15 દિવસમાં મહારાષ્ટ્રમાં શું થવાનું છે, શરદ પવાર હવે શું કરવાના છે?

રાજકારણમાં કશું જ અશક્ય નથી. રાજ્યમાં DyCM અજિત પવાર, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને CM એકનાથ શિંદેની મજબૂત સરકાર છે. જ્યારે, ધારાસભ્ય રવિ રાણાએ દાવો કર્યો હતો કે 15 દિવસમાં કેન્દ્રમાં ફેરફાર થશે.

ધારાસભ્ય રવિ રાણાએ અમરાવતીના છત્રી તળાવ ખાતે પ્રિય બાપ્પાને વિદાય આપી. આ પ્રસંગે બોલતા રવિ રાણાએ મોટું નિવેદન આપ્યું છે. આગામી 15-20 દિવસમાં મહારાષ્ટ્રમાં મોટો ચમત્કાર થશે. અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ આ સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે શરદ પવાર BJPમાં જોડાઈ શકે છે અને પછી અજિત પવારને CM પદ મળી શકે છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે શરદ પવાર PM નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તે મહત્વનું છે. રવિ રાણાએ કહ્યું કે, આ માટે હું જ્યાં પણ ગયો ત્યાં ભગવાન ગણેશને પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે, શરદ પવારના આગમન સાથે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી એક મજબૂત સરકાર જોવા મળશે.

અપક્ષ ધારાસભ્ય રવિ રાણા DyCM દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. તેમની પત્ની નવનીત રવિ રાણા અમરાવતી લોકસભા બેઠક પરથી સાંસદ છે. રવિ રાણાએ કહ્યું કે, હું છેલ્લા કેટલાક દિવસોમાં ગણેશ પૂજા માટે ઘણા મંડપોમાં ગયો છું. આ દરમિયાન મેં ભગવાનને પ્રાર્થના કરી કે, શરદ પવાર દેશના વિકાસ માટે PM નરેન્દ્ર મોદીને સાથ આપે. તેમણે કહ્યું કે આ ચમત્કાર 15 થી 20 દિવસમાં થશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જો શરદ પવાર તેમની સાથે જોડાય તો અજિત પવાર મહારાષ્ટ્રના CM બની શકે છે.

તેમણે કહ્યું કે, રાજકારણમાં કંઈ પણ શક્ય છે. પહેલા દેવેન્દ્ર ફડણવીસ CM હતા અને તેઓ DyCM બની ગયા. અજિત પવાર વિપક્ષના નેતા હતા અને હવે DyCM બની ગયા છે. CM એકનાથ શિંદે શહેરી વિકાસ મંત્રી હતા, પરંતુ હવે CM બની ગયા છે. તેથી, અજિત પવાર CM બને તે કોઈ મોટી વાત નથી. જો આગામી 15 દિવસમાં શરદ પવાર સાથે આવી જાય તો, અજિત પવાર CM બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિ રાણા અને તેમની સાંસદ પત્ની નવનીતની ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી તે દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. નવનીત રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી, ત્યારપછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.