‘મહિલાની ઓળખ લગ્નથી નહીં’ વિધવાની મંદિરમાં એન્ટ્રી રોકવા પર હાઇ કોર્ટ સખત

મદ્રાસ હાઇ કોર્ટે વિધવા મહિલાઓના મંદિરોમાં પ્રવેશ પર રોક લગાવનારી પ્રથાઓ પર સખત ફાટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે કોઈ પણ સભ્ય સમાજમાં આ પ્રકારની પરંપરાઓ નહીં હોય શકે. કોર્ટે એક મહિલાની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી, જેમાં ઇરોડ જિલ્લામાં એક મંદિરમાં જવા અને કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે પોલીસ સુરક્ષાની માગ કરવામાં આવી હતી.

એક રિપોર્ટ મુજબ, જસ્ટિસ આનંદ વેંકટેશની પીઠને મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ મંદિરમાં પૂજારી હતો, જેનું 28 ઑગસ્ટ 2017ના રોજ નિધન થઈ ગયું હતું. તેણે આગળ જણાવ્યું કે, તે પોતાના દીકરા સાથે મંદિરના ઉત્સવમાં હિસ્સો લેવા અને પૂજા કરવા માગતી હતી, પરંતુ કેટલાક લોકોએ તેને એમ કરતા રોકી દીધી. તેને કહેવામાં આવ્યું કે, તે વિધવા હોવાના કારણે મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે.

તેની સાથે જ મહિલાએ આગામી 9 અને 10 ઑગસ્ટના રોજ મંદિરમાં થનારા ઉત્સવમાં હિસ્સો લેવા માટે સુરક્ષાની માગ કરી. પીઠે આખા કેસ પર સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ રાજ્યમાં આ જૂની માન્યતાઓ કાયમ છે કે જો કોઈ વિધવા મંદિરમાં પ્રવેશ કરે છે તો તેનાથી ત્યાં અપવિત્રતા થઈ જશે. જો કે, આ બધી મૂર્ખતાપૂર્ણ માન્યતાઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતા પણ કેટલાક ગામોમાં તેનો અભ્યાસ ચાલુ છે.

આ નિયમ પુરૂષોએ પોતાની સુવિધા માટે બનાવ્યા છે. તે વાસ્તવમાં એક મહિલાને અપમાનિત કરે છે કેમ કે તેણે પોતાના પતિને ગુમાવી દીધો છે. જસ્ટિસ વેંકટેશે કહ્યું કે, એક મહિલાની પોતાની અલગ ઓળખ હોય છે અને પરિણીત સ્થિતિના આધાર પર તેને કોઈ પ્રકારે ઓછી નહીં કરી શકાય. પીઠે કહ્યું કે, કાયદાના શાસનવાળા સભ્ય સમાજમાં એ ક્યારેય નહીં ચાલી શકે. જો કોઈ દ્વારા કોઈ વિધવાને મંદિરમાં પ્રવેશ કરતા રોકવાનો એવો પ્રયાસ કરવામાં આવે છે તો તેની વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ.

અરજીમાં સામેલ બીજા પક્ષને સંબોધિત કરતા કોર્ટે કહ્યું કે, અરજીકર્તા અને તેના દીકરાને ઉત્સવમાં સામેલ ન થવા અને ભગવાનની પૂજા કરતા રોકવાનો તેમને કોઈ અધિકાર નથી. ત્યારબાદ કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો કે તે અરજીકર્તાને મંદિરમાં પ્રવેશથી રોકનારાઓને સ્પષ્ટ સૂચિત કરે કે તેઓ તેને અને તેના દીકરાને મંદિરમાં પ્રવેશ કરતા નહીં રોકે. જો એવું થાય છે તો પોલીસ તેની વિરુદ્ધ સખત એક્શન લે. પોલીસ એ સુનિશ્ચિત કરે કે મહિલા અરજીકર્તા અને તેનો દીકરો 9 અને 10 ઑગસ્ટે મંદિરના ઉત્સવમાં ભાગ લે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.