15 દિવસમાં મહારાષ્ટ્રમાં શું થવાનું છે, શરદ પવાર હવે શું કરવાના છે?

રાજકારણમાં કશું જ અશક્ય નથી. રાજ્યમાં DyCM અજિત પવાર, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને CM એકનાથ શિંદેની મજબૂત સરકાર છે. જ્યારે, ધારાસભ્ય રવિ રાણાએ દાવો કર્યો હતો કે 15 દિવસમાં કેન્દ્રમાં ફેરફાર થશે.

ધારાસભ્ય રવિ રાણાએ અમરાવતીના છત્રી તળાવ ખાતે પ્રિય બાપ્પાને વિદાય આપી. આ પ્રસંગે બોલતા રવિ રાણાએ મોટું નિવેદન આપ્યું છે. આગામી 15-20 દિવસમાં મહારાષ્ટ્રમાં મોટો ચમત્કાર થશે. અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ આ સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે શરદ પવાર BJPમાં જોડાઈ શકે છે અને પછી અજિત પવારને CM પદ મળી શકે છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે શરદ પવાર PM નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તે મહત્વનું છે. રવિ રાણાએ કહ્યું કે, આ માટે હું જ્યાં પણ ગયો ત્યાં ભગવાન ગણેશને પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે, શરદ પવારના આગમન સાથે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી એક મજબૂત સરકાર જોવા મળશે.

અપક્ષ ધારાસભ્ય રવિ રાણા DyCM દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. તેમની પત્ની નવનીત રવિ રાણા અમરાવતી લોકસભા બેઠક પરથી સાંસદ છે. રવિ રાણાએ કહ્યું કે, હું છેલ્લા કેટલાક દિવસોમાં ગણેશ પૂજા માટે ઘણા મંડપોમાં ગયો છું. આ દરમિયાન મેં ભગવાનને પ્રાર્થના કરી કે, શરદ પવાર દેશના વિકાસ માટે PM નરેન્દ્ર મોદીને સાથ આપે. તેમણે કહ્યું કે આ ચમત્કાર 15 થી 20 દિવસમાં થશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જો શરદ પવાર તેમની સાથે જોડાય તો અજિત પવાર મહારાષ્ટ્રના CM બની શકે છે.

તેમણે કહ્યું કે, રાજકારણમાં કંઈ પણ શક્ય છે. પહેલા દેવેન્દ્ર ફડણવીસ CM હતા અને તેઓ DyCM બની ગયા. અજિત પવાર વિપક્ષના નેતા હતા અને હવે DyCM બની ગયા છે. CM એકનાથ શિંદે શહેરી વિકાસ મંત્રી હતા, પરંતુ હવે CM બની ગયા છે. તેથી, અજિત પવાર CM બને તે કોઈ મોટી વાત નથી. જો આગામી 15 દિવસમાં શરદ પવાર સાથે આવી જાય તો, અજિત પવાર CM બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિ રાણા અને તેમની સાંસદ પત્ની નવનીતની ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી તે દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. નવનીત રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી, ત્યારપછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Related Posts

Top News

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
Copyright (c) Khabarchhe All Rights Reserved.