મહાકુંભે ભરી દીધી તિજોરી, અત્યાર સુધી થયો આટલા લાખ કરોડનો બિઝનેસ, અયોધ્યા-બનારસમાં પણ વરસ્યા લક્ષ્મી

મહાકુંભમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. આસ્થાથી અર્થવ્યવસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. મહાકુંભ ભારતની સૌથી મોટી આર્થિક ઘટના બનીને ઉભરી આવ્યો છે. સ્થાનિક વેપારને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અનુસાર, માત્ર પ્રયાગરાજમાં જ નહીં, પરંતુ 150 કિલોમીટરના દાયરામાં વેપારમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. અયોધ્યા, વારાણસી અને અન્ય ધાર્મિક સ્થળોની સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળી છે. મહાકુંભ આસ્થા અને અર્થવ્યવસ્થાવા ગાઢ સંબંધને દર્શાવે છે.

વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક આયોજન મહાકુંભે વેપાર અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર, આ વખત મહાંભે 3 લાખ કરોડ રૂપિયા (360 બિલિયન અમેરિકન ડોલર) કરતા વધુનો બિઝનેસ જનરેટ કર્યો છે. તે ભારતના સૌથી મોટા આર્થિક આયોજનોમાંથી એક બની ગયો છે. CAITના મહાસચિવ અને સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, આ આયોજન આસ્થા અને અર્થવ્યવસ્થાના ગાઢ સંબંધને દર્શાવે છે.

mahakumbh2

13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખંડેલવાલે જણાવ્યું કે શરૂઆતના અનુમાન મુજબ 40 કરોડ શ્રદ્વાળું આવવા અને 2 લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાની સંભાવના હતી, પરંતુ દેશભરમાં આ આયોજનને લઈને અભૂતપૂર્વ ઉત્સાહને કારણે કુલ વેપાર 3 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની સંભાવના છે.

60 કરોડ શ્રદ્વાળુંઓના આવવાને કારણે મહાકુંભ દરમિયાન અનેક વેપારી ક્ષેત્રોમાં મોટી આર્થિક તેજી જોવા મળી. તેમાં મુખ્યત્વે પ્રવાસન, હૉટલ, આવાસ સેવાઓ, ફૂડ, પેય પદાર્થ ઉદ્યોગ, પરિવહન, લોજિસ્ટિક્સ, પૂજા સામગ્રી, ધાર્મિક વસ્ત્ર, હસ્તકલા, આરોગ્ય સંભાળ, વેલનેસ સેવાઓ, મીડિયા, જાહેરાત, મનોરંજન ઉદ્યોગ, સ્માર્ટ ટેક્નોલોજી, CCTV-ટેલિકોમ અને AI આધારિત સેવાઓ સામેલ છે.

mahakumbh1

મહા કુંભને કારણે માત્ર પ્રયાગરાજ જ નહીં, પરંતુ 150 કિલોમીટરના દાયરામાં આવેલા શહેરો અને નગરોમાં પણ વેપારમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ સિવાય અયોધ્યા, વારાણસી અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યાંની સ્થાનિક અર્થવ્યવસ્થા પણ મજબૂતી મળી છે.

ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 7500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. મહાકુંભને સફળ બનાવવા માટે, ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં રસ્તાઓ, ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણ અને સુધારણા પર 7500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ રકમમાંથી 1500 કરોડ રૂપિયા વિશેષ રૂપે મહાકુંભની વ્યવસ્થા માટે ફાળવવામાં આવ્યા હતા. તેનાથી માત્ર પ્રયાગરાજમાં જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ વાહનવ્યવહાર અને નાગરિક સુવિધાઓમાં સુધારો થયો છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.