણ હશે. CM પિનરાયી વિજયને 24 ડિસેમ્બરે આ જાહેરાત કરી હતી. આ નવું કાર્ડ હાલના નેટિવિટી પ્રમાણપત્રની જગ્યા લેશે.

CM પિનરાઈએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, કોઈને પણ રાજ્યમાં તેમની ઓળખ, જન્મ અથવા લાંબા ગાળાના રહેઠાણનો પુરાવો વારંવાર આપવો ન પડે. તેમણે કહ્યું, 'એ અત્યંત ચિંતાજનક છે કે, લોકોને વારંવાર તેમની ઓળખ સાબિત કરવી પડે છે. કોઈને પણ બિનજરૂરી રીતે પરેશાન ન કરવું જોઈએ. આ માટે એક એવા કાનૂની દસ્તાવેજની જરૂર છે, જે કાયમી અને વિશ્વસનીય હોય.'

Kerala Nativity Card
hindi.moneycontrol.com

CM પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, હાલનું નેટિવિટી પ્રમાણપત્ર ફક્ત જન્મ અને રહેઠાણનો પુરાવો પૂરો પાડે છે, પરંતુ તેની કોઈ કાયમી કાનૂની માન્યતા નથી હોતી, અને વિવિધ હેતુઓ માટે વારંવાર નવા પ્રમાણપત્રો મેળવવાની જરૂર પડે છે. સરકારને લાંબા સમયથી આ સમસ્યા અંગે ફરિયાદો મળી રહી હતી, જેના કારણે કાયમી ઉકેલની જરૂર પડી હતી.

નવા પ્રસ્તાવ હેઠળ, આ નેટિવિટી કાર્ડ કાયદેસર રીતે માન્ય દસ્તાવેજ હશે અને તેનો ઉપયોગ રાજ્ય સરકારની યોજનાઓ માટે થઈ શકે છે. ભવિષ્યમાં લાભાર્થીઓને ઓળખવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

Kerala Nativity Card
bhaskar.com

CM પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ આ કાર્ડને કાયદેસર માન્યતા આપવા માટે કાયદા વિભાગ સાથે પરામર્શ કરીને કાયદાનો મુસદ્દો તૈયાર કરશે, જેને ત્યાર પછી મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કાર્ડ બહાર પાડવા માટે તહસીલદારો જવાબદાર રહેશે.

BJPએ કેરળ સરકારના આ પગલાનો સખત વિરોધ કર્યો છે, તેને 'ખતરનાક અલગતાવાદી રાજકારણ' ગણાવ્યું છે. BJPના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ આ નિર્ણયને કાયદેસર રીતે પડકારશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારનું પગલું કોઈપણ સંગઠન કે જાહેર માંગણીના જવાબમાં લેવામાં આવ્યું નથી.

Kerala Nativity Card
asianetnews.com

તેમણે એમ પણ કહ્યું હતું કે, CM પિનરાયી વિજયન જાણી જોઈને જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જાહેરાત તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક ગઠબંધનની હાર પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

ઉત્તરાયણ પર્વ આનંદ, ઉત્સાહ અને પરંપરાનો તહેવાર છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગની દોરીમાં ફસાઈને અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ...
Gujarat 
સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને પરિવારજનોની ખોટી ઓળખને કારણે એક યુવકના અંતિમ સંસ્કાર...
National 
જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

હનુમાનજી-મા દુર્ગાની મૂર્તિ.., કૂતરો 5 દિવસથી કરી રહ્યો છે પરિક્રમા, લોકોએ ભૈરવનું સ્વરૂપ ગણાવ્યો; ડૉક્ટરે જણાવ્યું સત્ય

બિજનોર જિલ્લાના નગીના વિસ્તારના નંદપુર ગામમાં આ દિવસોમાં એક કૂતરો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મંદિરમાં કૂતરાની રહસ્યમય હરકતોથી દર્શકો અને...
National 
હનુમાનજી-મા દુર્ગાની મૂર્તિ.., કૂતરો 5 દિવસથી કરી રહ્યો છે પરિક્રમા, લોકોએ ભૈરવનું સ્વરૂપ ગણાવ્યો; ડૉક્ટરે જણાવ્યું સત્ય

BMC ઈલેક્શન રિઝલ્ટઃ ભાજપ કિંગ, ઉદ્ધવ બીજા નંબરે, શિંદેને ઝટકો

મુંબઈના લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે BMCના રાજા કોણ હશે. મુંબઈકરોએ ફડણવીસ-શિંદેની જોડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે....
BMC ઈલેક્શન રિઝલ્ટઃ ભાજપ કિંગ, ઉદ્ધવ બીજા નંબરે, શિંદેને ઝટકો

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.