'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને સંબોધતા કહ્યું કે હિન્દુ સમાજે એક મંદિર, એક કૂવો અને એક સ્મશાનના સિદ્ધાંતને અપનાવીને સામાજિક એકતાને મજબૂત બનાવવી જોઈએ.

mohan bhagwat
gujarati.indianexpress.com

મોહન ભાગવતે કહ્યું કે એકતા દ્વારા ભારતની જવાબદારી માત્ર સામાજિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પૂર્ણ કરી શકાય છે. તેમણે બે 'શાખાઓ'માં 'સ્વયંસેવકો' ની મુલાકાત કરી અને ભાર મૂક્યો કે સાચી સામાજિક એકતા વિના આપણે વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરી શકતા નથી.

RSSના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ સમાજનો આધાર "સંસ્કાર" છે, અને સમાજને પરંપરાગત, સાંસ્કૃતિક અને નૈતિક સિદ્ધાંતો પર આધારિત બનાવવો જરૂરી છે.

સમાજના તમામ વર્ગો સાથે જોડાવાની કરી અપીલ

મોહન ભાગવતે 'સ્વયંસેવકો'ને અપીલ કરી કે તેઓ સમાજના તમામ વર્ગો સાથે જોડાવાનો પ્રયાસ કરે અને તેમને તેમના ઘરે આમંત્રિત કરે જેથી એકતા અને સંવાદિતાનો સંદેશ પાયાના સ્તરે ફેલાવી શકાય. તેમણે એમ પણ કહ્યું કે પરિવાર એ સામાજિક એકમનો મૂળભૂત ભાગ છે, જેનાથી 'સંસ્કાર' ના મજબૂત કૌટુંબિક મૂલ્યો પર ઊભો રાખવામાં આવ્યો છે.

mohan bhagwat
deccanherald.com

તહેવારો સાથે મળીને ઉજવવાની કરી અપીલ

RSS પ્રમુખે એવું પણ સૂચન કર્યું કે  સામૂહિક રીતે તહેવારો ઉજવવા જોઈએ જેથી રાષ્ટ્રવાદ અને સામાજિક એકતાના મૂળ મજબૂત બને.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.