આ કોલોનીના રહેવાસીઓ રોજ 2 કલાક મોબાઈલ-ટીવી વાપરતા નથી, જાણો કારણ

મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના મંડલેશ્વરની લક્ષ્મી નારાયણ એક્સટેંશન કોલોનીએ એક નોખી પહેલ શરૂ કરી છે. અહીંના રહેવાસીઓ રોજ બેથી ત્રણ કલાક મોબાઈલ અને ટીવી ચલાવતા નથી. કોલોનીની દરેક મહિલાઓ, પુરુષો અને બાળકો અલગ અલગ રમતો રમે છે કે એક્ટિવીટીઓ કરે છે. શનિવારે સંગીત પ્રોગ્રામનું આયોજન કરે છે.

પાછલા અમુક વર્ષોમાં સૌ કોઇ મોબાઈલ અને ટીવીમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે ઘરની અંદર જ પરિવારના સભ્યો સાથે પણ વાત કરવાની તસ્દી લેતા નથી. એકબીજા સાથેનું અંતર વધી રહ્યું છે. થોડા સમય માટે મોબાઈલ અને ટીવીથી દૂર રહે તો વ્યક્તિ બેચેન થઇ જાય છે.

આ કોલોનીના રહેવાસી નવીન કુમાર જણાવે છે કે, તેમના અને કોલોનીના અમુક બાળકો સાંજના સમયે ઘરની બહાર રમતા રહેતા હતા. તેમને જોઇ મનમાં આવ્યું કે, આપણે પણ સાંજના સમયે મોબાઈલ અને ટીવીની દુનિયાથી બહાર નીકળી શારીરિક કે માનસિક રીતે પોતાને સ્વસ્થ રાખીએ. આ હેતુને લઇ કોલોનીના 7-8 પરિવારના લોકોએ નક્કી કર્યું કે હવેથી રોજ તેઓ રાતે 8 થી 10 વાગ્યા સુધી બે કલાક મોબાઈલનો ઉપયોગ કરશે નહીં.

કોલોનીના લોકો રોજ રાતે 8 વાગ્યે ઘરની બહાર નીકળે છે અને અન્ય એક્ટીવિટીઓ કરે છે. આ દરમિયાન કોઇ ફુટબોલ, બેડમિંટન કે સાઇકલિંગ કરે છે. મહિલાઓ ચેર રેસ રમે છે. અઠવાડિયાના એક દિવસ સંગીતનો પ્રોગ્રામ થાય છે. આ કોલોનીમાં 250થી વધારે પરિવાર રહે છે.

ફાયદા શું

કોલોનીના લોકોનું કહેવું છે કે, તેમની આ પહેલથી તેઓ સ્વસ્થ અને પોઝિટિવ એનર્જી અનુભવે છે. આ ઉપરાંત તેઓ સમયસર સૂઈ જાય છે. સમયથી ઊઠી જાય છે. આખો દિવસ કામ કર્યા પછી સાંજે રમવા માટે ઉત્સુક રહે છે.

કોલોનીની મહિલાઓ અનુસાર, પહેલા ઘરનું કામ કર્યા પછી તેઓ મોબાઈલમાં વ્યસ્ત થઇ જતા હતા. પણ હવે આ પહેલ પછી બધી મહિલાઓ અલગ અલગ રમત રમે છે. એકબીજા સાથે પરસ્પર સંબંધ પણ સારા થયા છે. જીવનમાં પરિવર્તન આવ્યું છે. બાળકો હવે મોબાઈલના સ્થાને શારીરિક રમત રમવાનું પસંદ કરે છે.

About The Author

Related Posts

Top News

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.