'ફોન આવ્યો અને કહ્યું, જલ્દી આવી જાઓ', ઓવૈસીએ જણાવ્યું અમિત શાહ ફોન કરી શું કહ્યું

પહેલગામ હુમલા પછી કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરશે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી S જયશંકર પણ આ બેઠકમાં હાજરી આપશે. સર્વપક્ષીય બેઠક અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તેમને ગૃહમંત્રી અમિત શાહનો ફોન આવ્યો હતો અને તેમને જલ્દી દિલ્હી પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. આ બેઠકમાં, સરકાર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે તમામ પક્ષોને માહિતી આપશે અને તેમના મંતવ્યો પણ સાંભળશે.

Asaduddin Owaisi
mradubhashi.com

હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ બેઠક અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહે તેમને ફોન કરીને બેઠકમાં હાજર રહેવા કહ્યું છે.

પહેલગામ આતંકવાદી હુમલા અંગે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'આ સર્વપક્ષીય બેઠક બોલાવવાનું કારણ રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે. હમણાં જ ગૃહમંત્રીએ મને ફોન કરીને પૂછ્યું કે, હું ક્યાં છું. તેમણે મને દિલ્હીમાં યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં આવવા કહ્યું છે. હું તાત્કાલિક ટિકિટ બુક કરાવી રહ્યો છું અને શક્ય તેટલી વહેલી તકે ત્યાં પહોંચીશ.'

જવાબદારીની માંગ કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'જે જગ્યાએ આટલા બધા પ્રવાસીઓ હતા, ત્યાં એક પણ પોલીસ કર્મચારી કે CRPF કેમ્પ નહોતો. ક્વિક રિએક્શન ટીમ (QRT)ને ઘટનાસ્થળે પહોંચવામાં એક કલાકથી વધુ સમય લાગ્યો. આ લોકોએ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું પછી ગોળી મારી દીધી. તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા, અને પાકિસ્તાન તેમને ટેકો આપે છે. તેઓ સરહદ કેવી રીતે પાર કરી ગયા? આ માટે કોણ જવાબદાર છે? જો તેઓ પહેલગામ પહોંચ્યા હોત, તો તેઓ શ્રીનગર પણ પહોંચી શક્યા હોત. ન્યાય ત્યારે જ થશે જ્યારે જવાબદારી નક્કી થશે. અમે આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ.'

Asaduddin Owaisi
jansatta.com

AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે યોજાનારી સર્વપક્ષીય બેઠક પર અગાઉ નારાજગી વ્યક્ત કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે, તેમને PM નરેન્દ્ર મોદી સરકારે આ બેઠકમાં હાજરી આપવા માટે બોલાવ્યા નથી. આ પછી, તેમણે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સાથે ફોન પર વાત કરી અને PM નરેન્દ્ર મોદીને આ મહત્વપૂર્ણ બેઠકમાં તેમને સામેલ કરવા અપીલ કરી.

સર્વપક્ષીય બેઠકો સામાન્ય સભાઓથી થોડી અલગ હોય છે. આ બેઠક ત્યારે બોલાવવામાં આવે છે જ્યારે આવી કોઈ ઘટના બને છે, જેની દેશના હિત પર મોટી અસર પડે છે. જેમ કે સરકારે 2019માં પુલવામા આતંકવાદી હુમલા દરમિયાન અથવા 2020માં ભારત-ચીન સરહદ વિવાદ દરમિયાન આવી બેઠક યોજી હતી. આ બેઠકમાં, સરકાર વિપક્ષી પક્ષોને ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપે છે અને વિપક્ષી નેતાઓ પણ તેમના સૂચનો અને વિચારો સરકાર સાથે શેર કરે છે.

About The Author

Related Posts

Top News

સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

દિલ્હીની એક મહિલાએ તબીબી બેદરકારીના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. તેનો દાવો છે કે, પિત્તાશયની સર્જરી દરમિયાન ડોક્ટરે ભૂલથી ખોટી...
National 
સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

યુરોપમાં વધતા ઇમિગ્રેશન અને ઇસ્લામીકરણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, ડેનમાર્ક હવે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું...
World 
આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા

ભાવનગર વન વિભાગ દ્વારા અંધશ્રદ્ધા અને વન્યજીવ શિકારનો એક અત્યંત ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. ભાવનગર એરપોર્ટ...
Gujarat 
અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-06-2026 દિવસ: શનિવાર મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું. વૃષભ: સમય પ્રગતિકારક રહે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.