વરરાજો લગ્ન કરવા જતો હતો, પોલીસે મહેંદી વાળા હાથમાં હાથકડી પહેરાવી

ઘણી વખત તમે ફિલ્મોમાં જોયું હશે કે વરરાજો લગ્ન કરવાની તૈયારીમાં હોય અને અચાનક પોલીસ આવીને પકડી જાય અને મહેમાનો જોતા જ રહી જાય. આવું જ કઇંક ઉત્તર પ્રદેશમાં બન્યું છે. એક દુલ્હાની લગ્નની શરણાઇઓ વાગી રહી હતી અને પોલીસ તેને ઉંચકી ગઇ હતી. આ આરોપી વોન્ટેડ હતો અને પોલીસ તેને ઘણા સમયથી શોધી રહી હતી.

 વરરાજા લગ્નની તૈયારી કરી રહ્યો હતો અને વરઘોડો કાઢવાની તૈયારી જ હતી અને પોલીસે આવીને રંગમાં ભંગ પાડી દીધો હતો અને વરરાજાને હાથકડી પહેરાવીને જેલ ભેગો કરી દીધો હતો.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રસુલપુર વિસ્તારમાં રહેતા યુવકને પોલીસે લગ્ન પહેલા જ જેલમાં મોકલી દીધો હતો. આરોપીને મહેંદી લગાવેલા હાથમાં હાથકડી લગાવીને પોલીસ સ્ટેશન અને પછી જેલમાં લઈ જવામાં આવ્યો હતો. હકીકતમાં,શહેરના ગુરુદેવ નગરમાં રહેતા પ્રશાંત ગુપ્તા ઉર્ફે જેકી નામના યુવકના 21 એપ્રિલ (શુક્રવાર)ના રોજ લગ્ન થવાના હતા. ઘરે બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ. લગ્ન વરઘોડાની તૈયારી થઈ રહી હતી, પરિવારના લોકો  ડાન્સ કરવાની તૈયારી કરી રહ્યા હતા તે વખતે જ અચાનક પોલીસની એન્ટ્રી થઇ હતી અને પ્રશાંત ગુપ્તા ઉર્ફે જેકીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જે હાથોમાં પ્રશાંતે મહેંદી લગાવી હતી તે જ હાથોમાં પોલીસે હાથકડી પહેરાવી દીધી હતી.

પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે પ્રશાંત ગુપ્તા ઉર્ફે જેકીની સામે 12 કેસ નોધાયેલા છે. આરોપી પ્રશાંત રસૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો હિસ્ટ્રી શૂટર છે. પ્રશાંત કન્યા પક્ષને પોતાનો અપરાધિક ઇતિહાસ છુપાવીને લગ્ન કરવા માટે જઇ રહ્યો હતો. પ્રશાંતના હાથમાં મહેંદી મુકવામાં આવી હતી અને પોલીસે એ જ હાથોમાં હાથકડી પહેરાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને એ પછી તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

પ્રશાંત ગુપ્તા વિરુદ્ધ 12 ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં લગ્નના નામે ઘણી છોકરીઓનું શોષણ અને ડ્રગ્સની હેરાફેરી કરવાનો સમાવેશ થાય છે. CO સિટી ફિરોઝાબાદ કમલેશ કુમારે જણાવ્યું કે પ્રશાંત ઉર્ફે જેકી વિરુદ્ધ રસુલપુર પોલીસ સ્ટેશનમાં એક ડઝન કેસ નોંધાયેલા છે. આમાંથી એક FIRમાં મહિલાએ આરોપીઓ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. આ કેસોમાં આરોપીઓની શોધખોળ જોરશોરથી ચાલી રહી છે. હવે પોલીસને માહિતી મળી કે આરોપી લગ્ન કરવા જઈ રહ્યો છે. તે પહેલા તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.