ગુજરાતી એક્ટર જય ભાનુશાળીની દીકરીએ નમાજ અદા કરી, લોકો ભડક્યા, પત્નીએ આપ્યો જવાબ

જય ભાનુશાળી અને માહી વિજની દીકરી તારાનો લેટેસ્ટ વીડિયો જોઈને લોકો નારાજ થઈ રહ્યા છે. હકીકતમાં, તારા આ વીડિયોમાં નમાજ અદા કરતી જોવા મળે છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આ જોઈને ચોંકી ગયા છે. માહી વિજની દીકરી તારાના આ વીડિયો પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યકત કર્યો છે.

જય ભાનુશાલી અને માહી વિજ એવા માતા-પિતા નથી કે જેઓ તેમના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. માહી અવારનવાર ફેન્સ સાથે તેની લાડલી દીકરીની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે તેની પુત્રી તારાનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે અને આ લેટેસ્ટ વિડિયો એ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે. 'Shukran Allah'  લોકો આ વીડિયો પર નેગેટિવ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Tara ?? (@tarajaymahhi)

આ વીડિયોમાં તારા જમીન પર બેસીને નમાજ અદા કરતી જોવા મળી રહી છે. ક્યારેક તે જમીન પર માથું નમાવતી જોવા મળે છે તો ક્યારેક તે તેના બંને હાથ વડે આંખો ઢાંકી રહી છે. નમાજ અદા કરવા માટે એક્ટિંગ કરતી તારાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો આલોચના કરી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

એક યુઝરે કહ્યું, 'દીકરીને તમારા નાટકનો હિસ્સો ન બનાવો.' એકે કહ્યું, મને તારાના દરેક વીડિયો આજ સુધી ગમ્યા છે, પરંતુ આ બેકાર અને નિરાશાજનક છે, તમે તમારી દીકરીને આ બધું શીખવી રહ્યા છો. એક યૂઝરે કહ્યું કે, બધા ધર્મનું સન્માન કરો, પરંતુ  એ ધર્મમાં જીવો જ ધર્મમાં તમારો જન્મ થયો છે. અન્ય એક યુઝરે કહ્યું કે,બીજા ધર્મ વિશે શીખવવું ખૂબ જ સારું છે, પરંતુ તે પહેલા  આપણા ધર્મ અને વેદ વિશે શિખવાડવું જોઇએ, શું ડ્રામા છે.

જો કે, આ વીડિયો પર એવા ઘણા લોકોએ પણ કોમેન્ય  કરી છે અને કહ્યું છે કે આ માહી તેની પુત્રીને ઉછેર આપી રહી છે, દરેકે આ વિડીયોમાંથી કંઈક શીખવું જોઈએ અને જો માતાઓ પોતાના બાળકોને નાનપણથી જ દરેક ધર્મનું સન્માન કરવાનું શીખવે છે તો તેઓ મોટા થઈને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ ન કરે.

તારાની માતા માહી વિજે તેની પુત્રીના વિડિયોની ટીકા કરનારાઓને જવાબ આપતા અન્ય એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં તે પોતાની પુત્રી સાથે મંદિરમાં જોવા મળી રહી છે. માહીએ લખ્યું છે કે, આ તે બકવાસ લોકો માટે છે જેમણે ધર્મની મજાક ઉડાવી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Tara ?? (@tarajaymahhi)

માહીએ લખ્યું કે તમે ઇચ્છો તો તારાને અનફોલો કરી શકો છો, તારાને હેટર્સની જરૂરત નથી. એક મા તરીકે હું સારી રીતે જાણું છું કે મારા બાળકને હું શિખવી રહી છું.નાની વિચારધારા ધરાવતા લોકોને ગુડલક, જિંદગી જીવવા દો. આટલા બધા નફરત કરનારાઓ જોઇને દુખ થાય છે અને મારી દીકરીની ચિંતા ન કરો, તમારા બાળકોને શિખવાડો.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.