અમારું ચૂંટણી ચિહ્ન ચોરાયું છે, ગલીએ-ગલીએ જઇને લોકોને જણાવો: ઉદ્ધવ ઠાકરે

ચૂંટણી પંચમાં શિવસેનાના નિયંત્રણ માટેની લડાઈ હારી ગયા બાદ ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી ખાતે તેમના ગ્રુપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ માતોશ્રીની બહાર એકત્ર થયેલા સમર્થકોને સંબોધતા ઉદ્ધવે તેમને સંદેશ આપ્યો કે અમારું ચૂંટણી ચિન્હ ચોરાઈ ગયું છે, એવું  લોકોને જણાવો. તેમણે શિંદે જૂથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ પોતાના ગ્રુપના નેતાઓ સાથે બેઠક કર્યા પછી માતોશ્રીના બહાર ઉભેલા સમર્થકોને સંબોધમ કરતી વખતે ભાવૂક અપીલ કરી હતી સાથે એકનાથ શિંદેને ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો. ઠાકરેએ કહ્યુ કે, મહાશિવરાત્રીના એક દિવસ પહેલા અમારા ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણની ચોરી થઇ છે, તમે અમારા ધનુષ બાણ ચોરી લીધા છે.

ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે ગ્રુપનું નામ લીધા વિના પડકાર ફેંક્યો કે તેઓ તેની સાથે વધુ ચૂંટણી લડે. આ દરમિયાન તેમણે પોતાના નવા ચૂંટણી ચિન્હનો પણ સંકેત આપ્યો અને કહ્યું કે હવે તેઓ મસાલા લઈને આવશે. તમારા સમર્થનથી અમે તેમને હરાવીશું અને ફરીથી ભગવો ધ્વજ લહેરાવીશું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાના સમર્થકોમાં જોશ ભરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, આપણે ફરી એકવાર રાજ્યમાં આપણી શિવસેના ગ્રુપના મુખ્યમંત્રી બનાવવાના છે.

ઉદ્ધવ ઠાકરેએ સમર્થકો સાધે સીધો સંવાદ સ્થાપિત કરીને કહ્યુ હતું કે શું તમારામાં હિંમત છે? શું તમને મારા પર વિશ્વાસ છે? ઠાકરેએ ભાજપ અને PM મોદી પર  નિશાન સાધીને કહ્યું હતું કે, આજે તેમની હાલત એવી છે કે તેમણે બાલાસાહેબ ઠાકરેના નામનો સહારો લેવો પડે છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી એવું વિચારે છે કે શિવસેનાને સમાપ્ત કરી દઇશું, પરંતુ શિવસેના ક્યારેય સમાપ્ત થવાની નથી.

ઠાકરેએ કહ્યું કે, હું સરકારી અમલદારોને કહેવા માંગુ છું કે જનતા નિર્ણય લેશે કે શિવસેના કોની છે. જનતા મસાલને પણ હટાવી શકે છે. તેમણે સમર્થકોને કહ્યું હતું કે, ગલી-ગલી, ઘર –ઘર જઇને લોકોને કહો કે અમારું ચૂંટણી ચિહ્ન ચોરાઇ ગયું છે.

ઉદ્ધવ ઠાકરેના સંબોધન પહેલા એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેમના નેતૃત્વ હેઠળનું ગ્રુપ ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સભા પછી સમર્થકોને સંબોધિત કર્યા ત્યારે તેમણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે જૂથને ધનુષ્ય અને તીર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો પડકાર ફેંક્યો.

ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાના સમર્થકોની સામે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ મસાલથી લડશે. તેમણે સમર્થકોને નવા પ્રતીક સાથે ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનો સંદેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શિવસેનાના નામ અને ચિહ્ન પર એકનાથ શિંદેની આગેવાની હેઠળના ગ્રુપના દાવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે તેઓ આવતીકાલે એટલે કે 19 ફેબ્રુઆરીએ ફેસબુક લાઈવ કરશે. તેમણે કહ્યું કે જ્યારે પણ પ્રતીકને લઈને ઝઘડો થયો ત્યારે તે કોઈને આપવામાં આવ્યો ન હતો. તેમણે ભાવુક થઈને સમર્થકોને કહ્યું કે હું તમને કંઈ આપી શકું તેમ નથી. મારા હાથ ખાલી  છે.. તેમણે કાર્યકરોને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા જણાવ્યું હતું.

Related Posts

Top News

ગુજરાત સરકાર 'એકતાના પ્રતીક' તરીકે કચ્છમાં સરહદ નજીક ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવશે

ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જે સફળ રહ્યું હતું. હવે ગુજરાત સરકારે...
Gujarat 
ગુજરાત સરકાર 'એકતાના પ્રતીક' તરીકે કચ્છમાં સરહદ નજીક ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવશે

‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

અમેરિકન અબજપતિ અને ટેસ્લાના CEO એલન મસ્કના પિતા એરોલ મસ્ક ભારત આવ્યા છે. સોમવારે તેમણે સનાતન ધર્મની પ્રશંસા કરતા તેને...
Business 
‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્ય પોલીસ દળમાં અનેક જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. CM ...
National 
યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

બેસ્ટ સેલિંગ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક અને પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર નવી...
Business 
'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.