લગ્ન કરીને દુલ્હન સાસરે જઇ રહી હતી, રસ્તામાં ગાડી રોકાવીને પ્રેમી સાથે ભાગી ગઇ

લગ્ન કરીને દુલ્હન સાસરે જઇ રહી હતી ત્યારે અધવચ્ચે ગાડીને ઉભી રખાવી હતી અને તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. આ કોઇ ફિલ્મની કહાની નથી, પરંતુ હકિકતમાં આવી ઘટના બની છે.ખુશી ખુશી દુલ્હનને લઇને જઇ રહેલા વરરજા અને જાનૈયાઓને દુલ્હને મોટો આંચકો આપી દીધો હતો, જેને કારણે ખુશીનો પ્રસંગ દુખમાં પલટાઇ ગયો હતો. જો કે દુલ્હનની આ કારી ફાવી નથી, પરંતુ નારાજ વરારાજો દુલ્હનને લીધા વગર જ રવાના થઇ ગયો હતો.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં લગ્નના થોડા કલાકો બાદ જ એક દુલ્હન પોતાના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ. જોકે, જાનૈયાઓએ પ્રેમીને  ઘેરી લેતા પ્રેમી કન્યાને રસ્તામાં જ છોડીને ભાગી ગયો હતો. સાસરે જતી વખતે દુલ્હન તબિયતનું બહાનું કરીને કાર રોકી હતી.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક દુલ્હન લગ્નના થોડા કલાકો બાદ જ તેના પ્રેમી સાથે ભાગી ગઈ. ઘટના ઉત્તર પોલીસ ચોકી વિસ્તારની છે જ્યાં લગ્નની તમામ વિધિઓ બાદ દુલ્હન તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે બાઇક પર ભાગી ગઈ હતી.

આગ્રાના બમરૌલીથી બુધવારે સાંજે એક જાન ફિરોઝાબાદ આવી હતી. લગ્નની વિધી ગુરુવારે પુરી થઇ હતી અને વરરાજા કારમાં દુલ્હનને લઇને પોતાના ઘરે લઇ જઇ રહ્યો હતો. કાર રસ્તામાંથી પસાર થઇ રહી હતી તે વખતે નગલા ભાઉ અને રાજાના તાલ વચ્ચે દુલ્હને વરરાજાને કહ્યું હતું, મારી તબિયત ખરાબ થઇ ગઇ છે, જરા કારને થોભાવો. કારમાંથી ઉતરીને દુલ્હને થોડો સમય હવામાં શ્વાસ લીધો હતો, એ સમયે એક યુવક બાઇક લઇને આવ્યો હતો જેની સાથે બેસીને દુલ્હન ભાગી છુટી હતી. પોતાની પત્ની કોઇ બીજા સાથે ભાગી રહી છે એ જોઇને વરરાજા ચિલ્લાયો હતો એટલે લોકો બાઇકની પીછો કર્યો અને યુવકને ઘેરી લીધો હતો. પોતે ફસાઇ ગયો છે એવું જણાતા પ્રેમી દુલ્હનને મુકીને ભાગી છુટ્યો હતો.

દુલ્હનની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઇ ગઇ હતી. કારણ કે પ્રેમી તેને છોડીને ભાગી છુટ્યો હતો અને પતિના સગાઓ ગુસ્સામાં આગબબુલા હતા. આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરતુ નારાજ પતિએ દુલ્હનને પોતાની સાથે લઇ જવાનો ઇન્કાર કરી દીધો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.