શરદ પવાર NCP પ્રમુખ તરીકે જ રહેશે, રાજીનામું પાછું ખેંચ્યું, કારણ જણાવ્યું

NCPમાં પ્રમુખ પદને લઈને ચાલી રહેલી હલચલનો અંત આવ્યો છે. શરદ પવારે પોતાનું રાજીનામું પાછું લઈ લીધું છે. એટલે કે NCPના અધ્યક્ષ માત્ર શરદ પવાર જ રહેશે. આ અગાઉ, પાર્ટીની 18 સભ્યોની સમિતિએ રાજીનામું ફગાવી દીધું હતું. બેઠક દરમિયાન NCP કમિટીએ કહ્યું હતું કે, શરદ પવાર સક્રિય રાજકારણમાં રહીને પાર્ટીના અધ્યક્ષ રહેશે. આ અંગે શરદ પવારે શુક્રવારે સાંજે YB ચવ્હાણ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી.

શરદ પવારે કહ્યું કે 2 મે, 2023ના રોજ મારી આત્મકથા પુસ્તક 'લોક ભુલભૂલૈયા સંગતિ'ના વિમોચન પ્રસંગે મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સેવાનિવૃત્તિ લેવાનો મારો નિર્ણય જાહેર કર્યો. જાહેર જીવનમાં 63 વર્ષની લાંબી સેવા બાદ પદ છોડવું એ મારો પોતાનો નિર્ણય હતો. પરંતુ મારા આ નિર્ણયથી લોકોમાં મજબૂત લાગણીઓ પેદા કરી.

તેમણે કહ્યું કે, મારો નિર્ણય સાંભળીને પાર્ટી કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને મારા સાથીદારો નિરાશ થયા છે. મારા તમામ શુભેચ્છકોએ એક અવાજે મને મારા નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી. તે જ સમયે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, મારા સાથીદારો અને દેશભરના અને ખાસ કરીને મહારાષ્ટ્રના શુભેચ્છકોએ મને મારો નિર્ણય બદલવા માટે સમજાવ્યો.

પવારે કહ્યું કે, તમામ દ્વારા કરવામાં આવેલી અપીલને ધ્યાનમાં રાખીને અને સમિતિના નિર્ણયને માન આપીને હું રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચી રહ્યો છું. હું કાર્યકર્તાઓનો અનાદર કરી શકું એમ નથી ભલે હું આ નિર્ણય લઈ રહ્યો છું, મને લાગે છે કે પાર્ટીમાં નવું નેતૃત્વ રચવું જોઈએ અને હું તેના માટે કામ કરીશ. રાહુલ ગાંધી, સીતારામ યેચુરી અને અન્ય ઘણા લોકોએ કહ્યું કે વિપક્ષની એકતા માટે મારી હાજરી જરૂરી છે.

અજિત પવારના પ્રેસ કોન્ફરન્સમાં ન હોવાના સવાલ પર તેમણે કહ્યું કે, દરેક જણ PCમાં નથી આવતા. અજિત પવાર સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ઠરાવ પસાર કરવામાં સામેલ હતા. મેં મારા સાથીદારોને વિશ્વાસમાં લીધા નહોતા, કારણ કે મને લાગતું હતું કે તેઓ મને તે કરવા દેશે નહીં. પ્રતિભાવ જોઈને મેં મારો નિર્ણય પાછો ખેંચી લીધો છે. આખી ટીમ સક્ષમ છે. તેમને તક આપવા માટે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.