15 દિવસમાં મહારાષ્ટ્રમાં શું થવાનું છે, શરદ પવાર હવે શું કરવાના છે?

રાજકારણમાં કશું જ અશક્ય નથી. રાજ્યમાં DyCM અજિત પવાર, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને CM એકનાથ શિંદેની મજબૂત સરકાર છે. જ્યારે, ધારાસભ્ય રવિ રાણાએ દાવો કર્યો હતો કે 15 દિવસમાં કેન્દ્રમાં ફેરફાર થશે.

ધારાસભ્ય રવિ રાણાએ અમરાવતીના છત્રી તળાવ ખાતે પ્રિય બાપ્પાને વિદાય આપી. આ પ્રસંગે બોલતા રવિ રાણાએ મોટું નિવેદન આપ્યું છે. આગામી 15-20 દિવસમાં મહારાષ્ટ્રમાં મોટો ચમત્કાર થશે. અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ આ સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે શરદ પવાર BJPમાં જોડાઈ શકે છે અને પછી અજિત પવારને CM પદ મળી શકે છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે શરદ પવાર PM નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તે મહત્વનું છે. રવિ રાણાએ કહ્યું કે, આ માટે હું જ્યાં પણ ગયો ત્યાં ભગવાન ગણેશને પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે, શરદ પવારના આગમન સાથે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી એક મજબૂત સરકાર જોવા મળશે.

અપક્ષ ધારાસભ્ય રવિ રાણા DyCM દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. તેમની પત્ની નવનીત રવિ રાણા અમરાવતી લોકસભા બેઠક પરથી સાંસદ છે. રવિ રાણાએ કહ્યું કે, હું છેલ્લા કેટલાક દિવસોમાં ગણેશ પૂજા માટે ઘણા મંડપોમાં ગયો છું. આ દરમિયાન મેં ભગવાનને પ્રાર્થના કરી કે, શરદ પવાર દેશના વિકાસ માટે PM નરેન્દ્ર મોદીને સાથ આપે. તેમણે કહ્યું કે આ ચમત્કાર 15 થી 20 દિવસમાં થશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જો શરદ પવાર તેમની સાથે જોડાય તો અજિત પવાર મહારાષ્ટ્રના CM બની શકે છે.

તેમણે કહ્યું કે, રાજકારણમાં કંઈ પણ શક્ય છે. પહેલા દેવેન્દ્ર ફડણવીસ CM હતા અને તેઓ DyCM બની ગયા. અજિત પવાર વિપક્ષના નેતા હતા અને હવે DyCM બની ગયા છે. CM એકનાથ શિંદે શહેરી વિકાસ મંત્રી હતા, પરંતુ હવે CM બની ગયા છે. તેથી, અજિત પવાર CM બને તે કોઈ મોટી વાત નથી. જો આગામી 15 દિવસમાં શરદ પવાર સાથે આવી જાય તો, અજિત પવાર CM બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિ રાણા અને તેમની સાંસદ પત્ની નવનીતની ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી તે દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. નવનીત રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી, ત્યારપછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Related Posts

Top News

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.