અતિક અહમદે કર્યો ખુલાસો- લોકોમાં ડર રહે એટલે કરાવી ધોળા દિવસે હત્યા

માફિયામાંથી રાજનેતા બનેલા અતિક અહમદ હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ તેના ગુનાઓ સાથે જોડાયેલા એંગલ પર સવાલ કરી રહી છે. આ પૂછપરછમાં અતિક અહમદ પોલીસ સામે પોતાના ગુના કબૂલી રહ્યો છે. આ દરમિયાન તેણે 24 ફેબ્રુઆરીના રોજ કરાવવામાં આવેલા ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસ સામે ઘણા કેસોમાં પોતાની સંડોવણીની કબૂલાત કરી છે. અતિકે પોલીસ સામે માન્યું કે, હત્યાની આખી પ્લાનિંગ તેની હતી અને તેના કહેવા પર જ અસદ આ હત્યાકાંડમાં સામેલ થયો હતો.

અતિકે જણાવ્યું કે, અશરફે શૂટરોની વ્યવસ્થા કરી હતી અને અસદ સાથે બધા શૂટર્સ બરેલી જેલમાં અશરફને મળ્યા હતા અને આ બાબતે આખી પ્લાનિંગ કરી હતી. ઉમેશ પાલની હત્યા કરાવવાના બે કારણો હતા. પહેલું કારણ ઉમેશ પાલ અપહરણ કેસના છેલ્લા સ્ટેજમાં પહોંચી જવાનું. તો બીજું કારણ બતાવતા અતિકે કહ્યું કે, જે પ્રકારે ખુલ્લેઆમ અમારી વિરુદ્ધ બોલી રહ્યો હતો, તેનાથી સમાજમાં ખોટો મેસેજ જઈ રહ્યો હતો. એટલે અમે નક્કી કર્યું હતું કે, જો ઉમેશ પાલને ધોળા દિવસે ન માર્યો તો પછી અમારા નામનો ડર સમાપ્ત થઈ જશે.

અતિકે કહ્યું કે, ઉમેશને તેના ઘર બહાર બંને પોલસકર્મીઓ સાથે મારવાની પૂરી યોજના તેની હતી. આ કાંડ બાદ અલ્લાહબાદના લોકો જાણી ગયા કે અતિક અત્યારે જીવતો છે. રિપોર્ટ્સ મુજબ, પૂછપરછ દરમિયાન જ્યારે અતિકે પાકિસ્તાન અને ISI સાથે જોડાયેલા હોવાની વાત કબૂલી તો પોલીસ દંગ રહી ગઈ. એમ માનવામાં આવી રહ્યું છે જે હવે પાકિસ્તાન એંગલ આવવાના કારણે તપાસનો દાયરો વધી શકે છે. એટલું જ નહીં અતિકની ગેરકાયદેસર હથિયારો બાબતે પૂછપરછ પણ કરી શકાય છે.

દીકરા અસદના મોત બાદ અતિક પૂરી રીતે તૂટી ગયો છે. રિપોર્ટ્સ મુજબ પૂછપરછ દરમિયાન અતિક ઘણી વખત રડ્યો. કહ્યું કે, હવે તો અમે માટીમાં મળી ગયા છીએ. બધી મારી ભૂલ છે. અસદની કોઈ ભૂલ નહોતી. દુનિયાનું સૌથી મોટું દુઃખ પિતાના કાંધ પર જવાન દીકરાનું શબ હોય છે. અસદને ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ ઝાંસીમાં એક ઘર્ષણ દરમિયાન ઠાર કરી દીધો હતો. અસદ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ હતો. CCTVમાં પણ તે કેદ થયો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.