નવી દિલ્હી સ્ટેશને મહિલાનું એવી રીતે મોત થયું કે તંત્ર પર ગુસ્સો આવી જશે

નવી દિલ્હી રેલવે સ્ટેશને રેલવેની જીવલેણ લાપરવાહી સામે આવી છે, જેને કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જાણવા મળેલી વિગત મુજબ એક મહિલા રેલવે સ્ટેસન તરફ જઇ રહી હતી, તે સમયે વરસાદને કારણે સ્ટેશન પાસે પાણી ભરાયા હતા. રસ્તામાં ભરાયેલા પાણીથી બચવા માટે મહિલાએ નજીકના એક વીજ થાંભલાનો સહારો લીધો તો કરંટનો મોટો ઝટકો લાગ્યો. લોકોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ તેણીનું મોત થઇ ગયું હતું. હવે રેલવેની સાથે પોલીસ તપાસમાં લાગી છે.

જાણવા મળેલી માહિતી મુજબ દિલ્હીના પ્રીત વિહારમાં રહેતી સાક્ષી આહૂજા નામની મહિલા સવારે સાડા પાંચ વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. તેની સાથે અન્ય બે મહિલાઓ અને 3 બાળકો હતા. સાક્ષીને શતાબ્દી ટ્રેનથી ભોપાલ જવાનું હતું. નવી દિલ્હીમાં રાતથી જ મૂશળધાર વરસાદ પડતો હતો, એટલે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.

એ સમયે સાક્ષીએ પાણીથી બચવા માટે વીજળીનો થાંભલો પકડી લીધો હતો અને તેમાંથી કરંટ પસાર થઇ જતા સાક્ષી ત્યાં જ ઢળી પડી હતી. લોકો હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સાક્ષીનું મોત થઇ ગયું હતુ.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વીજળીના થાંભલા  પર ઈલેક્ટ્રીક વાયર ખુલ્લા હતા જેના કારણે કરંટ આવ્યો. જ્યારે મહિલાએ થાંભલાને સ્પર્શ કર્યો ત્યારે તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો. હાલ પોલીસે કેસ નોંધી લીધો છે. રેલવેની સાથે સાથે પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે કે કોની બેદરકારી હતી? માહિતી મળ્યા બાદ ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, કેસની તપાસ ચાલી રહી છે.

ઉત્તર રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) દીપક કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક તપામાં  એવું લાગે છે કે વરસાદના કારણે પાણી  ભરાઇ જતા કરંટ લાગવાને કારણે આ ઘટના બની છે.એવું લાગે છે કે ઇન્સ્યુલેશન ફેઇલરને કારણે કેબલમાંથી કરંટ લીક થયો હતો. રેલવેની કાર્ય વ્યવસ્થામાં કોઈ ઉણપ નથી. આવી ઘટના ફરી ન બને તે માટે તપાસ કરવામાં આવી રહી છે અને દિલ્હી ડિવિઝનમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનામાં દિલ્હી પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે, 25 જૂને એક્ઝિટ-1 એનડીઆરએસની પાસે એક મહિલાને કરંટ લાગ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ ત્યાં પહોંચી ત્યારે સાક્ષી અહૂજા નામની મહિલા બેહોશ પડી હતી. સાક્ષીની બહેન માધવી હોસ્પિટલ લઇ ગઇ હતી, પરંતુ તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી. માધવીએ લાપરવાહીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.