ફરી ખતરનાક થયો કોરોના, રાજસ્થાનના CM ગેહલોત અને પૂર્વ CM વસુંધરા થયા પોઝિટિવ

દેશમાં કોરોના ફરી એકવાર પોતાનું ઘાતક રૂપ લેતો દેખાઈ રહ્યો છે. સામાન્યથી લઈને ખાસ લોકો પણ હવે તેનાથી સંક્રમિત થવા માંડ્યા છે. આ એ જ સમય છે જ્યારે વર્ષ 2020 અને 21માં કોરોનાએ ખતરનાક રૂપ લઈ લીધુ હતું અને તેણે આધુનિકતાના દમ ભરનારા વ્યક્તિઓને અસલી હકીકતથી વાકેફ કરાવી દીધા હતા. લાખો લોકો માર્યા ગયા અને હજારો પરિવાર બરબાદ થઈ ગયા. હવે એકવાર ફરીથી માથુ ઉઠાવતો કોરોના સવાલ ઊભા કરી રહ્યો છે કે શું આપણે તેની સામે લડવા માટે તૈયાર છીએ કે નહીં.

ભારતમાં છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્રના આંકડા તો ડરાવનારા છે. તેમજ આ બધા વચ્ચે સમાચાર આવ્યા છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્યના જ પૂર્વ CM વસુંધરા રાજે પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. બંને નેતાઓએ ટ્વીટ કરીને આ જાણકારી લોકો સાથે શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, કાલે જ અશોક ગેહલોત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે સૂરત આવ્યા હતા.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક દિવસોમાં કોવિડના મામલા સતત વધી રહ્યા છે. હું પોતે પણ હળવા લક્ષણોની સાથે કોવિડથી સંક્રમિત થઈ ગયો છું. ડૉક્ટરોની સલાહ અનુસાર આવનારા થોડાં દિવસ મારા નિવાસ સ્થાનેથી જ કાર્ય ચાલુ રાખીશ. તમે બધા સાવધાની રાખજો તેમજ કોવિડ પ્રોટોકોલનું પાલન કરો.

તો બીજી તરફ BJP નેતા અને રાજ્યના પૂર્વ CM વસુંધરા રાજે પણ કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. તેમણે પણ ટ્વિટ કરતા કહ્યું કે, કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિકિત્સકોની સલાહ પર હું પૂર્ણરૂપથી ઓઇસોલેશનમાં છું. જે લોકો મારા સંપર્કમાં રહ્યા, તેઓ પણ પોતાની મેડિકલ તપાસ કરાવે અને સાવધાની રાખે.

જણાવી દઇએ કે, વસુંધરા રાજે 2 એપ્રિલના રોજ જ જયપુર સ્થિત BJP ના રાજ્ય મુખ્યાલય પર આયોજિત પાર્ટીની બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠકમાં રાજ્ય BJP પ્રમુખ સહિત સંગઠનના ઘણા મોટા નેતા સામેલ થયા હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.