'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને સંબોધતા કહ્યું કે હિન્દુ સમાજે એક મંદિર, એક કૂવો અને એક સ્મશાનના સિદ્ધાંતને અપનાવીને સામાજિક એકતાને મજબૂત બનાવવી જોઈએ.

mohan bhagwat
gujarati.indianexpress.com

મોહન ભાગવતે કહ્યું કે એકતા દ્વારા ભારતની જવાબદારી માત્ર સામાજિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પૂર્ણ કરી શકાય છે. તેમણે બે 'શાખાઓ'માં 'સ્વયંસેવકો' ની મુલાકાત કરી અને ભાર મૂક્યો કે સાચી સામાજિક એકતા વિના આપણે વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરી શકતા નથી.

RSSના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ સમાજનો આધાર "સંસ્કાર" છે, અને સમાજને પરંપરાગત, સાંસ્કૃતિક અને નૈતિક સિદ્ધાંતો પર આધારિત બનાવવો જરૂરી છે.

સમાજના તમામ વર્ગો સાથે જોડાવાની કરી અપીલ

મોહન ભાગવતે 'સ્વયંસેવકો'ને અપીલ કરી કે તેઓ સમાજના તમામ વર્ગો સાથે જોડાવાનો પ્રયાસ કરે અને તેમને તેમના ઘરે આમંત્રિત કરે જેથી એકતા અને સંવાદિતાનો સંદેશ પાયાના સ્તરે ફેલાવી શકાય. તેમણે એમ પણ કહ્યું કે પરિવાર એ સામાજિક એકમનો મૂળભૂત ભાગ છે, જેનાથી 'સંસ્કાર' ના મજબૂત કૌટુંબિક મૂલ્યો પર ઊભો રાખવામાં આવ્યો છે.

mohan bhagwat
deccanherald.com

તહેવારો સાથે મળીને ઉજવવાની કરી અપીલ

RSS પ્રમુખે એવું પણ સૂચન કર્યું કે  સામૂહિક રીતે તહેવારો ઉજવવા જોઈએ જેથી રાષ્ટ્રવાદ અને સામાજિક એકતાના મૂળ મજબૂત બને.

About The Author

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.