ભત્રીજીનો આરોપ- રિવોલ્વર કાકીએ કરી લીધો ઘર પર કબજો, કરાવવા માગે છે..’

દિલ્હી નજીક ગ્રેટર નોઇડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ‘રિવોલ્વર કાકી’ પર તેની ભત્રીજીએ પરિવારને જીવથી મારવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે તે ભત્રીજી પર વૈશ્યાવૃત્તિના ધંધામાં સામેલ થવા માટે દબાવ બનાવી રહી છે. એમ ન કરવા પર પરિણામ ભોગવવાની પણ ધમકી આપી છે. પીડિતાની ફરિયાદ પર FIR નોંધીને પોલીસ તપાસ કરી રહી છે. એક યુવતી પોતાના પરિવાર સાથે જેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે.

21 વર્ષીય યુવતીએ જેવર પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું કે, તેના પિતા પોતાના પરિવાર સાથે એ વિસ્તારમાં રહે છે. 3 વર્ષ અગાઉ કામના સિલસિલામાં તે પરિવાર સહિત ગુજરાતમાં જઈને રહેવા લાગી હતી. ઘરથી જતી વખત મકાનમાં તાળું લગાવીને ગયા હતા, જેમાં કિંમતી સામાન રાખ્યો હતો. 3 વર્ષ બાદ જ્યારે પરિવાર સાથે પોતાના પૈતૃક ઘર પહોંચી તો જોયું કે રૂમનું તાળું તોડીને બધો કિંમતી સામાન કાકી સીમા, કાકા દિનેશ અને રિવોલ્વર કાકી અન્નૂ અને તેના પતિ જગદીશે લઈ લીધો છે. સાથે જ મકાન પર પણ કબજો કરી લીધો.

પીડિત યુવતીનો આરોપ છે કે તેની બે કાકીઓએ તેના પૈતૃક મકાન પર કબજો કરી લીધો છે. હવે કાકી રિવોલ્વર સાથે ફોટો મોકલીને તેને વૈશ્યાવૃત્તિના ધંધામાં સામેલ કરવા માગે છે. વિરોધ કરવા પર પરિવારને જીવથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. પીડિતાએ જણાવ્યું કે, જ્યારે તેણે આ બાબતની ફરિયાદ પોલીસને કરી તો પોલીસે પારિવારિક વિવાદ બતાવીને પોતાને સાઇડ કરી લીધી. બંને કાકીઓ તેના પૈતૃક મકાનને છોડવા તૈયાર નથી. તેના કારણે તેનો પરિવાર ઠેર ઠેર ભટકી રહ્યો છે. પાર્કમાં રાત પસાર કરવા મજબૂર છે.

જેવર પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ પ્રતાપે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાના મકાન પર કોઈએ કબજો કર્યો નથી. પીડિતાનો તેના પરિવાર સાથે વહેંચણીને લઈને પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.