ઉત્તરાખંડના ટીટ્રમેન્ટ પ્લાન્ટમાં કરંટ લાગવાને કારણે પોલીસકર્મી સહિત 15ના મોત

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક સૂએઝ પ્લાન્ટમાં વીજ કરંટ લાગવાથી 15થી વધુ મજૂરોના મોત થયા છે. અને ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. કેટલાક લોકોને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ આ સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે.ગંભીર રીતે ઘવાયેલા મજૂરોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

ચમોલીના સૂએઝ પ્લાન્ટમાં વીજ કરંટ લાગવાથી 15મજૂરોના મોત થયા છે. મોતનો આંકડો  વધી શકે છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ બચાવ કામગીરીની તપાસ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સૂએઝ પ્લાન્ટના નિર્માણ દરમિયાન ટ્રાન્સફોર્મરમાં કરંટ લાગ્યો અને આ દર્દનાક દુર્ઘટના બની છે.

અલકનંદા નદીના કિનારે થયેલી આ દુર્ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રાન્સફોર્મર વિસ્ફોટ બાદ વીજ કરંટ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. ચમોલી અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ આ ભયાનક દુર્ઘટનામાં લગભગ 20થી વધારે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમાંથી 2ની હાલત વધારે ગંભીર છે તેમને શ્રીનગરના હાયર સેન્ટર રીફર કરી દેવામાં આવ્યા છે. આ મોતની ઘટના પર તંત્રએ મોંઢુ સીવી લીધું છે. કોઇ પણ અધિકારી બોલવા તૈયાર થતા નથી.

બીજી તરફ, ચમોલીના જિલ્લા પોલીસ સુપ્રિન્ટડન્ટના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ તમામની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, ઉત્તરાખંડના DGP અશોક કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ચોકીના ઈન્ચાર્જનું પણ મોત થયું છે. બદ્રીનાથ હાઈવે પર આઉટપોસ્ટ ઈન્ચાર્જ તૈનાત હતા. મોત બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત બાદ પ્રોજેક્ટનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. નમામી ગંગે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને ટેકનિશિયન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જે સમયે આ અકસ્માત થયો તે સમયે ત્યાં 24 લોકો હાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.