BJPના પોસ્ટર પર PM મોદી,નેતાઓ સાથે રામ મંદિરની તસવીર,કોંગ્રેસની ફરિયાદ પર હંગામો

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 17મી નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પહેલા BJPએ પ્રચાર માટે ભોપાલ અને ઈન્દોરમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણના હોર્ડિંગ્સ લગાવ્યા છે. હોર્ડિંગ્સ પર લખેલું છે, 'ભવ્ય રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે, આ વખતે ફરી BJP સરકાર.' કોંગ્રેસે આ હોર્ડિંગ્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને BJP વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જ્યારે, BJPનું કહેવું છે કે, હોર્ડિંગ્સ હટાવવામાં આવશે નહીં, પરંતુ કોંગ્રેસે જણાવવું જોઈએ કે, રામ મંદિર પર તેનું શું વલણ છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ કોંગ્રેસનો આરોપ છે કે, ચૂંટણી પહેલા શહેરોમાં રામ મંદિરના પોસ્ટર લગાવવા એ આદર્શ આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા કોંગ્રેસના પ્રદેશ સચિવ રાકેશ સિંહ યાદવે કહ્યું કે, 'ઈંદોરમાં રામ મંદિરના પોસ્ટરો સાથે BJP નેતાઓના ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જ્યારે મંદિર દરેકનું છે. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસે BJPના નેતાઓ સામે FIR નોંધવાની માંગ કરી છે.'

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 28 ઓક્ટોબરે મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી રહી છે. પ્રિયંકાએ આ મુદ્દે કહ્યું કે, BJP વિચારે છે કે ચૂંટણી સમયે ધર્મની વાત કરવાથી તેમની નાવ પાર થઈ જાય છે. BJP વિકાસની વાત કરતી નથી. તે વોટ માટે ધર્મનો મુદ્દો ઉઠાવીને લોકોની ભાવનાઓ સાથે રમત રમે છે.

કોંગ્રેસના આરોપો પછી મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસે ફરિયાદ કરી છે, તેઓને તેમાં વાંધો શું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, 'સૌથી પહેલા હું પ્રિયંકાજીને આ સવાલ પૂછવા માંગુ છું, ભગવાન રામ અને ભગવાન રામના મંદિરને લઈને તમને શું સમસ્યા છે? કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે, ભગવાન રામના મંદિર અને મહાકાલના પોસ્ટરો હટાવવા જોઈએ. પણ રામ તો દરેકના રોમ રોમમાં વસેલા છે. ભગવાન રામ વિના આ દેશનું કામ ચાલી શકે નહીં. રામ હોય, મહાકાલ હોય, આને ક્યાંયથી હટાવી શકાય નહીં, પરંતુ કોંગ્રેસે જણાવવું જોઈએ કે, તેમનો દૃષ્ટિકોણ શું છે.'

કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રદેશ BJP અધ્યક્ષ VD શર્માએ કહ્યું કે, કોંગ્રેસને બેનરો કે હોર્ડિંગ્સથી કોઈ સમસ્યા નથી પરંતુ તેમને ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની સમસ્યા છે. સનાતન પ્રત્યે કોંગ્રેસની નફરતનું સ્તર એટલું વધી ગયું છે કે, રામ મંદિરની તસવીરોથી પણ સમસ્યા થવા લાગી છે.

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. મંદિરના ભોંયતળિયાનું બાંધકામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાનું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.