કેરળનું પોતાનું 'ઓળખ કાર્ડ' હશે! CM પિનરાયી સરકારે નેટિવિટી કાર્ડ રજૂ કર્યું, BJP કોર્ટ જશે

કેરળ સરકારે રાજ્યમાં કાયમી નેટિવિટી કાર્ડ (રહેઠાણ પ્રમાણપત્ર) રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ કાર્ડમાં ધારકનો ફોટો પણ હશે. CM પિનરાયી વિજયને 24 ડિસેમ્બરે આ જાહેરાત કરી હતી. આ નવું કાર્ડ હાલના નેટિવિટી પ્રમાણપત્રની જગ્યા લેશે.

CM પિનરાઈએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, કોઈને પણ રાજ્યમાં તેમની ઓળખ, જન્મ અથવા લાંબા ગાળાના રહેઠાણનો પુરાવો વારંવાર આપવો ન પડે. તેમણે કહ્યું, 'એ અત્યંત ચિંતાજનક છે કે, લોકોને વારંવાર તેમની ઓળખ સાબિત કરવી પડે છે. કોઈને પણ બિનજરૂરી રીતે પરેશાન ન કરવું જોઈએ. આ માટે એક એવા કાનૂની દસ્તાવેજની જરૂર છે, જે કાયમી અને વિશ્વસનીય હોય.'

Kerala Nativity Card
hindi.moneycontrol.com

CM પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, હાલનું નેટિવિટી પ્રમાણપત્ર ફક્ત જન્મ અને રહેઠાણનો પુરાવો પૂરો પાડે છે, પરંતુ તેની કોઈ કાયમી કાનૂની માન્યતા નથી હોતી, અને વિવિધ હેતુઓ માટે વારંવાર નવા પ્રમાણપત્રો મેળવવાની જરૂર પડે છે. સરકારને લાંબા સમયથી આ સમસ્યા અંગે ફરિયાદો મળી રહી હતી, જેના કારણે કાયમી ઉકેલની જરૂર પડી હતી.

નવા પ્રસ્તાવ હેઠળ, આ નેટિવિટી કાર્ડ કાયદેસર રીતે માન્ય દસ્તાવેજ હશે અને તેનો ઉપયોગ રાજ્ય સરકારની યોજનાઓ માટે થઈ શકે છે. ભવિષ્યમાં લાભાર્થીઓને ઓળખવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

Kerala Nativity Card
bhaskar.com

CM પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ આ કાર્ડને કાયદેસર માન્યતા આપવા માટે કાયદા વિભાગ સાથે પરામર્શ કરીને કાયદાનો મુસદ્દો તૈયાર કરશે, જેને ત્યાર પછી મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કાર્ડ બહાર પાડવા માટે તહસીલદારો જવાબદાર રહેશે.

BJPએ કેરળ સરકારના આ પગલાનો સખત વિરોધ કર્યો છે, તેને 'ખતરનાક અલગતાવાદી રાજકારણ' ગણાવ્યું છે. BJPના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ આ નિર્ણયને કાયદેસર રીતે પડકારશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારનું પગલું કોઈપણ સંગઠન કે જાહેર માંગણીના જવાબમાં લેવામાં આવ્યું નથી.

Kerala Nativity Card
asianetnews.com

તેમણે એમ પણ કહ્યું હતું કે, CM પિનરાયી વિજયન જાણી જોઈને જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જાહેરાત તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક ગઠબંધનની હાર પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.