ખુરશી પર ફેવિકોલ લગાવીને બેસ્યા છે નીતિશ કુમાર, પ્રશાંત કિશોરનું CM પર નિશાન

બિહારમાં એકવાર ફરી મહા ગઠબંધનની સરકાર બન્યા પછી રાજનૈતિક ગલીઓમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. આ દરમિયાન નેતાઓ એક-બીજા પર નિશાન સાધી રહ્યા છે. BJPની સાથે-સાથે હવે ચૂંટણી વિશ્લેષક પ્રશાંત કિશોરે પણ બિહારની નવી સરકાર પર નિશાનો સાધ્યો છે, તેમને મુખ્યમંત્રી નીતિશ કુમારના 20 લાખ નોકરીઓના વચનનો મજાક ઉડાવ્યો છે. નીતિશ કુમારે મહા ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રીના પદની શપથ લીધા પછી વચન આપ્યું હતું કે, બિહારના યુવાઓને 20 લાખ નોકરીઓની ભેટ આપવામાં આવશે.

પ્રશાંત કિશોર ઉડાવ્યો નીતિશના વચનનો મજાક

નીતિશ કુમારે કહ્યું હતું કે, બિહારમાં ઓછામાં ઓછી 10 લાખ સરકારી નોકરીઓ અને અન્ય 10 લાખ માટે ‘રોજગારની તકો’ નિર્માણ કરવામાં આવશે. નીતિશના નોકરીના વચન પર ટીકા કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો સરકાર આગામી બેથી ત્રણ વર્ષોમાં 5 થી 10 લાખની વચ્ચે પણ રોજગારની તકો નિર્માણ કરે છે, તો તે પોતાનું ‘જન સૂરજ અભિયાન’ સમાપ્ત કરી દેશે. તેમણે કહ્યું કે, હું તેમને (નીતિશ કુમાર) નેતા માની લઈશ.’

‘હજુ અનેક વાર બિહારની રાજનીતિ ફરશે’

પોતાના ‘જન સૂરજ અભિયાન’ હેઠળ સમસ્તીપુર પહોંચેલા પ્રશાંત કિશોરે બુધવારે મહા ગઠબંધન સરકાર પર જબરદસ્ત નિશાનો સાધ્યો છે. તેમને કહ્યું કે, ‘જે નિમણૂક પામેલા શિક્ષક શાળાઓમાં ભણાવી રહ્યા છે, તેમને તો સમયસર સરકાર સેલેરી આપી નથી રહી તો નવી નોકરીઓ ક્યાંથી આપી શકશે?’

પ્રશાંત કિશોરે દાવો કરતા કહ્યું કે, ‘આગામી સમયમાં રાજનૈતિક ઉથલ-પાથલ થશે, અત્યારે અમને આવીને 3 મહિના જ થયા અને બિહારની રાજનીતિ 180 ડિગ્રી ફરી ગઈ, આગામી વિધાનસભા ચૂંટણી આવતા-આવતા હજુ અનેક વાર બિહારની રાજનીતિમાં બદલાવ થશે.’

‘ફેવિકોલ લગાવીને ખુરશી પર બેસ્યા નીતિશ’

તેને નિશાનો સાધતા કહ્યું કે, ‘નીતિશ કુમાર ફેવિકોલ લગાવીને પોતાની ખુરશી પર બેસી ગયા છે અને અન્ય પાર્ટીઓ અહીંથી ત્યાં થતી રહી છે.’ પ્રશાંત કિશોરે કહ્યું કે, જનતાએ આ સરકારને વોટ નથી આપ્યો હતો, આ સરકાર જુગાડ પર ચાલી રહી છે, આને જનતાનો વિશ્વાસ પ્રાપ્ત નથી. તેમને વર્ષ 2005 થી 2010 ની વચ્ચેની NDA સરકારના કામની પણ પ્રશંસા કરી હતી.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.