બિહાર ચૂંટણીમાં ગરબડીનો દાવો કરનાર અરજીકર્તા પાસે CJI સૂર્યકાંતે આવકવેરાનો હિસાબ માંગી લીધો

સુપ્રીમ કોર્ટે બિહાર ચૂંટણી સંબંધિત જાહેર હિતની અરજી (PIL) દાખલ કરનાર વ્યક્તિ પાસેથી આવકવેરાનો હિસાબ માંગી લીધો. સામાજિક કાર્યકર સાબૂ સ્ટીફને 4 ડિસેમ્બર, 2025ના રોજ કોર્ટમાં RIT અરજી દાખલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બિહાર ચૂંટણીમાં અનિયમિતતાઓ થઈ છે અને યોગ્ય તપાસ થવી જોઈએ. તેમની અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે, ચૂંટણી પરિણામો તાત્કાલિક રદ કરી દેવા જોઈએ.

Justice-Surya-Kant
bwlegalworld.com

સુપ્રીમ કોર્ટે સાબૂ સ્ટીફનની અરજી ફગાવી દીધી. જોકે, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સાબૂને જવા દેવાના મૂડમાં નહોતી. બેન્ચની ટિપ્પણીઓથી લાગ્યું કે તેઓ જાણવા માંગે છે કે અરજદાર વારંવાર અરજીઓ કેમ દાખલ કરી રહ્યો છે. સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે પોતે કહ્યું કે, ‘જો તમે વ્યર્થ અરજીઓ દાખલ કરવાની કળામાં એટલા માહિર છો, તો અમારે એ પણ જાણવું જોઈએ કે જો દંડ ફટકારવામાં આવે તો તમે કેટલી રકમ ચૂકવી શકો છો? આ બધું ફક્ત પબ્લિસિટી હાંસલ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ CJIએ કોઈપણ દંડ ફટકારતા પહેલા અરજદારના છેલ્લા પાંચ વર્ષના આવકવેરા રિટર્નનો રેકોર્ડ માંગ્યો. તેમણે સાબૂ સ્ટીફનને નિર્દેશ આપ્યો કે, તે કોર્ટમાં તેની ITR પ્રોફાઇલ લઈને આવે. સાથે જ એક સોગંદનામામાં તેમના આવકના સ્ત્રોત પણ જણાવે.

આખો મામલો શું છે?

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ EVM અને ચૂંટણીમાં ગેરરીતિઓના મુદ્દા ફરીથી ઉભા થયા હતા. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. સાબૂ સ્ટીફને સુપ્રીમ કોર્ટમાં RIT અરજી દાખલ કરી હતી, જેમાં બિહાર ચૂંટણીમાં કેટલીક કથિત ગેરરીતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

1. અરજદારે માંગ કરી હતી કે યોગ્ય તપાસ થાય ત્યાં સુધી બિહાર ચૂંટણી પરિણામોને રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે.

2. અરજીમાં કોર્ટ પાસે માંગ કરવામાં આવી હતી કે પ્રથમ પ્રતિવાદી (ભારતના ચૂંટણી પંચ)ને ઓર્ડર આપવામાં આવે કે તે ફોર્મ 20 જાહેર કરે. ફોર્મ 20, એ અંતિમ મતદાનનો સત્તાવાર દસ્તાવેજ છે.

3. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય ન્યાયિક કમિશનની રચના કરવામાં આવે. આ કમિશન અનુસૂચિ P-2 અને અનુસૂચિ P-4માં પ્રેસ નોટ્સ અનુસાર મતદાર નંબરોમાં ગરબડી, બોગસ મતદાન, સત્તાવાર મિલીભગત, EVM સાથે ચેડાં વગેરેના આરોપોની સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ કરે.

SC2
hindustantimes.com

4. તેમણે કથિત ચૂંટણી હેરાફેરીમાં સંડોવાયેલા કોઈપણ અધિકારી, રાજકારણી અથવા અન્ય વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે CBI અથવા SIT તપાસની પણ માંગ કરી હતી.

5. ચૂંટણી પરિણામો સ્થગિત કરીને સરકારની રચના તાત્કાલિક અટકાવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સાબૂ સ્ટીફન માનવ અધિકાર કાર્યકર્તા છે. તેમનો જન્મ 1973માં કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો. તેમણે દક્ષિણ ભારતમાં દેવદાસી પ્રથા નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે ગૌમાંસ પર પ્રતિબંધ સામે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેઓ રખડતા કૂતરાઓને સમસ્યા ગણાવવા સામે પણ અરજી દાખલ કરી ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.