કોણ છે મિર્ચી બાબા, જેના પર છે રેપનો આરોપ, હવે ભોપાલ જેલમાં કેદીઓએ કરી પિટાઇ

મધ્ય પ્રદેશમાં ધર્મથી લઈને રાજનીતિ સુધી પોતાની ઘૂસણખોરી ધરાવનાર મહામંડળેશ્વર સ્વામી વૈરાગ્યાનંદ ગિરી ઉર્ફ મિર્ચી બાબા ફરી એક વખત ચર્ચામાં છે. મહિલા ભક્ત સાથે રેપના આરોપમાં સેન્ટ્રલ જેલમાં બંધ મિર્ચી બાબા પર અન્ય કેદીઓએ હુમલો કરી તેને ઇજાગ્રસ્ત કરી દીધો છે. હુમલો 6 દિવસ અગાઉ કરવા આવ્યો હતો, પરંતુ મિર્ચી બાબાના વકીલનો આરોપ છે કે જેલ પ્રશાસને જાણીજોઇને આ ઘટનાને છુપાવી રાખી. વકીલે જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા ઘટનાની CCTV ફૂટેજ પ્રશાસન પાસે માગી છે. આ આરોપો બાદ ફરી એક વખત મિર્ચી બાબા ચર્ચામાં આવી ગયો છે.

વકીલ મુજબ, મિર્ચી બાબા ઉપર 23 મેના રોજ બીજા કેદીઓએ ટી.વી. ચેનલ બદલવાને લઈને વિવાદની આડમાં હુમલો કરી દીધો. તેમણે જણાવ્યું કે, હુમલાની જાણકારી તેને ત્યારે મળી, જ્યારે તે જેલમાં મિર્ચી બાબાને મળવા પહોંચ્યો. મિર્ચી બાબાના હાથ અને માથામાં ઇજા થઈ છે. મિર્ચી બાબાએ તેને જણાવ્યું કે, 3-4 કેદીઓએ ટી.વી. ચેનલ બદલવના કારણે બહેસ શરૂ કરી દીધી અને પછી હુમલો કરી દીધો. જેલ પ્રશાસને આરોપીઓને બીજા બેરકમાં શિફ્ટ કરી દીધા છે. બીજી તરફ આ મુદ્દે અત્યાર સુધી પ્રશાસને કોઈ નિવેદન આપ્યું નથી.

કોણ છે મિર્ચી બાબા?

મિર્ચી બાબાનું અસલી નામ રાકેશ દુબે છે. મિર્ચી બાબા મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના બિરખડી ગામનો રહેવાસી અયોધ્યા પ્રસાદનો ત્રીજા નંબરનો દીકરો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અયોધ્યા પ્રસાદ માલનપુરના મંદિરમાં પૂજારી હતો. તેના 4 દીકરા છે. વર્ષ 1997માં ત્યારે રાકેશ દુબે ઓઇલ મિલમાં મજૂરી કરતો હતો. ત્યારબાદ પોતાની 4 વીઘા જમીન વેચીને ટ્રક ખરીદ્યો, જેને ચલાવવામાં નુકસાન થઈ ગયું અને ટ્રક વેચવું પડ્યું. ત્યારબાદ રાકેશ દુબે અમદાવાદ (ગુજરાત) આવીને એક ખાનગી ફેક્ટ્રીમાં કામ કરવા લાગ્યો. અમદાવાદમાં જ કોઈ સાધુ સાથે સંગતમાં આવીને રાકેશ દુબેએ સંન્યાસ ગ્રહણ કરી લીધો અને નામ બદલીને વૈરાગ્યાનંદ ગિરી થઈ ગયો.

વૈરાગ્યાનંદ ગિરી પોતાના ભક્તોને મિર્ચીની ધૂની આપવાના કારણે લોકો ધીરે ધીરે તેને મિર્ચી બાબા કહેવા લાગ્યા. અલગ-અલગ જગ્યાએ ફરીને ભાગવત કથા કરવા દરમિયાન મિર્ચી બાબાના સંપર્ક કોંગ્રેસના નેતાઓ સાથે વધ્યો. આ દરમિયાન હાઇપ્રોફાઇલ સાધુ બની ગયો. જાણકારો મુજબ, દિગ્વિજય સિંહે જ મિર્ચી બાબાને ભોપાલની મિનલ રેસિડેન્સીમાં લક્ઝરી બંગલો અપાવ્યો હતો. અહીથી મિર્ચી બાબાનો જલવો એવો વધ્યો કે વર્ષ 2018માં પિતાના નિધન પર તેણે 20 હજાર લોકોને ગામમાં તેરમાનું ભોજન આપ્યું. આ ભોજનમાં તાત્કાલીન કોંગ્રેસ સરકારના ઘણા મંત્રી અને ધારાસભ્ય પણ સામેલ થયા હતા.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.