- National
- મે મહિનામાં વધારે ગરમી નહોતી, તો પછી જૂન કેમ ગરમ જઈ રહ્યો છે? હવામાનનો આ બદલાવ કઈ તરફ ઈશારો કરે છે?
મે મહિનામાં વધારે ગરમી નહોતી, તો પછી જૂન કેમ ગરમ જઈ રહ્યો છે? હવામાનનો આ બદલાવ કઈ તરફ ઈશારો કરે છે?

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે અને આગામી થોડા દિવસો સુધી તેનાથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઘણા રાજ્યોમાં ગરમીના મોજા અંગે ચેતવણી બહાર પાડી છે અને લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં તે વધુ વધી શકે છે. પરંતુ, પ્રશ્ન એ ઊભો થાય છે કે 10 દિવસમાં એવું શું થયું કે મે મહિનામાં જે હવામાન ખુશનુમા હતું તે હવામાન જૂનમાં અચાનક લોકોને તપાવી રહ્યું છે.
સામાન્ય રીતે મે મહિનામાં આકારો તડકો અને ગરમી હોય છે, જેના કારણે ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ આ વર્ષે સમગ્ર મે મહિનામાં ગરમીએ કોઈ તકલીફ આપી ન હતી અને હવામાન ખુશનુમા રહ્યું. આશ્ચર્યજનક રીતે, નૌતપાના દિવસોમાં પણ વરસાદ ચાલુ રહ્યો અને ઠંડા પવને લોકોને રાહત આપી. હકીકતમાં, મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ અને નીચા તાપમાનનું મુખ્ય કારણ નીચલા અક્ષાંશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું વારંવાર આગમન હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ પૂર્વ તરફના પવનો છે, જે ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવે છે અને તેમના માર્ગમાં વરસાદ અથવા હિમવર્ષાનું કારણ બને છે.

IMD અનુસાર, મે મહિનામાં સામાન્ય રીતે સામાન્ય કરતાં વધુ તાપમાન જોવા મળે છે. ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીનું મોજું પ્રવર્તે છે. જો કે, આ વર્ષે મે મહિનામાં ગરમીનું મોજું માત્ર એક કે બે દિવસ જ રહ્યું. તે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગો સુધી મર્યાદિત રહ્યું છે. હકીકતમાં, આ વર્ષે દક્ષિણ અને મધ્ય ભારતીય પ્રદેશોમાં મે મહિનામાં અપવાદરૂપ વરસાદ પડ્યો છે. સમગ્ર મહિના દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાવાઝોડુ આવ્યું હતું, જેના કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ અથવા સામાન્ય કરતાં ઓછું રહ્યું છે.
જૂન મહિનાની શરૂઆતમાં વરસાદ પડ્યો હતો, પરંતુ આ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નિષ્ક્રિય થઈ ગયો અને વરસાદ બંધ થઈ ગયો. મે મહિનામાં સતત વરસાદ પડ્યો હતો, પરંતુ જૂન મહિનામાં વરસાદ બંધ થયા પછી, આકાશ સ્વચ્છ થઈ ગયું અને સૂર્યની ગરમી અને સૂકા પવનોના કારણે તાપમાનમાં ફરી વધારો થયો. આ વર્ષે કેરળ પછી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં સમય પહેલા પહોંચી ગયું હતું અને તેની ગતિ ઘણી ઝડપી હતી. પરંતુ, 29 મેના રોજ ચોમાસાની ગતિ ઓછી થઈ ગઈ, જેના કારણે ચોમાસા પહેલાની પ્રવૃત્તિઓ પણ બંધ થઈ ગઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસો સુધી ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની શક્યતા ઓછી છે, જેના કારણે તાપમાનમાં વધુ વધારો થવાની ધારણા છે. આ સાથે, લૂ લાગવાના સંકેતો પણ મળી રહ્યા છે.

હવામાન વિભાગે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે, દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ હવાની અસર સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ પર. આવી સ્થિતિમાં, લોકોને બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ઘરની બહાર ન જવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે, ગરમીના મોજા શરીર પર ગંભીર અસર કરી શકે છે. તેનાથી લૂ લાગવી, થાક, માથાનો દુખાવો અને ત્યાં સુધી કે હિટ સ્ટ્રોક પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, લોકોને લાંબા સમય સુધી ખુલ્લા આકાશ નીચે રહેવાનું ટાળવા અને છાંયડાવાળી જગ્યાએ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. આ રાજ્યોમાં મહત્તમ તાપમાન 40થી 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે અને આગામી 2-3 દિવસ સુધી તેનાથી ઉપર રહેવાની ધારણા છે. IMDએ 11-12 જૂન સુધી ઘણા રાજ્યોમાં હીટ વેવ એલર્ટ પણ ડિક્લેર કર્યું છે. આ પછી, હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે અને આ પછી કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગે 12 જૂનથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. IMDના જણાવ્યા અનુસાર, 11 જૂનથી હવામાનમાં થોડો ફેરફાર થશે, જ્યારે આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે અને તાપમાન થોડું ઘટીને 43 ડિગ્રી થવાની શક્યતા છે. જોકે, ઉકળાટમાં વધારો થવાને કારણે ગરમી ઓછી થશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 જૂને હવામાનમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળશે. આ દિવસે હવામાન 'ગરમ અને ઉકળાટભર્યું' તો રહેશે, પરંતુ તે જ સમયે 'ગાજવીજ સાથે વરસાદ' થવાની પણ આગાહી કરવામાં આવી છે.
આગામી બે દિવસ એટલે કે 13 અને 14 જૂને 'વાવાઝોડા અને વીજળી'ની ચેતવણી સાથે વરસાદ અથવા વાવાઝોડાની શક્યતા છે. 13 જૂને તાપમાન 39 ડિગ્રી અને 14 જૂને 38 ડિગ્રી સુધી ઘટી જવાની શક્યતા છે, જેનાથી લોકોને થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જૂન સુધી હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને તાપમાન 38 ડિગ્રીની આસપાસ બની રહેશે.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
