બે પત્નીઓનું ચક્કર! પંચાયતે કહ્યું- 3-3 દિવસ બંને પત્નીઓ સાથે અને રવિવારે રજા

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાંથી એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ કહેશો કે, ‘આવું પણ થાય છે?’ અહીંએક મ્યાનમાં બે તલવાર જેવો ઘાટ થયો છે. તેને ઉકેલવા માટે, પંચાયતે એક એવો નિર્ણય સંભળાવ્યો છે જે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલો 2 પત્નીઓ વચ્ચે પતિના વિભાજનનો છે, જેના માટે અઠવાડિયાના સાતેય દિવસો માટે લેખિત શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે.

આ મામલો અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગલિયા આકિલ ગામનો છે. મુસ્લિમ સમુદાયના એક યુવકે 2 લગ્ન કર્યા હતા. પહેલી પત્ની અરેન્જ મેરેજ દ્વારા ઘરમાં આવી હતી, જ્યારે બીજી પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ ધીમે-ધીમે બંને પત્નીઓ વચ્ચે પતિને પોતાની સાથે રાખવાને લઈને હોડ મચી ગઈ. વિવાદ એટલો વધ્યો કે ઘરની શાંતિ છીનવાઈ ગઈ, અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો.

husband2

મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ, સામાજિક સ્તરે મામલો ઉકેલવા માટે ગ્રામ પંચાયત બોલાવવામાં આવી. પંચોએ બંને પત્નીઓ અને પતિની દલીલો સાંભળી. વિવાદનો અંત લાવવા માટે પંચાયતે દિવસોની હેંચણીનો એક અનોખો ઉકેલ શોધી કાઢ્યો

સોમવાર, મંગળવાર અને બુધવાર, પતિ પહેલી પત્ની સાથે રહેશે. આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર બીજી પત્ની માટે સુરક્ષિત રહેશે. સૌથી રસપ્રદ વાત એ છે કે પતિને રવિવારના દિવસની રજા આપવામાં આવી છે. આ દિવસે પતિ બંને પત્નીઓથી દૂર એકાંતમાં રહેશે અથવા પોતાની મરજી મુજબ સમય વિતાવી શકે છે.

વિશેષ પરિસ્થિતિઓ માટે પંચાયતે એક દિવસ આગળ કે પાછળ કરવાની છૂટ પણ આપી છે. ભવિષ્યમાં વિવાદ ન થાય તેના માટે આ કરાર લેખિતમાં કરવામાં આવ્યો છે અને ત્રણેયની સહી કરાવવામાં આવી છે.

husband
x.com/i/grok

પતિના વિભાજનનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ બિહારના પૂર્ણિયામાં પણ આવી જ ઘટના ચર્ચામાં રહી ઈ હતી. ત્યાં પણ, એક યુવકે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરી લીધા હતા. જ્યારે મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર સુધી પહોંચ્યો, ત્યારે બંને પત્નીઓ વચ્ચે અઠવાડિયાના 7 દિવસ વહેંચીને વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

જાન્યુઆરી 2026માં, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)નો કેમ્પ પ્રજાસત્તાક દિવસથી રાજધાની દિલ્હીમાં શરૂ થયો. આ કેમ્પ દર...
National 
રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, ...
Business 
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે...
National 
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.