કેન્દ્રીયમંત્રી કહે છે બિહારમાં વરસાદના કારણે 12 પુલ ધરાશાયી થયા

બિહારમાં છેલ્લા 17 દિવસમાં ઓછામાં ઓછા 12 પુલ ધરાશાયી થયા છે. સિવાન, સારણ, મધુબની, અરરિયા, પૂર્વ ચંપારણ અને કિશનગંજમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. વિપક્ષે CM નીતીશ કુમારની સરકાર સામે બંદૂક તાકી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા અને જાળવણીને લઈને સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્યના પૂર્વ CM જીતન રામ માંઝીએ આ ઘટનાઓ માટે ચોમાસાને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, 'આ ચોમાસાનો સમય છે. ઘણો વરસાદ પડ્યો છે. જેના કારણે પુલો તૂટી રહ્યા છે... પરંતુ, CM નીતીશ કુમાર તપાસ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. તેમણે ગઈકાલે જ બેઠક યોજી છે અને કડક સૂચના આપી છે કે, કોઈપણ પ્રકારની લાપરવાહી ચલાવી લેવાશે નહીં. અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે.'

બ્રિજ તૂટી પડવાની ઘટના અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સહિત વિપક્ષોની તીક્ષ્ણ ટીકાના પગલે, CM નીતિશ કુમારે માર્ગ બાંધકામ વિભાગ (RCD) અને ગ્રામીણ બાંધકામ વિભાગ (RWD)ને રાજ્યના તમામ જૂના પુલોનું તાત્કાલિક સર્વે કરવા માટે નિર્દેશ આપ્યો છે અને જેમને સમારકામની જરૂર છે તેને તાત્કાલિક રીપેર કરાવવી જોઈએ.

વર્ષ 1956માં બિહારમાં ભયંકર દુકાળ અને દુષ્કાળ પડ્યો હતો. ત્યારે વિધાનસભામાં પણ એવું જ નિવેદન આપવામાં આવ્યું હતું કે, હાથિયા (નક્ષત્ર)ના કારણે દુકાળ પડ્યો હતો. આના જવાબમાં જાણીતા સાહિત્યકાર રામવૃક્ષ બેનીપુરીએ ગૃહમાં કહ્યું હતું કે, 'જો હાથિયા જ સર્વસ્વ છે, તો પછી આટલા મોટા હાથીઓ જેને આપણે પાલતુ તરીકે રાખ્યા છે, તે કેમ છે?'

હાથી બોલી ને તેમણે સરકારની સિંચાઈ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાકે 'હાથી' શબ્દમાં સરકારી તંત્રને પણ જોયું.

70 વર્ષ થવા આવ્યા છે. બિહારમાં, હજુ પણ એક (કેન્દ્રીય) મંત્રી એક પછી એક પડી રહેલા પુલો માટે ચોમાસાને જવાબદાર ઠેરવી રહ્યા છે. જળ સંસાધન વિભાગના અધિક મુખ્ય સચિવ આ અકસ્માતોનું બીજું કારણ જણાવે છે. તેમનું કહેવું છે કે, તાજેતરમાં નદીમાં જમા થયેલો કાંપ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેની સાથે સંબંધિત છે. તે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોએ ભૂલ કરી હશે.

'આમાંના મોટા ભાગના પુલ 30 વર્ષ જૂના હતા અને તેના પાયા છીછરા હતા. આ પાયા કાંપ હટાવવા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયા હતા... એન્જિનિયર જે કોણ પણ હોય, આ બાબત પ્રથમ નજરે જ ધ્યાનમાં આવવી જોઈતી હતી.'

તેમણે એમ પણ કહ્યું છે કે, નવા પુલ બનાવવામાં આવશે અને દોષિત કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે.

પુલ તૂટી પડવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે, બિહાર સરકાર તમામ હાલના અને નિર્માણાધીન પુલોનું ઓડિટ કરાવે. જે પુલ જર્જરિત થયા છે તે પુલ તોડીને નવેસરથી બાંધવામાં આવે.

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.