લાલુની ફેમિલી પર ED-CBIની રેડથી નીતિશ સૌથી વધારે ખુશ, સુશીલ મોદીએ જણાવ્યું કારણ

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને તેમના પરિવારના અન્ય સભ્યોના આવાસ પર એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBIની છાપેમારીથી સૌથી વધારે ખુશી મુખ્યમંત્રી નીતિશ કુમારને મળી રહી છે. સુશીલ કુમાર મોદીએ તેનું કારણ પણ બતાવ્યું છે. અરરિયા પહોંચેલા સુશીલ મોદીએ પત્રકારોને સંબોધિત કરતા આ વાત કહી હતી.

ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, લાલુ પરિવારને ટોર્ચર કરવાના આરોપ એકદમ પાયાવિહોણા છે. ED અને CBI માત્ર પોતાનું કામ કરી રહી છે. લાલુજીએ કામ જ એવું કર્યું છે જેનું પરિણામ તેમની સાથે સાથે આખા પરિવારને ચૂકવવું પડી રહ્યું છે. સુશીલ કુમાર મોદીએ EDની કાર્યવાહીને એકદમ યોગ્ય અને કાયદાથી યોગ્ય બતાવી છે. સુશીલ મોદીએ કહ્યું કે, નીતિશ કુમાર એટલે ખુશ છે કેમ કે છાપેમારીના કારણે તેમના પર રાષ્ટ્રીય જનતા દળ (JDU)નો દબાવ હતો, તે ઓછો થઈ જશે કે સમાપ્ત થઈ જશે.

જનતા દળ વારંવાર નીતિશ કુમાર પર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાનો દબાવ બનાવી રહી હતી. તેમને કહેવામાં આવી રહ્યું હતું કે, તમે રાજીનામું આપીને તેજસ્વી યાદવને સત્તાની સોંપી દો. ED અને CBIની કાર્યવાહી બાદ જનતા દળ અને તેમનો આખો પક્ષ પોતાને બચાવવામાં આવી ગયો છે. જેથી નીતિશ કુમારને રાહત અનુભવાઈ રહી છે. સુશીલ મોદીએ દાવો કર્યો કે, નીતિશ કુમાર ઈચ્છે છે કે તેજસ્વી યાદવ જેલ જતા રહે. એમ થવા પર નીતિશ કુમારને વર્ષ 2025 સુધી બિહારના મુખ્યમંત્રીના પદ પર બન્યા રહેવામાં કોઈ પરેશાની નહીં આવે.

તેમના પર રાષ્ટ્રીય જનતા દળના નેતા અલગ-અલગ એંગલથી દબાવ બનાવી રહ્યા હતા કે, રાજીનામું આપીને કેન્દ્રની રાજનીતિ કરો અને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવી દો. છાપેમારી બાદ જનતા દળ તરફથી જે કટાક્ષ કરવામાં આવી રહ્યો હતો તે બંધ થઈ ગયો છે. લાલુ પ્રસાદ યાદવ પર EDની છાપેમારીથી નીતિશ કુમારની પાર્ટી જનતા દળમાં વ્યાપેલા અસંતોષને દબાવવમાં પણ નીતિશ કુમારને સફળતા મળી છે.

નીતિશજીએ પોતાની પાર્ટીના નેતાઓને છોડીને તેજસ્વી યાદવને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી દીધા. આ કારણે જનતા દળમાં વિદ્રોહની સ્થિતિ છે. હાલમાં આ વિદ્રોહ પણ ઠંડો પડી ગયો છે કેમ કે તેજસ્વી યાદવની જેલ જવાની સંભાવના વધી ગઈ છે. જો કે, અંદરખાને મુખ્યમંત્રી નીતિશ કુમારનો ઉત્તરાધિકારી માનનારા નેતા ખુશ છે. તેમણે આગળ કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે નીતિશ કુમાર અને લલન સિંહ જવાબદાર છે. એ જ લોકોએ બધા કાગળ અને પુરાવા CBIને ઉપલબ્ધ કરાવ્યા હતા. જ્યારે ડૉ. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા, એ સમયે લલન સિંહ અને સ્વર્ગીય શરદ યાદવ વડાપ્રધાનને આવેદનપત્ર આપવા ગયા હતા.

તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લાલુ રેલ મંત્રી રહેતા સતત જમીન લખાવી રહ્યા છે અને તેના બદલામાં લોકોને નોકરી આપી રહ્યા છે. તેમણે તેના પ્રમાણ પણ આપ્યા હતા. માગ કરવામાં આવી હતી કે આ પ્રકારની તપાસ CBI પાસે કરાવવામાં આવે. લાલુ યાદવ મનમોહન સિંહની સરકારના રેલ મંત્રી હતા. એટલે કેસ દબાઈ ગયો. જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ઈમાનદાર સરકાર બની તો કેન્દ્રીય તપાસ એજન્સી ખૂલીને કાર્યવાહી કરી રહી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.