રામ મંદિર પછી માતા સીતાનું જન્મસ્થળ હવે ભવ્ય બનશે, 72 કરોડના ખર્ચની મંજૂરી

એક તરફ અયોધ્યામાં શ્રી રામલલા જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ પર વિશ્વની નજર છે. તો બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હકીકતમાં જાનકી દેવીનું જન્મસ્થળ બિહારના સીતામઢીમાં આવેલું છે. પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી જ અહીં છે, પરંતુ હવે તેને વિકસાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

બિહાર સરકારે પનૌરા ધામ જાનકી દેવી મંદિરના વિકાસ માટે 72 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મંગળવારે CM નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના પ્રવાસન વિભાગે કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકી હતી. બેઠક વિશે બોલતા, કેબિનેટ સચિવાલયના અધિક મુખ્ય સચિવ S. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, 'કેબિનેટે સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ જાનકી મંદિરના વિકાસ માટે રૂ. 72.47 કરોડ મંજૂર કર્યા છે, અહીં દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી તીર્થયાત્રીઓ આવતા હોય છે.'

આ પ્રોજેક્ટ હેઠળ નીતિશ સરકાર સીતામઢી જિલ્લામાં 'સીતા-વાટિકા', 'લવ-કુશ વાટિકા' વિકસાવશે. આ ઉપરાંત 'પરિક્રમા' માર્ગનું નિર્માણ કરવામાં આવશે. ડિસ્પ્લે કિઓસ્ક, કાફેટેરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા તૈયાર કરવામાં આવશે. કેબિનેટ સચિવના જણાવ્યા અનુસાર, અહીં આવતા તમામ કનેક્ટિવિટી રોડને જોડવામાં આવશે અને આ તીર્થસ્થળને પણ વહેલી તકે વિકસાવવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત, સ્થળની આસપાસ થીમેટિક ગેટ અને પાર્કિંગ વિસ્તારો પણ બનાવવામાં આવશે. આ સિવાય કેબિનેટે ગયાજી ધામમાં શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળાના નિર્માણ માટે 120.15 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપી છે.

ગયાના વિષ્ણુપદ મંદિરમાં દર વર્ષે પિતૃ પક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારે ભીડ રહેતી હોય છે. વિષ્ણુપદ મંદિરમાં લાખો લોકો પિંડદાન વિધિ કરવા આવે છે. તેને જોતા સરકારે 1000 બેડની ધર્મશાળા બનાવવાનો નિર્ણય લીધો છે.

પટનાના મહાવીર મંદિરના વડા આચાર્ય કિશોર કુણાલે પણ ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે, આ કામ પહેલા થઈ જવું જોઈતું હતું, કારણ કે માતા સીતા વિના ભગવાન રામ અધૂરા છે. તેમણે કહ્યું કે, સીતામઢીની ઘણી ઉપેક્ષા કરવામાં આવી છે. હવે સમય આવી ગયો છે કે, રામ મંદિરના નિર્માણની સાથે સાથે સીતામઢીમાં ભવ્ય મંદિરનું નિર્માણ પણ શરૂ કરવામાં આવે, જેથી અયોધ્યા અને સીતામઢી વિશ્વના નકશા પર આધ્યાત્મિક શહેર તરીકે સ્થાપિત થઈ શકે. કિશોર કુણાલનું કહેવું છે કે, રામ રસોઈ મહાવીર મંદિર તરફથી અયોધ્યામાં ચલાવવામાં આવી રહી છે, જ્યારે સીતામઢીમાં સીતા રસોઈ ચલાવવામાં આવી રહી છે. અહીં આવતા ભક્તોને પ્રસાદ તરીકે સીતા રસોઈમાંથી ભોજન પીરસવામાં આવે છે. તેમણે કહ્યું કે, સીતામઢીમાં ભવ્ય જાનકી મંદિરના નિર્માણથી તે ગૌરવ ફરી પ્રાપ્ત થશે, જે ક્યાંકને ક્યાંક ભુલાવી દેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.