મંત્રી કહે- દારૂ માણસને મજબૂત બનાવે છે, મજૂરો દારૂ નહીં પીવે તો...

નશાબંધીને લઈને CM ભૂપેશ બઘેલના નિવેદન બાદ છત્તીસગઢનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના આબકારી મંત્રી કવાસી લખમાએ કહ્યું છે કે, જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી તેઓ બસ્તરમાં દારૂબંધી નહીં થવા દે. તેમણે દારૂ પીવાની હિમાયત કરી અને કહ્યું કે, તે માણસને બળવાન બનાવે છે, જો મજૂરો દારૂ નહીં પીવે તો તેઓ સામાન ઉપાડી શકશે નહીં અને મહેનત કરી શકશે નહીં.

કવાસીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે, વિદેશમાં 100 ટકા લોકો દારૂ પીવે છે. બસ્તરમાં 90 ટકા પીવે છે, પરંતુ પીવાની સ્ટાઈલ નથી જાણતા. દારૂ પીવાથી માણસ મરતો નથી, તે બળવાન બને છે, પણ વધારે પીવાથી માણસ મરી જાય છે. એટલા માટે દારૂ અને દવા, ક્યાં તો તમે દવા ખાઓ અથવા દારૂ પીવો. તો આ રીતે થોડું પીવાનો અર્થ નહીં રહે. ખેડૂતને, લોખંડ ઉપાડનાર મજૂરને. તમે આટલું મોટું લોખંડ નહિ ઉપાડી શકશો. તેઓ મજૂરી ઉપાડી લેશે, અને સાંજે જઈને દારૂ પી લેશે. તો જ પાછા કાલે કામ કરી શકશે, નહીં તો તે મજદૂર તે કામ કરી શકશે નહીં.'

તેમણે કહ્યું કે, જો મજૂરો દારૂ નહીં પીવે તો તેઓ સામાન ઉપાડી શકશે નહીં અને મહેનત પણ કરી શકશે નહીં. રમણ સિંહે ક્યારેય કોથળો ઉપાડ્યો છે. તેમને સમસ્યા શું છે? રમણ સિંહ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, 'આ લોકોને અમારા જેવા લોકોની સમસ્યાઓની ખબર નથી. મેં તાડી કાપી છે, તેથી મને ખબર છે કે મારા હાથ અને પગમાં કેટલો દુખાવો થાય છે. CM ભૂપેશ બઘેલની વાતને હું સમર્થન આપું છું. હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે છત્તીસગઢમાં દારૂબંધી થશે, પરંતુ બસ્તરમાં નહીં થાય. જ્યાં સુધી હું જીવિત છું, બસ્તરમાં આવું નહીં થાય. બસ્તરમાં, તમામ દેવી દેવતાઓ, બાળકો દરેકમાં તેની પૂજા થતી હોય છે. તેના વિના અમે પ્રવાસ નથી કરતા, પૂજા પણ નથી કરતા. હું શરૂઆતથી જ કહેતો હતો.'

આ પહેલા શુક્રવારે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે દારૂબંધીને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી લોકો દારૂ પીવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી કોઈ શરાબબંધી થઇ શકશે નહિ. ત્યાર પછીથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. પૂર્વ CM રમણ સિંહે કોંગ્રેસ સરકાર પર દારૂબંધીના વાયદાથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ તેને મહિલાઓનું અપમાન પણ ગણાવ્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.