અતીક-અશરફની હત્યા બાદ કેમ અચાનક 22 જિલ્લાઓના 800 ફોન બંધ થયા?

પ્રયાગરાજમાં અતીક-અશરફની હત્યા બાદ સર્વિલાન્સ પર લેવામાં આવેલા 3 હજાર મોબાઈલ ફોન બંધ થઈ ગયા છે. STFઉમેશ પાલની હત્યાના કેસમાં ફરાર શૂટરો અને મદદગારોની તપાસ માટે આ નંબરોને સર્વિલાન્સ પર લઈને પુરાવા ભેગા કરી રહી છે. અતીક અને અશરફની હત્યા બાદ દૂરના સંબંધીઓ અને સંપર્કમાં રહેનારા હવે ડરમાં આવી ગયા છે. એક સાથે એટલા બધા મોબાઈલ નંબર બંધ થઈ જવાથી તપાસ પણ પ્રભાવિત થઈ રહી છે. જો કે, કોલ ડિટેલના આધાર પર STFએ હવે ખબરીઓની મદદ ફરી લેવાની શરૂ કરી દીધી છે.

24 ફેબ્રુઆરી 2023ના રોજ ઉમેશ પાલની હત્યા બાદ STFએ અસદ, ગુલામ, અરમાન, સાબિર અને શાઈસ્તાને શોધવા માટે 5000 કરતા વધુ મોબાઈલ નંબર સર્વિલાન્સ પર લઈ રાખ્યા હતા. તેનાથી STFને કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ મળી હતી. ત્યારબાદ STF દિલ્હીમાં 3 મદદગારો સુધી પહોંચી હતી. આ મદદગારોથી જ અસદ અને ગુલામનું લોકેશન મળ્યું હતું. પછી આ લોકોનો અજમેરથી પીછો કરતા ઝાંસીમાં STFએ બંનેને એનકાઉન્ટરમાં ઠાર કરી દીધા.

ત્યારબાદ જ 15 એપ્રિલના રોજ પ્રયાગરાજમાં રિમાન્ડ અવધિમાં માફિયા અતીક અહમદ અને અશરફનું ખુલ્લેઆમ મીડિયા સામે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાથી આખું પ્રયાગરાજ અને અંડરવર્લ્ડ હચમચી ગયું હતું. STFના એક અધિકારીએ જણાવ્યું કે, અતીક અહમદ અને અશરફની હત્યા બાદ 3 દિવસમાં એક એક કરીને લગભગ 800 મોબાઈલ નંબર સ્વિચ ઓફ થઈ ગયા. એટલું જ નહીં તેમાંથી મોટા ભાગના લોકો પોતાના ઘરોથી પણ જતા રહ્યા.

કોઈએ દૂર પોતાના મિત્રોને ત્યાં શરણ લઈ લીધી, તો કોઈ ફરવાની વાત પાડોશીઓને કહીને જતું રહ્યું. STFનું કહેવું છે કે, અચાનક નંબરો બંધ થવાથી ઘણા લોકો રડાર પર હતા, જેમની બાબતે બધુ જાણતા છતા તેમના પર હાથ નાખવામાં આવી રહ્યો નહોતો. એમ એટલે કરવામાં આવી રહ્યું હતું કે કદાચ તેમના સંપર્કમાં કોઈ આરોપી આવી જાય તો તેના સુધી પહોંચી શકાય.

STF અને પ્રયાગરાજ પોલીસે લખનૌ, પ્રયાગરાજ, બારાંબાકી, કાનપુર, ગાઝિયાબાદ, નોઇડા, અજમેર, શાહજહાંપુર, ઝાંસી, હરદોઇ, બરેલી, સહારનપુર, પટના, રાંચી, રાયપુર સહિત 22 જિલ્લાઓના આ નંબર સ્વિચ ઓફ થયા છે. તેમાં કેટલાક નંબર બીજા માફિયા ગેંગ સાથે જોડાયેલા લોકોના પણ હતા. જો કે, અતીક-અહમદની હત્યા બાદ STFએ કેટલાક બીજા નંબરોને સર્વિલાન્સ પર લીધા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.