497 કરોડની પેનલ્ટી, 23 કિલો સોનું… પિયુષ જૈનના કેસનું આખરે શું થયું?

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના આવાસો પર ઇનકમ ટેક્સ વિભાગે 351 કરોડની રોકડ જપ્ત કરી છે. આ છાપેમારીની કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશનાના અત્તરના કારોબારી પીયુષ જૈનનો કેસ પણ ચર્ચામાં આવી ગયો છે. બરાબર 2 વર્ષ અગાઉ GST ઇન્ટેલિજેન્સ મહાનિર્દેશક (DGGI)એ પિયુષ જૈનના આવાસો પર એક સાથે છાપેમારી કરી હતી અને 197 કરોડ રૂપિયાની રોકડ, 23 કિલો સોનું અને અન્ય વહુમૂલ્ય વસ્તુઓને જપ્ત કરી હતી.

આ કેસમાં કારોબારી પૂરી રીતે ફસાઈ ગયો છે. રોકડ અને ઘરેણાં પાછા મળવાની વાત તો દૂર, તપાસ એજન્સીએ બેગણી એટલે કે 497 કરોડની પેનલ્ટીની નોટિસ પકડાવી ચૂકી છે. એટલું જ નહીં ઇનકમ ટેક્સ પણ જલદી જ પેનલ્ટી લગાવશે. GDDIની અમદાવાદ શાખાએ ડિસેમ્બર 2021માં કાનપુર અને કન્નોજમાં પિયુષ જૈનના આવાસો પરથી 196.54 કરોડ રૂપિયાની રોકડ, 23 કિલો સોનું અને 600 કિલો ચંદનનું તેલ જપ્ત કર્યું હતું. આ કેસમાં એજન્સી તરફથી કાનપુર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હાઇ કોર્ટના આદેશ પર પિયુષ ગોયલને સપ્ટેમ્બર 2022માં જામીન મળી ચૂક્યા છે.

મે 2023માં DGGIએ પોતાની તપાસ પૂરી કરી લીધી હતી અને તેણે પિયુષ જૈન પર 497 કરોડની પેનલ્ટી લગાવી હતી. સાથે જ આ કેસમાં 11 અન્ય લોકોને આરોપી બનાવીને નોટિસ આપી છે. આ કેસમાં એજન્સી તરફથી 1 લાખ 60 હજાર પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, પિયુષ જૈનના આવાસ પરથી GST વિભાગે 197 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. તેના પર જૈને પોતે આકલન કરીને 57 કરોડ રૂપિયાની GST સરકારી ખાતામાં જમા કરી દીધી હતી.

કોર્ટમાં પિયુષ જૈન તરફથી પક્ષ રાખવામાં આવ્યો કે, તેના આકલન મુજબ 57 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે, જે તેણે સરકારી ખાતામાં જમા કરી દીધી છે, પરંતુ GST વિભાગે પોતાની તપાસ પૂરી કરીને પિયુષ જૈન પર 497 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી દીધી. DGGIએ બાકી બચેલા 140 કરોડ રૂપિયા ભારતના રાષ્ટ્રપતિના નામ પર FD કરાવીને તેમાં જમા કરાવી દીધા હતા. આ દરમિયાન 23 કિલો જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત 11 કરોડ રૂપિયા આકવામાં આવી હતી. આ સોનું પણ GST વિભાગ પાસે છે. તેના પર કસ્ટમ વિભાગે 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 30 લાખ પિયષ જૈન પર, જ્યારે 30 લાખ રૂપિયાનો દંડ તેની કંપની odochem industries પર લગાવ્યો છે.

આ કંપનીમાં પિયુષ જૈન પાર્ટનર છે. સાથે જ પિયુષ જૈને આ સોના પર 4.38 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી ચૂકવવી પડશે. પિયુષ જૈનને ત્યાંથી જે પૈસા અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, તેમાંથી કંઈ પણ તેને પાછું મળ્યું નથી. તો GST વિભાગે 497 કરોડ રૂપિયાની પેનલ્ટી નોટિસ પકડાવી દીધી હતી. એટલું જ નહીં, ઇનકમ ટેક્સ વિભાગ અલગથી આવકથી વધુ સ્ત્રોત પર ટેક્સ ન આપવાના કેસમાં પિયુષ જૈનની તપાસ કરી રહ્યો છે. ITએ હાલમાં અત્યારે ટેક્સ લાયાબિલિટીનું આકલન કર્યું નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇનકમ ટેક્સ દ્વારા પણ સેકડો કરોડની ટેક્સ લાયાબિલિટી પિયુષ જૈન પર લગાવી શકાય છે.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.