યોગી સરકારના મંત્રીને એક વર્ષની જેલની સજા, જાણો શું છે મામલો?

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારના એક મંત્રીને કોર્ટે 9 વર્ષ જૂના એક કેસમાં 1 વર્ષની જેલની સજા ને દંડ ફટકાર્યો છે. ઘટના વર્ષ 2014 લોકસભાની ચૂંટણી વખતની છે અને મંત્રીને આ ઘટનામાં દોષી ઠેરવવામાં આવ્યા છે. યોગી અને મંત્રી બંને માટે આ એક મોટો ઝટકો છે. ભાજપના  નેતાઓએ બાબતે મૌન સાધી લીધું છે.

યોગી સરકારમાં મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને MP MLA કોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. વર્ષ 2014 લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા એક મામલામાં મંત્રી દોષી સાબિત ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે એક વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે. તેમની પર 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નંદીને IPCની કલમ 147 અને 323 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

યોગી સરકારના  મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને જેલની સજા સંભળાવવા પાછળનું કારણ  એવું છે કે,2014ની લોકસભા ચૂંટણી દરમિયાન, નંદી પર તત્કાલિન સપા સાંસદ રેવતી રમણ સિંહની જાહેર સભામાં તેમના સમર્થકો દ્વારા હુમલો કરવાનો આરોપ હતો. સપા સમર્થકો માટે જાતિવિષયક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો પણ આરોપ હતો કે રેલી દરમિયાન સપાના કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી જેમાં ઘણા ઘાયલ થયા હતા. નંદી તે સમયે કોંગ્રેસ પાર્ટીમાં હતા અને સમાજવાદી પાર્ટીએ એ તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ જ કેસમાં નંદીને 9 વર્ષ બાદ દોષી ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે એક વર્ષની જેલની સજા અને 10,000નો દંડ કરવાનો હુકમ કર્યો છે. આ ઘટનામાં સમાજવાદી પાર્ટીના કાર્યકર વેંકટરમણ શૂક્લાએ નંદી સામે ફરિયાદ કરી હતી.

તમારા માટે એ જાણવું જરૂરી છે કે કોર્ટે એક વર્ષની સજાનો ચુકાદો આપવા છતા નંદીનું વિધાનસભાનું સભ્યપદ રદ નહીં થાય. કોઇ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધારે સમય સુધી જેલની સજા થઇ હોય તો જ વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવે છે.

પરંતુ અહીં MP MLA એ કોર્ટે એક વર્ષની સજા જાહેર કરી હોવાથી આ વિભાગમાં નંદીને થોડી રાહત મળી છે. કોર્ટના આ આદેશ પર હજુ સુધી નંદી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભાજપે પણ આ મામલે મૌન સેવ્યું છે.<

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.