માલદામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, શુભેંદુ અધિકારીની NIA તપાસની માંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ જ પશ્ચિમ બંગાળના હાવડામાં દેશની સાતમી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્દઘાટન કર્યું હતું. ઉદ્દઘાટનના માત્ર 4 દિવસ બાદ જ આ સેમી સ્પીડ ટ્રેન પર પથ્થરમારો થયો છે. જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું હતું, એ જ દિવસે તેમના માતા હીરાબાનું નિધન થયું હતું. તેઓ અંતિમ સંસ્કાર બાદ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઘટના પશ્ચિમ બંગાળના હાવડા પાસે મલદા સ્ટેશનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, હવાડાને ન્યૂ જલપાઇગુડી સાથે જોડનારી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થયાના 4 દિવસ બાદ આ પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારાથી ટ્રેનને ખૂબ નુકસાન થયું છે. કાંચ તૂટી ગયા છે. આ ઘટનામાં પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે ન્યૂ જલપાઇગુડીથી હાવડા જવા દરમિયાન મલદા સ્ટેશન પાસે કોઇએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે કોચ C-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થઇ ગયો. ઘટના બાદ ટ્રેનમાં અફરાતફરી મચી ગઇ.

રિપોર્ટ્સ મુજબ, સોમવારે સાંજે 5:50 વાગ્યે TN 22302 વંદે ભારત એક્સપ્રેસની ઑન ડ્યુટી TI પાર્ટી પાસેથી જાણકારી મળી કે કોચ નંબર-1 પર પથ્થરમારો થયો છે. ત્યારબાદ ટ્રેનને રેલવે પોલીસના 4 કર્મચારીઓને હથિયાર સાથે રવાના કરી. તો પશ્ચિમ બંગાળમાં નેતા પ્રતિપક્ષ અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાને લઇને NIA તપાસની માગણી કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પશ્ચિમ બંગાળના મલદા જિલ્લામાં ભારતનું ગૌરવ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો.

શું આ ઉદ્દઘાટનના દિવસે ‘જય શ્રી રામ’ના નારાઓનો બદલો છે? હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય રેલવેને આ ઘટનામાં NIAને તપાસ સોંપવાનો આગ્રહ કરું છું. વંદે ભારત એક્સપ્રેસમાં સવાર એક રેલ કર્મચારી આસિફ ખાને કહ્યું કે, અત્યાર એ જાણકારી મળી શકી નથી કે અંધારામાં કોણે અને કયા ઇરાદાથી પથ્થરમારો કર્યો. રેલવે અધિકારીઓએ આખી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કહ્યું છે. કુમારગંજમાં બહારથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

મુસાફર રિતુ ઘોષે જણાવ્યું કે, બહારથી લોકોએ પથ્થરમારો કર્યો. એ ચોંકાવનારું હતું. પથ્થર લાગવાથી કાંચ તૂટી ગયા. આ ઘટના ટ્રેનના મલદા સ્ટેશન પહોંચવાથી બરાબર પહેલા થઇ. નસીબથી પથ્થરના ટુકડાથી કોઇ પણ મુસાફરને ઇજા ન થઇ, પરંતુ અમે ડરેલા છીએ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાવડાથી ન્યૂ જલપાઇગુડી સુધી જતી દેશની સાતમી વંદે ભારત એક્સ્પ્રેસની શરૂઆત કરી હતી. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું હતું.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.