વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર 8-10 ઑગસ્ટે થશે ચર્ચા, આ દિવસે PM મોદી આપશે જવાબ

સંસદના ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. તો 10 ઑગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના પર જવાબ આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા બોલાવવામાં આવેલી બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠકમાં આ નિર્ણય થયો છે. જાણકારોએ આ માહિતી આપી છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર તારીખને લઈને છેલ્લા કેટલાક સમયથી વિપક્ષનો સતત વિરોધ ચાલી રહ્યો છે. બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓએ કાલે જ ચર્ચા કરાવવાની માગ કરી હતી, પરંતુ તેમની માગ ન માનવા પર વિપક્ષી નેતાઓએ BACની બેઠકથી વોકઆઉટ કર્યું.

જો કે, લોકસભાના સ્પીકરની હાજરીમાં જ આ ચર્ચાની તારીખ નક્કી થઈ ગઈ. સરકારે ભાર આપી કહ્યું કે, એવો કોઈ નિયમ કે પૂર્વતા નથી કે, સદન માટે અવિશ્વાસ પ્રસ્તાવ પર તાત્કાલિક વિચાર કરવું અનિવાર્ય બતાવે છે. સરકાર તર્ક આપ્યો કે, નિયમ કહે છે કે પ્રસ્તાવ સ્વીકાર થવાના 10 કાર્ય દિવસની અંદર ચર્ચા માટે જવી જોઈએ. લોકસભામાં કોંગ્રેસના સચેતક મણિકમ ટેગોરે કહ્યું કે, INDIA ગઠબંધનની વિપક્ષી પાર્ટી દ્વારા સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને મણિપુર મુદ્દા પર નિવેદન આપવાની માગ બાદ લોકસભા સ્થગિત કરી દેવામાં આવી.

તેમણે કહ્યું કે, લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બપોરે થઈ, જેમાં INDIA ગઠબંધનની ઘટક પાર્ટીઓએ અવિલંબ આવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માગ કરી. આ ઈચ્છીએ છીએ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર કાલે જ ચર્ચા થાય. 16મી લોકસભામાં જ્યારે TDP અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી તો તેના આગામી દિવસે લિસ્ટેડ કરવામાં આવી હતી. એટલે વિલંબ ઉચિત નથી. તેના વિરોધમાં INDIA ગઠબંધનના સહયોગી લોકસભા અધ્યક્ષની કાર્ય સલાહકાર સમિતિથી બહાર જતા રહ્યા.

દ્રમુક નેતા ટી.આર. બાલુએ કહ્યું કે, બિઝનેસ સલાહકાર સમિતિની બેઠકથી બહાર જતા રહ્યા કેમ કેમ સરકાર ઇચ્છતી હતી કે 8 ઑગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરાવવા માટેના નિર્ણયનું સમર્થન કરીએ. વિપક્ષી નેતા લોકસભાની પ્રાથમિકતા અને નિયમોનો સંદર્ભ આપતા રહ્યા કે અન્ય બધા સરકારી કામકાજને અલગ રાખ્યા બાદ આવિશ્વાસ પ્રસ્તાવને પહેલા ઉઠાવવો જોઈએ. આ પ્રસ્તાવ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ રજૂ કર્યો અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 26 જુલાઈએ તેને સ્વીકારી લીધો હતો.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.