MLAનો દાવો- શિવસેના ધારાસભ્યોએ મંત્રી બનવા CMને કર્યા હતા બ્લેકમેલ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તારમાં મોડું થવા વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના એક ધારાસભ્ય ભરતશેઠ ગોગાવલેએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મંત્રી બનવા માટે કેટલાક ધારાસભ્યો દ્વારા ઘણા પ્રકારના હાથકંડા અપનાવવામાં આવ્યા હતા. રાયગઢમાં એક રાજનૈતિક કાર્યક્રમ દરમિયાન ગોગાવલેએ દાવો કર્યો કે, કેટલાક ધારાસભ્યોએ કેબિનેટમાં જગ્યા મેળવવા માટે મુખ્યમંત્રી શિંદેને બ્લેકમેલ કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, હું મંત્રી પદની રેસમાં સામેલ હતો, પરંતુ જ્યારે મુખ્યમંત્રી સામે મુશ્કેલી આવવા લાગી તો હું પાછળ હટી ગયો કેમ કે હું નહોતો ઈચ્છતો કે અમારા મુખ્યમંત્રી કોઈ મુશ્કેલીમાં ફસાય.

તેમણે કહ્યું કે, એક ધારાસભ્યયએ આવીને કહ્યું કે, જો તેઓ મંત્રી ન બન્યા તો નારાયણ રાણે મારી રાજનીતિ જ સમાપ્ત કરી દેશે. તો વધુ એક ધારસભ્યએ ધમકી આપી કે જ્યારે શપથ ગ્રહણ સમારોહ સમાપ્ત થશે તો તેઓ એ જ સમયે રાજીનામું આપી દેશે. ત્યારબાદ એક ભાષણમાં ગોગાવલેએ એક ઐતિહાસિક કહાનીનો ઉલ્લેખ કર્યો કે કેવી રીતે સંકટ દરમિયાન તેમના માવલા (સૈનિક) તાનાજી માલુસુરે છત્રપતિ શિવાજી મહારાજનો બચાવ કર્યો હતો. તેમણે દેખાડ્યું કે કેવી રીતે કોંડાના કિલ્લો તાનાજીએ જીત્યો હતો.

ગોગાવલેએ દાવો કર્યો કે, જે પ્રકારે માલુસુરે પોતાના રાજા માટે કિલ્લા પર કબજો કરવા માટે લડવાનો નિર્ણય લીધો, બરાબર એ જ રીતે તેમણે મંત્રી બનવા માટે ખુરશીની કુરબાની આપી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે એક અઠવાડિયા બાદ જ તેમના દીકરાના લગ્ન હતા. તેમણે આગળ ખુલાસો કર્યો કે, શપથ ગ્રહણના એક દિવસ અગાઉ મુખ્યમંત્રી શિંદે અને તેમના દરેક ધારાસભ્યને પરિસ્થિતિ સમજાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે સંભાજી નગરના એક ધારાસભ્યને ફોન કર્યો અને કહ્યું કે, તેઓ આટલી જલદીમાં કેમ છે.

તેમના જિલ્લાના બે નામ પહેલા જ પસંદ થઈ ચૂક્યા છે, પરંતુ તેમના રાયગઢ જિલ્લાથી 3માંથી એક પણ નામ લિસ્ટમાં નથી. તેઓ રાહ જોવા તૈયાર થઈ ગયા અને આશ્વસ્ત થઈ ગયા. જો કે, ગોગાવલેએ કહ્યું કે, બીજા ધારાસભ્યની પત્નીનો જીવ બચાવવાનો છે એટલે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે જ નારાયણ રાણેના ગઢમાં પોતાની સીટ યથાવત રાખવા માટે બીજા ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારથી મને રાહ જોવા કહેવામાં આવ્યું છે અને હું અત્યારે પણ પોતાના વારાની રાહ જોઈ રહ્યો છું.

About The Author

Top News

IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ગોવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચેકિંગ માટે એક IAS અધિકારીની ગાડી રોકવી પોલીસ માટે ખુબ મોંઘુ...
National 
IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.