ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બિલોની ચૂકવણીને લઈને હવે કોન્ટ્રાક્ટરોની ધીરજ ખૂંટી ગઈ છે. રાજ્યના કોન્ટ્રાક્ટરોએ ભાજપની આગેવાનીવાળી મહાયુતિ સરકાર સામે મોર્ચો ખોલતા બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાનો નિર્ણય લીધો છે. તેમનો આરોપ છે કે, રાજ્ય સરકારે વિભિન્ન માળખાગત પરિયોજનાઓ માટે કરવામાં આવેલા કામો માટે 89,000 કરોડ રૂપિયાના બિલ ચૂકવ્યા નથી. મહારાષ્ટ્ર સ્ટેટ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન અને સ્ટેટ એન્જિનિયર્સ એસોસિએશનને શુક્રવારે થાણેમાં એક બેઠક કરી હતી, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે મુંબઈ, નાગપુર અને છત્રપતિ સંભાજીનગર સ્થિત બોમ્બે હાઈકોર્ટ બેન્ચમાં અરજીઓ દાખલ કરવામાં આવે.

contractors
english.jagran.com

 

કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના રાજ્ય પ્રમુખ મિલિંદ ભોંસલેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા માર્ચમાં માત્ર 4,000 કરોડ રૂપિયાની રકમ જ રીલિઝમાં આવી છે, જે કુલ બાકી રકમની માત્ર 5 ટકા છે. આટલી ઓછી રકમમાં કામ કરવાનું શક્ય નથી અને જો ચૂકવણી ન થઇ, તો રાજ્યભરના કોન્ટ્રાક્ટરો કામ બંધ કરી દેશે, જેના કારણે વિકાસ કાર્ય ઠપ્પ થઈ જશે. ભોંસલેએ વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષથી સરકાર પાસેથી બાકી ચૂકવણીની માગ કરવામાં આવી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, તેમણે રાજ્યના ટોચના નેતાઓને પત્ર લખીને ચીમકી આપી હતી કે જો જલદી ચૂકવણી ન થઈ તો, ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સને રોકવામાં આવશે. જુલાઈ 2024થી અત્યાર સુધી વિવિધ વિભાગો તરફથી બાકી રકમ મળી નથી.

કોન્ટ્રાક્ટરોના જણાવ્યા અનુસાર, 89,000 કરોડ રૂપિયાની આ બાકી રકમમાંથી 46,000 કરોડ રૂપિયા સાર્વજનિક નિર્માણ વિભાગ (PWD)માંથી, 18000 કરોડ રૂપિયા પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગ (જળ જીવન મિશન)માંથી, 8600 કરોડ રૂપિયા ગ્રામીણ વિકાસ વિભાગમાંથી, 19700 કરોડ રૂપિયા સિંચાઈ વિભાગમાંથી અને 1700 કરોડ રૂપિયા DPDC, ધારાસભ્ય નિધિ અને સાંસદ નિધિ હેઠળ કરવામાં આવેલા કામો સંબંધિત છે.

devendra fadnavis
hindustantimes.com

 

મિલિંદ ભોંસલેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી સહિત કોઈ પણ મંત્રી આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, બધા વિભાગોમાંથી માત્ર 4,000 કરોડ રૂપિયા જ રીલિઝ કરવામાં આવ્યા છે. સરકાર પાસે પૈસા નથી અને અમે ઘણી વખત મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે મુલાકાત કરી છે, પરંતુ દર વખતે માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.