ભાઇના લગ્નની કંકોત્રી વહેચીને પાછા ફરી રહેલા યુવાનનું અકસ્માતમાં મોત

મધ્ય પ્રદેશના એક નાનકડા ગામમાં એક યુવકના લગ્નની તૈયારી ચાલી રહી હતી. યુવકનો ભાઇ લગ્નની કંકોત્રી વ્હેંચવા નિકળ્યો હતો, પરંતુ પાછા ફરતી વખતે બાઇકને અકસ્માત નડ્યો અને યુવકના લગ્ન પહેલાં જ ભાઇ મોતને ભેટ્યો. ભાઇની સાથે અન્ય એક યુવક પણ બાઇક પર હતો જેને ગંભીર ઇજા પહોંચી છે. જે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં માતમ છનાઇ ગયો હતો. પોલીસે પોસ્ટમોર્મટ કરાવીને મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો.

જાણવા મળેલી માહિતી મુજબ મધ્ય પ્રદેશના કોલારસમાં રહેતો અનૂપ વિશ્વાસ 40 વર્ષનો હતો અને તેના ભાઇ દીનૂ વિશ્વાસના 9 માર્ચે લગ્ન નક્કી થયા હતા. અનૂપ તેના નાના ભાઇના લગ્નની તૈયારીમાં પડ્યો હતો. અનૂપ તેના મિત્ર સલ્લૂ ખાન સાથે લગ્નની કંકોત્રી વ્હેંચવા માટે વ્યાપરા પચોર ગયો હતો અને કંકોત્રી વ્હેંચીને બંને પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. અનૂપ બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે મ્યાના પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દેતા અનૂપનું બાઇક ફંગોગાઇ ગઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અનૂપની પાછળ બેઠલા સલ્લૂ ખાનને ગંભીર ઇજા થઇ છે. વાહન ચાલક અનૂપની બાઇકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.

કોલારસમાં રહેતો અનૂપ વિશ્વાસ ક્લીનિકનું સંચાલન કરતો હતો અને વ્યવહાર કુશળતા માટે જાણીતો હતો. અનૂપના મોતના સમાચાર મળવાને કારણે કોલારસમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. અનૂપ તેની પાછળ 8 વર્ષ અને 6 વર્ષની બે દીકરીઓને સંતાપ કરતા છોડી ગયો છે.

બીજા એક અકસ્માતની વાત કરીએ તો, 10 દિવસના બાળકને પોહરી સારવાર માટે લઈ જતી વખતે મહિન્દ્રા અને ટવેરા એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર ઘાયલ થયા છે. પોલીસે મહિન્દ્રા વાહનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભાડેરા ગામમાં રહેતા કેશવ રાવતની પત્ની 30 વર્ષનીમહિલા કનિષ્કા તેના દસ મહિનાના બાળકની સારવાર માટે પોહરી આવી રહી હતી. પતિ કેશવ, ભાભી દીપા રાવત, પિતરાઈ ભાઈ બીપી રાવત ટવેરા કારમાં હતા. શનિવારે મોડી સાંજે સામેથી આવતા મહિન્દ્રા વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં કનિષ્કા ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને રવિવારે સારવાર દરમિયાન  તેણીનું મોત થયું હતું. અકસ્માતમાં માસૂમ બાળક, પતિ, ભાભી અને પિતરાઈ ભાઈ ઘાયલ થયા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.