MLAનો દાવો- શિવસેના ધારાસભ્યોએ મંત્રી બનવા CMને કર્યા હતા બ્લેકમેલ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તારમાં મોડું થવા વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના એક ધારાસભ્ય ભરતશેઠ ગોગાવલેએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મંત્રી બનવા માટે કેટલાક ધારાસભ્યો દ્વારા ઘણા પ્રકારના હાથકંડા અપનાવવામાં આવ્યા હતા. રાયગઢમાં એક રાજનૈતિક કાર્યક્રમ દરમિયાન ગોગાવલેએ દાવો કર્યો કે, કેટલાક ધારાસભ્યોએ કેબિનેટમાં જગ્યા મેળવવા માટે મુખ્યમંત્રી શિંદેને બ્લેકમેલ કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, હું મંત્રી પદની રેસમાં સામેલ હતો, પરંતુ જ્યારે મુખ્યમંત્રી સામે મુશ્કેલી આવવા લાગી તો હું પાછળ હટી ગયો કેમ કે હું નહોતો ઈચ્છતો કે અમારા મુખ્યમંત્રી કોઈ મુશ્કેલીમાં ફસાય.

તેમણે કહ્યું કે, એક ધારાસભ્યયએ આવીને કહ્યું કે, જો તેઓ મંત્રી ન બન્યા તો નારાયણ રાણે મારી રાજનીતિ જ સમાપ્ત કરી દેશે. તો વધુ એક ધારસભ્યએ ધમકી આપી કે જ્યારે શપથ ગ્રહણ સમારોહ સમાપ્ત થશે તો તેઓ એ જ સમયે રાજીનામું આપી દેશે. ત્યારબાદ એક ભાષણમાં ગોગાવલેએ એક ઐતિહાસિક કહાનીનો ઉલ્લેખ કર્યો કે કેવી રીતે સંકટ દરમિયાન તેમના માવલા (સૈનિક) તાનાજી માલુસુરે છત્રપતિ શિવાજી મહારાજનો બચાવ કર્યો હતો. તેમણે દેખાડ્યું કે કેવી રીતે કોંડાના કિલ્લો તાનાજીએ જીત્યો હતો.

ગોગાવલેએ દાવો કર્યો કે, જે પ્રકારે માલુસુરે પોતાના રાજા માટે કિલ્લા પર કબજો કરવા માટે લડવાનો નિર્ણય લીધો, બરાબર એ જ રીતે તેમણે મંત્રી બનવા માટે ખુરશીની કુરબાની આપી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે એક અઠવાડિયા બાદ જ તેમના દીકરાના લગ્ન હતા. તેમણે આગળ ખુલાસો કર્યો કે, શપથ ગ્રહણના એક દિવસ અગાઉ મુખ્યમંત્રી શિંદે અને તેમના દરેક ધારાસભ્યને પરિસ્થિતિ સમજાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે સંભાજી નગરના એક ધારાસભ્યને ફોન કર્યો અને કહ્યું કે, તેઓ આટલી જલદીમાં કેમ છે.

તેમના જિલ્લાના બે નામ પહેલા જ પસંદ થઈ ચૂક્યા છે, પરંતુ તેમના રાયગઢ જિલ્લાથી 3માંથી એક પણ નામ લિસ્ટમાં નથી. તેઓ રાહ જોવા તૈયાર થઈ ગયા અને આશ્વસ્ત થઈ ગયા. જો કે, ગોગાવલેએ કહ્યું કે, બીજા ધારાસભ્યની પત્નીનો જીવ બચાવવાનો છે એટલે તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. સાથે જ નારાયણ રાણેના ગઢમાં પોતાની સીટ યથાવત રાખવા માટે બીજા ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારથી મને રાહ જોવા કહેવામાં આવ્યું છે અને હું અત્યારે પણ પોતાના વારાની રાહ જોઈ રહ્યો છું.

Top News

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.