મુસ્લિમ છોકરીઓ હિંદુ છોકરાઓને પોતાના ભાઇ સમજે, ચક્કરમાં ન ફસાય, સાંસદની સલાહ

મુરાદાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને મુસ્લિમ છોકરીઓને સલાહ આપી છે કે, મુસ્લિમ છોકરીઓને ફસાવવા માટેનું એક ટ્રેપ ચાલી રહ્યું છે. છોકરીઓને ફસાવીને ધર્મ બદલાવીને તેમની સાથે લગ્ન કરવામાં આવે છે. છોકરીઓ આવા કોઈ ચક્કરમાં ના પડે. સાથે જ તેમણે કહ્યું કે, હિંદુ છોકરાઓને પોતાના ભાઈ સમજો, કોઈ એવા સંબંધો ના બનાવો. જણાવી દઈએ કે, એસટી હસનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે થોડાં દિવસોથી સતત લવ જેહાદના મામલા સામે આવી રહ્યા છે.

તેના એક દિવસ પહેલા જ એસટી હસને મુસ્લિમ છોકરાઓ માટે કહ્યું હતું કે, તેઓ હિંદુ છોકરીઓને પોતાની બહેન સમજે. હવે સપા સાંસદ એસટી હસને કહ્યું કે, મુસ્લિમ છોકરીઓને ફસાવવાનો એક લવ ટ્રેપ ચાલી રહ્યો છે. તેમા મુસ્લિમ છોકરીઓને ફસાવીને તેમની સાથે લગ્ન કરવામાં આવે છે, તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. જે લોકો મુસ્લિમ યુવતીઓને ફસાવે છે, તેમને કેટલીક સંસ્થાઓ રિવોર્ડ આપે છે.

એસટી હસને આગળ કહ્યું કે, મારી મુસ્લિમ યુવતીઓને પણ સલાહ છે અને રિક્વેસ્ટ છે કે એવા કોઈ ચક્કરમાં ના ફસાઓ. ઘણા બધા લોકો ટ્રેપ કરવાનો પ્રયત્ન કરશે. તે સમયે તો મોહબ્બત અને ઇશ્ક થઈ જાય છે અને લગ્નના એક બે મહિના બાદ આ ભૂત ઉતરી જાય છે અને પછી આખી જિંદગી પસ્તાવાનો વારો આવે છે. હિંદુ છોકરાઓને તેઓ પોતાનો ભાઈ સમજે અને કોઈ હિંદુ છોકરા સાથે કોઈપણ પ્રકારના સંબંધો ના બનાવો જે એક સામાન્ય છોકરા-છોકરીઓમાં હોય છે.

સપા સાંસદ એસટી હસને દિલ્હીમાં સાક્ષી હત્યાકાંડ બાદ એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં મુસ્લિમ છોકરાઓને કહ્યું હતું કે, મુસ્લિમ છોકરા, હિંદુ છોકરીઓને પોતાની બહેનો સમજે. ઇશ્ક પ્યાર મોહબ્બતના ચક્કરમાં ના પડે, નહીં તો જિંદગી બરબાદ થઈ જશે. તેમણે દિલ્હી હત્યાકાંડ વિશે કહ્યું હતું કે, આ હેવાનિયત છે એ દરિંદાઓને જીવવાનો અધિકાર નથી, તેમને ફાંસીની સજા થવી જોઈએ. સાથે જ, મુસ્લિમ છોકરાઓ માટે પણ તેમણે નિવેદન આપતા કહ્યું કે- કોઈ હિંદુ કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરે તો તે લવ જેહાદ થઈ જાય છે અને આજે આ જમાનો એવા જ થઈ ગયો છે. આ તો સદીઓથી ચાલતું આવ્યું છે- લૈલા મજનૂ, શીરી- ફરહાદ, આ બધુ સદીઓથી ચાલતું આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.