લગ્નના એક દિવસ પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ યુવતી, ભાઈએ કરી દીધા અગ્નિસંસ્કાર

બિહારના પૂર્ણિયામાં લગ્નના એક દિવસ પહેલા પ્રેમી સાથે યુવતી ભાગી ગઈ હતી. પીઠી અને મહેંદીની રસમ પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ ઘરેથી બહાર નીકળીને યુવતી પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ. યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં યુવતીના અપહરણની ફરિયાદ દાખલ કરાવ હતી. પરંતુ, યુવતીએ સામે આવીને આ અપહરણના મામલાને નકારી દીધો હતો. આથી, યુવતીના  ભાઈએ તેનું પૂતળુ બનાવીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારના લોકોને હચમચાવી નાંખ્યા છે અને દરેક માતા-પિતાને એ વિચારવા માટે મજબૂર બની ગયા છે કે, આખરે આવી ઘટનાઓ પર વિરામ ક્યારે લાગશે.

આ સમગ્ર મામલો ટીકાપટ્ટી ગામનો છે, જ્યાં એક યુવતીના લગ્ન તેના ભાઈએ નક્કી કરી દીધા હતા. 11 જૂને તેના લગ્ન થવાના હતા. મહેંદી અને સંગીત બાદ 10 જૂને પીઠીની રસમ પૂર્ણ કરવામાં આવી હતી. બીજા દિવસે યુવતીની જાન આવવાની હતી પરંતુ, તે રાત્રે પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ ઘરમાં હંગામો મચી ગયો. લોકોએ ખૂબ જ શોધખોળ કરી પરંતુ, જ્યારે કોઈ જાણકારી ના મળી, ત્યારે યુવતીના ભાઈએ પોલીસ સ્ટેશનમાં અપહરણનો આરોપ લગાવતા મામલો દાખલ કરાવ્યો હતો. આ મામલામાં તેણે ગામના જ એક યુવકને આરોપી બનાવ્યો. મામલો દાખલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.

દરમિયાન, સોમવારે યુવતી દુલ્હનના વેશમાં ટીકાપટ્ટી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે અપહરણના મામલાને જ ખોટો ગણાવ્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેના ભાઈએ જે યુવક સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા તે તેને મંજૂર નહોતા, આથી તેણે મજબૂરીમાં ઘરેથી ભાગી જવુ પડ્યું હતું. જે દિવસે તેના લગ્ન થવાના હતા એ જ દિવસે મંદિરમાં તેણે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ, યુવતીના ભાઈની નારાજગી વધી ગઈ હતી. ભાઈએ કહ્યું કે, તેના માટે તેની બહેન હવે મરી ગઈ છે, અને તેણે પરિવારજનો સાથે મળીને પહેલા પોતાની બહેનનું પૂતળું તૈયાર કર્યું અને પછી તેની શવ યાત્રા કાઢી હતી. અર્થીમાં યુવતીની તસવીર પણ લગાવવામાં આવી હતી. અર્થીને શ્મશાન ઘાટ સુધી લઇ જવામાં આવી અને પછી પૂરા રીતિ રિવાજ સાથે તેના દાહ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.