સુપ્રીમ કાર્ટનું રખડતા કૂતરાઓ પર કડક વલણ! રાજ્યોને પૂછ્યું, 'શું તમારા અધિકારીઓ અખબારો નથી વાંચતા?' તમામને સમન્સ મોકલ્યા

સોમવારે, સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાના નિયંત્રણ પર કાર્યવાહી અહેવાલો રજૂ કરવામાં નિષ્ફળ રહેવા બદલ રાજ્યોને ઠપકો આપ્યો હતો, તેમણે કહ્યું કે, દેશને બદનામ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને સમન્સ પાઠવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રાજ્યોએ રખડતા કૂતરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે ચાલી રહેલા 'પશુ જન્મ નિયંત્રણ' કાર્યક્રમ પર હજુ સુધી તેમના અહેવાલો (એફિડેવિટ) દાખલ કર્યા નથી.

Supreme-Court-Stray-Dogs.jpg-3

22 ઓગસ્ટના રોજ, કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જો કે, આજે સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ N.V. અંજનિયાની બેન્ચે શોધી કાઢ્યું કે, ફક્ત પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જ તેમના અહેવાલો રજૂ કર્યા છે. તેથી, કોર્ટે અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આગામી સોમવારે હાજર રહેવાનો આદેશ આપ્યો કે, તેઓએ હજુ સુધી તેમના સોગંદનામા કેમ દાખલ કર્યા નથી. કોર્ટે એ પણ નોંધ્યું કે, આ રાજ્યોમાંથી આજે કોઈ પ્રતિનિધિ હાજર થયો નથી.

Supreme-Court-Stray-Dogs.jpg-2

આ અંગે નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશ વિક્રમ નાથે નોંધ્યું કે, સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારી હતી, અને આ આદેશ મીડિયામાં પણ વ્યાપકપણે પ્રકાશિત થયો હતો. તેમણે કહ્યું, 'આવી ઘટનાઓ સતત બની રહી છે, અને વિદેશમાં દેશની છબી ખરડાઈ રહી છે. અમે પણ આ અહેવાલો વાંચી રહ્યા છીએ.'

જસ્ટિસ નાથે ખાસ કરીને એડિશનલ સોલિસિટર જનરલ અર્ચના પાઠક દવેને પૂછ્યું કે, દિલ્હી સરકારે હજુ સુધી સોગંદનામું કેમ દાખલ કર્યું નથી. તેમણે કહ્યું, 'દિલ્હીએ સોગંદનામું કેમ દાખલ કર્યું નથી? તે અંગે મુખ્ય સચિવે ખુલાસો કરવો જોઈએ, નહીં તો દંડ લગાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.'

Supreme-Court-Stray-Dogs.jpg-4

કોર્ટે વધુમાં કહ્યું, 'બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ મોકલવામાં આવી હતી... શું તમારા અધિકારીઓ અખબારો કે સોશિયલ મીડિયા વાંચતા નથી? સમાચાર દરેક જગ્યાએ આવ્યા હતા. જો તેમની પાસે માહિતી હોય, તો તેમણે પોતે જ આગળ આવવું જોઈતું હતું!' હવે બધા મુખ્ય સચિવોએ 3 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે, નહીં તો અમે કોર્ટને સભાગૃહમાં રાખીશું.'

About The Author

Related Posts

Top News

ફરી મેઘો ધબધબાટી બોલાવશે? બંગાળની ખાડીમાં પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું

તાજેતરમાં જ વરસાદે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં ધબાધબાટી બોલાવી, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો...
Gujarat 
ફરી મેઘો ધબધબાટી બોલાવશે? બંગાળની ખાડીમાં પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું

વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી...
Gujarat 
વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન, 10 લાખથી વધુ ફોલોઅર્સ હતા

વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં એજન્સીઓ દ્વારા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને અન્ય આંદોલનકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના,...
National 
વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનનો અંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે...
National 
દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.