ભારતના આ શહેરમાં નોરોવાયરસનો વિસ્ફોટ, 19 વિદ્યાર્થીઓ સંક્રમિત, ઓનલાઈન ક્લાસ શરૂ

દેશ અને દુનિયામાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી તરફ દેશમાં નોરો વાયરસના એક સાથે 19 કેસ સામે આવતા સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેરળના અર્ણાકુલમમાં એક સાથે 19 વિદ્યાર્થીઓ નોરોવાયરસથી સંક્રમિત થયા છે. સાવચેતીના ભાગ રૂપે ત્યાં ઓનલાઇન ક્લાસ શરૂ કરાયા છે. આ પહેલા પણ કેરળમાં આ વાયરસના કેસ સામે આવ્યા છે. પરંતુ એકસાથે આટલી મોટી સંખ્યામાં બાળકોને ચેપ લાગવાથી તણાવ વધી ગયો છે.

કેરળમાં નોરોવાયરસના વધી રહેલા કેસોએ રાજ્ય સરકારને ચિંતામાં મૂકી દીધી છે. અગાઉ માત્ર બે કેસ નોંધાયા હતા, હવે અર્ણાકુલમમાં 19 વિદ્યાર્થીઓ નોરોવાયરસથી સંક્રમિત થયા છે. આ વાયરસથી ઘણા વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શાળા પ્રશાસન ચિંતામાં મુકાઈ ગઇ છે. સાવચેતી રાખીને એકથી પાંચમા ધોરણ સુધીના વર્ગો ઑનલાઇન મોડમાં શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તેના સ્તરે વધુ પગલાં લેવા જઈ રહી છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કેરળમાં નોરોવાયરસનો પહેલો કેસ નવેમ્બર 2021માં સામે આવ્યો હતો. ત્યારબાદ વાયનાડમાં એક વેટરનરી કોલેજના 13 વિદ્યાર્થીઓ આ વાયરસથી સંક્રમિત થયા હતા. ઉલ્ટી અને ઝાડા આ વાયરસના મુખ્ય લક્ષણો છે. નોરોવાયરસથી કોઈ વ્યક્તિ તેના જીવનકાળમાં ઘણી વખત સંક્રમિત થઈ શકે છે. કારણ કે તેના ઘણા પ્રકાર છે. ઉલ્ટી, ઝાડા, પેટમાં દુઃખાવો અને ઉબકા તેના મુખ્ય લક્ષણો છે. ક્યારેક દર્દીને તાવ, માથાનો દુઃખાવો અને શરીરના દુઃખાવાની ફરિયાદ પણ થઈ શકે છે. જો આ વાયરસથી ચેપ લાગે છે, તો પેટ અથવા આંતરડામાં બળતરા થઈ શકે છે. ચેપ લાગ્યાના 12 થી 48 કલાક પછી તેના લક્ષણો દેખાવા લાગે છે. એકથી ત્રણ દિવસમાં તેનાથી રાહત પણ મળવા લાગે છે.

અહીં એ સમજવું જરૂરી છે કે, નોરોવાયરસ બગડેલા ખોરાક અને પાણી દ્વારા ફેલાઈ શકે છે. બીજી તરફ આજુબાજુ ગંદકીના ઢગલા હોય, ગટરની સફાઈ ન થાય તો પણ નોરોવાયરસ ફેલાવાનો ભય રહે છે. નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. ડૉક્ટર્સ કહે છે કે, જો કોઈને નોરોવાયરસનો ચેપ લાગે છે તો તેણે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ. તેનું કારણ એ છે કે આ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, નાના બાળકોમાં આ વાયરસ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. બીજી તરફ, જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કોઈ રોગથી પીડિત હોય, તો તેનામાં લક્ષણો વધુ દેખાઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.