ચૂંટણી અગાઉ તેલંગણામાં કોંગ્રેસનો મોટો દાવ, KCRના ડઝનબંધ નેતાને ખેંચી લાવ્યા

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) અને તેમની રાજનૈતિક પાર્ટી માટે સામવારનો દિવસ મોટા ઝટકા લઈને આવ્યો હતો. સોમવારે તેમની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના લગભગ એક ડઝન કરતા વધુ નેતા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. આ નેતાઓમાં પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સામેલ છે. આ બધા નેતાઓએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સભ્યતા લીધી છે.

કોંગ્રેસમાં સામેલ થનારા નેતાઓમાં પૂર્વ સાંસદ પોંગુલેટી શ્રીનિવાસન રેડ્ડી, પૂર્વ મંત્રી સપલ્લી કૃષ્ણ રાવ, પૂર્વ ધારાસભ્ય પન્યામ વેંકતેશ્વરલુ, કોરમ કેનકૈયા અને કોટા રામ બાબુ સામેલ છે. ભારત રાષ્ટ્ર સમિતિના MLC નરસા રેડ્ડીના પુત્ર રાકેશ રેડ્ડી પણ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. વર્ષ 2023ના અંતમાં તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં ચૂંટણીના થોડા મહિના અગાઉ પાર્ટી છોડીને જનારા નેતાઓએ ભારત રાષ્ટ્ર સમિતિને મોટો ઝટકો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 23 જૂનના રોજ બિહારની રાજધાની પટનામાં વિપક્ષી પાર્ટીઓની મીટિંગમાં ભારત રાષ્ટ્ર સમિતિના કોઈ નેતા સામેલ થયા નહોતા. એવામાં આ મીટિંગના તુરંત બાદ ભારત રાષ્ટ્ર સમિતિના નેતાઓએ કોંગ્રેસ જોઈન કરી છે. વિપક્ષી બેઠકમાં સામેલ થવા માટે પોતાની પાર્ટીનું સમર્થન કરતા મુખ્યમંત્રી KCRના મંત્રીના પુત્ર KTRએ કહ્યું હતું કે, વિપક્ષી પાર્ટીઓ સત્તાથી કોઈને બેદખલ કરવા માટે ઝનૂની થઈ ગઈ છે. ભાજપ વિરુદ્ધ લડાઈ દેશ સામે ઊભા મુખ્ય પડકારો પર થવી જોઈએ. દુર્ભાગ્યથી આપણે ત્યાં હારી રહ્યા છીએ.

તેમણે આગળ કહ્યું હતું કે, એમ લાગી રહ્યું છે કે આપણે કોઈને બળજબરપૂર્વક હટાવવા કે કોઈને ત્યાં બેસાડવા માટે ઝનૂની અને ચિંતિત છીએ. આ એજન્ડા ન હોવા જોઈએ. KTRએ એવા પણ સંકેત આપ્યા કે ભારત રાષ્ટ્ર સમિતિ પોતાના દમ પર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છે અને મોટી સંખ્યામાં સીટો જીતવાના લક્ષ્ય રાખતા એક પ્રભાવશાળી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે પટનાની વિપક્ષી બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે, આગામી બેઠક કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં જલદી જ શિમલામાં થઈ શકે છે. એવામાં વિપક્ષી એકતાથી અલગ માર્ગ પસંદ કર્યા બાદ તેલંગાણાના મુખ્યમંત્રી KCR વિરુદ્ધ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી અગાઉ રણનીતિ બનાવવામાં લાગી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.