હાઈકોર્ટે જજને 3 મહિનાની તાલીમ માટે મોકલ્યા, કહ્યું- ચુકાદો લખવા માટે યોગ્ય નથી

અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયિક અધિકારી પાસે ચુકાદો લખવાની ક્ષમતા ન હોવાના મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ત્યાર પછી હાઈકોર્ટે કાનપુર નગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્માને ત્રણ મહિનાની તાલીમ માટે જ્યુડિશિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યા છે.

હાઈકોર્ટે કહ્યું કે, કાનપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અમિત વર્મા પાસે કોર્ટનો ચુકાદો લખવાની ક્ષમતા નથી. આદેશ આપતી વખતે તેઓ કારણો અને નિષ્કર્ષનો ઉલ્લેખ પણ કરતા નથી. તેથી, તેમને ત્રણ મહિનાની તાલીમ માટે મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યો છે કે, તેઓ ડૉ. વર્માને તાલીમ માટે મોકલવા માટે ચીફ જસ્ટિસ પાસેથી પરવાનગી લઇ લે.

Allahabad-High-Court1
statemirror.com

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈકોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, ADJનો આવો જ એક આદેશ પહેલા પણ રદ કરવામાં આવ્યો છે. તે પછી પણ તેમણે આવી ભૂલ વારંવાર કરી છે. જે દર્શાવે છે કે તેમને તાલીમની સખત  જરૂર છે. મુન્ની દેવી વિરુદ્ધ શશિકલા પાંડેની અરજીની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટ જસ્ટિસ નીરજ તિવારીએ આ આદેશ આપ્યો હતો.

કાનપુર શહેરની રહેવાસી મુન્ની દેવીએ જ્યારે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો ત્યારે તેમણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે તેમનો કેસ આટલા મોટા પરિવર્તનનું કારણ બનશે. 2013માં, કાનપુરની એક મહિલા મકાનમાલિક શશિકલા પાંડેએ ભાડાની વસૂલાત અને મકાન ખાલી કરાવવા અંગે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે 29 ફેબ્રુઆરી 2024ના રોજ મુન્ની દેવી વિરુદ્ધ આદેશ આપ્યો હતો.

મુન્ની દેવીએ આ નિર્ણય સામે રિવિઝન અરજી દાખલ કરી હતી, જેને 7 નવેમ્બર 2024ના રોજ ADJ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ આદેશને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પડકારવામાં આવ્યો હતો.

District-Court-Kanpur-Nagar
kanpurnagar.dcourts.gov.in

જેમાં કહેવામાં આવ્યું હતું કે, આદેશના કારણો અને નિષ્કર્ષ આપવામાં આવ્યા નથી. ન્યાયાધીશે ન્યાયિક વિવેકાધિકારનો ઉપયોગ કર્યો નથી. 17 ડિસેમ્બર, 24ના રોજ, હાઈકોર્ટે ADJનો આદેશ રદ કર્યો અને નવા આદેશની ફાઇલ નીચલી કોર્ટમાં મોકલી આપી હતી.

આ દરમિયાન, અરજદારે રિવિઝન અરજીમાં નવા આધારો ઉમેરવા માટે સુધારા અરજી દાખલ કરી. જેને ADJ દ્વારા 1 માર્ચ 2025ના રોજ કોઈપણ કારણ આપ્યા વિના રદ કરવામાં આવ્યું હતું. જેને પછી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

મહિલાએ કહ્યું કે ADJ અમિત વર્માએ અગાઉના આદેશમાં જે ભૂલ કરી હતી, તે જ ભૂલ તેમણે આ આદેશમાં પણ કરી છે. તેથી ઓર્ડર રદ કરવો જોઈએ. જેના પર કોર્ટે કહ્યું કે, જજ વર્મામાં ચુકાદો લખવાની ક્ષમતા નથી, તેથી તેમને તાલીમ આપવી જોઈએ.

About The Author

Related Posts

Top News

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.