કંઝાવાલા કેસની મુખ્ય સાક્ષી નિધિ 2 વર્ષ પહેલાં 10 કિલો ગાંજા સાથે પકડાઈ હતી

દિલ્હીના હીટ એન્ડ રન કેસમાં નવો ખુલાસો થયો છે. કાર અને સ્કુટીની ટક્કરમાં સ્કુટી ચલાવનાર અંજલિંને કાર ચાલકો 12 કિ.મી.સુધી ઘસડી ગયા હતા. અંજલિની મિત્ર નિધી આ ઘટનાની મુખ્ય સાક્ષી હતી. અંજલિ અકસ્માત થયા પછી ભાગી છુટી હતી.

દિલ્હીના કંઝાવાલા કેસની મુખ્ય સાક્ષી નિધિ વિશે મોટો ખુલાસો થયો છે. આગ્રા, યુપીમાં, જીઆરપીએ એક વર્ષ પહેલા એટલે કે 2020 માં ડ્રગ સ્મગલિંગ કેસમાં નિધિની ધરપકડ કરી હતી. તેની સાથે અન્ય બે છોકરાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. નિધિ એક મહિનાથી જેલમાં હતી. બાદમાં જામીન પર બહાર આવી હતી. જિલ્લા અને સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

પોલીસ રેકોર્ડ મુજબ નિધિ દિલ્હીથી તેલંગાણાના સિકંદરાબાદમાં ડ્રગ્સની દાણચોરી માટે ગઈ હતી. ત્યાંથી તે તેના બે સાથી સમીર અને રવિ સાથે ટ્રેનમાં આગ્રા આવી હતી.આ ઘટના ડિસેમ્બર 2020ની છે. નિધિ આગ્રા કેન્ટ સ્ટેશન પર સમીર અને રવિ સાથે પ્લેટફોર્મ નંબર 2/3 પર ટ્રેનમાંથી ઉતરી. સવારે 10.55 વાગ્યે RPF અને આગ્રા કેન્ટ જીઆરપીની ટીમ સ્ટેશન પર ચેકિંગ કરી રહી હતી.

દરમિયાન પોલીસની ટીમે નિધિ, રવિ અને સમીરને જોતા જ ત્રણેય ભાગવા લાગ્યા હતા. આ પછી પોલીસને શંકા ગઈ અને ત્રણેયનો પીછો કરીને તેમને પકડી લીધા. પોલીસે ત્રણેયની તલાશી લેતા તેમના કબજામાંથી 10-10 કિલો ગાંજા મળી આવ્યો હતો.

પોલીસના હાથે ઝડપાયા બાદ ત્રણેયએ જણાવ્યું કે તેઓ સિકંદરાબાદ ,તેલંગાણાથી ટ્રેનમાં ગાંજાના કન્સાઈનમેન્ટ લઈને આગ્રા આવ્યા હતા. અહીંથી તે ગાંજા સાથે રોડ માર્ગે દિલ્હી જવાના હતા. નિધિએ એ જણાવ્યું કે તે દિલ્હીના રહેવાસી દીપકની સલાહ પર ગાંજાની ખેપ લાવી હતી. જ્યારે રવિ અને સમીરે પોતે ગાંજા વેચવાની વાત કરી હતી. જીઆરપીએ ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે નિધિ સહિત ગાંજાની દાણચોરીના અન્ય બે આરોપીઓને પણ જેલમાં મોકલી દીધા હતા.

15 ડિસેમ્બર 2020ના રોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ-13ની કોર્ટમાં નિધીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તે પછી, 8 જાન્યુઆરી, 2021 ના રોજ, નિધિને જેલમાંથી જામીન પર છોડવામાં આવી હતી. ત્યારથી નિધિ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહી ન હતી. જિલ્લા સરકારના એડવોકેટ બસંત ગુપ્તાએ જણાવ્યું હતું કે FIR મુજબ, નિધિ દિલ્હીના સુલતાનપુરી ઝૂંપડપટ્ટી નંબર 1ની રહેવાસી છે.

જીઆરપીએ નિધિ સહિત 3 લોકોની NDPS એક્ટની કલમ 8 અને  20 હેઠળ કેસ નોંધાયેલો હતો. જીઆરપી,આગ્રા કેંટના વિજય સિંહએ જણાવ્યું કે સતપાલ વાલ્મિકીની પુત્રી નિધી અને તેની સાથેના 2 યુવાનો સમીર અને રવિની ધરપકડ કરવામાં આવી હતી.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.