'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને સંબોધતા કહ્યું કે હિન્દુ સમાજે એક મંદિર, એક કૂવો અને એક સ્મશાનના સિદ્ધાંતને અપનાવીને સામાજિક એકતાને મજબૂત બનાવવી જોઈએ.

mohan bhagwat
gujarati.indianexpress.com

મોહન ભાગવતે કહ્યું કે એકતા દ્વારા ભારતની જવાબદારી માત્ર સામાજિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પૂર્ણ કરી શકાય છે. તેમણે બે 'શાખાઓ'માં 'સ્વયંસેવકો' ની મુલાકાત કરી અને ભાર મૂક્યો કે સાચી સામાજિક એકતા વિના આપણે વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરી શકતા નથી.

RSSના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ સમાજનો આધાર "સંસ્કાર" છે, અને સમાજને પરંપરાગત, સાંસ્કૃતિક અને નૈતિક સિદ્ધાંતો પર આધારિત બનાવવો જરૂરી છે.

સમાજના તમામ વર્ગો સાથે જોડાવાની કરી અપીલ

મોહન ભાગવતે 'સ્વયંસેવકો'ને અપીલ કરી કે તેઓ સમાજના તમામ વર્ગો સાથે જોડાવાનો પ્રયાસ કરે અને તેમને તેમના ઘરે આમંત્રિત કરે જેથી એકતા અને સંવાદિતાનો સંદેશ પાયાના સ્તરે ફેલાવી શકાય. તેમણે એમ પણ કહ્યું કે પરિવાર એ સામાજિક એકમનો મૂળભૂત ભાગ છે, જેનાથી 'સંસ્કાર' ના મજબૂત કૌટુંબિક મૂલ્યો પર ઊભો રાખવામાં આવ્યો છે.

mohan bhagwat
deccanherald.com

તહેવારો સાથે મળીને ઉજવવાની કરી અપીલ

RSS પ્રમુખે એવું પણ સૂચન કર્યું કે  સામૂહિક રીતે તહેવારો ઉજવવા જોઈએ જેથી રાષ્ટ્રવાદ અને સામાજિક એકતાના મૂળ મજબૂત બને.

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.