15 દિવસમાં મહારાષ્ટ્રમાં શું થવાનું છે, શરદ પવાર હવે શું કરવાના છે?

રાજકારણમાં કશું જ અશક્ય નથી. રાજ્યમાં DyCM અજિત પવાર, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને CM એકનાથ શિંદેની મજબૂત સરકાર છે. જ્યારે, ધારાસભ્ય રવિ રાણાએ દાવો કર્યો હતો કે 15 દિવસમાં કેન્દ્રમાં ફેરફાર થશે.

ધારાસભ્ય રવિ રાણાએ અમરાવતીના છત્રી તળાવ ખાતે પ્રિય બાપ્પાને વિદાય આપી. આ પ્રસંગે બોલતા રવિ રાણાએ મોટું નિવેદન આપ્યું છે. આગામી 15-20 દિવસમાં મહારાષ્ટ્રમાં મોટો ચમત્કાર થશે. અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ આ સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે શરદ પવાર BJPમાં જોડાઈ શકે છે અને પછી અજિત પવારને CM પદ મળી શકે છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે શરદ પવાર PM નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તે મહત્વનું છે. રવિ રાણાએ કહ્યું કે, આ માટે હું જ્યાં પણ ગયો ત્યાં ભગવાન ગણેશને પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે, શરદ પવારના આગમન સાથે રાજ્યથી લઈને કેન્દ્ર સુધી એક મજબૂત સરકાર જોવા મળશે.

અપક્ષ ધારાસભ્ય રવિ રાણા DyCM દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. તેમની પત્ની નવનીત રવિ રાણા અમરાવતી લોકસભા બેઠક પરથી સાંસદ છે. રવિ રાણાએ કહ્યું કે, હું છેલ્લા કેટલાક દિવસોમાં ગણેશ પૂજા માટે ઘણા મંડપોમાં ગયો છું. આ દરમિયાન મેં ભગવાનને પ્રાર્થના કરી કે, શરદ પવાર દેશના વિકાસ માટે PM નરેન્દ્ર મોદીને સાથ આપે. તેમણે કહ્યું કે આ ચમત્કાર 15 થી 20 દિવસમાં થશે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જો શરદ પવાર તેમની સાથે જોડાય તો અજિત પવાર મહારાષ્ટ્રના CM બની શકે છે.

તેમણે કહ્યું કે, રાજકારણમાં કંઈ પણ શક્ય છે. પહેલા દેવેન્દ્ર ફડણવીસ CM હતા અને તેઓ DyCM બની ગયા. અજિત પવાર વિપક્ષના નેતા હતા અને હવે DyCM બની ગયા છે. CM એકનાથ શિંદે શહેરી વિકાસ મંત્રી હતા, પરંતુ હવે CM બની ગયા છે. તેથી, અજિત પવાર CM બને તે કોઈ મોટી વાત નથી. જો આગામી 15 દિવસમાં શરદ પવાર સાથે આવી જાય તો, અજિત પવાર CM બની શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિ રાણા અને તેમની સાંસદ પત્ની નવનીતની ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી તે દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. નવનીત રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી, ત્યારપછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.