બે પત્નીઓનું ચક્કર! પંચાયતે કહ્યું- 3-3 દિવસ બંને પત્નીઓ સાથે અને રવિવારે રજા

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાંથી એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ કહેશો કે, ‘આવું પણ થાય છે?’ અહીંએક મ્યાનમાં બે તલવાર જેવો ઘાટ થયો છે. તેને ઉકેલવા માટે, પંચાયતે એક એવો નિર્ણય સંભળાવ્યો છે જે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલો 2 પત્નીઓ વચ્ચે પતિના વિભાજનનો છે, જેના માટે અઠવાડિયાના સાતેય દિવસો માટે લેખિત શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે.

આ મામલો અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નગલિયા આકિલ ગામનો છે. મુસ્લિમ સમુદાયના એક યુવકે 2 લગ્ન કર્યા હતા. પહેલી પત્ની અરેન્જ મેરેજ દ્વારા ઘરમાં આવી હતી, જ્યારે બીજી પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ ધીમે-ધીમે બંને પત્નીઓ વચ્ચે પતિને પોતાની સાથે રાખવાને લઈને હોડ મચી ગઈ. વિવાદ એટલો વધ્યો કે ઘરની શાંતિ છીનવાઈ ગઈ, અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો.

husband2

મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ, સામાજિક સ્તરે મામલો ઉકેલવા માટે ગ્રામ પંચાયત બોલાવવામાં આવી. પંચોએ બંને પત્નીઓ અને પતિની દલીલો સાંભળી. વિવાદનો અંત લાવવા માટે પંચાયતે દિવસોની હેંચણીનો એક અનોખો ઉકેલ શોધી કાઢ્યો

સોમવાર, મંગળવાર અને બુધવાર, પતિ પહેલી પત્ની સાથે રહેશે. આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવાર બીજી પત્ની માટે સુરક્ષિત રહેશે. સૌથી રસપ્રદ વાત એ છે કે પતિને રવિવારના દિવસની રજા આપવામાં આવી છે. આ દિવસે પતિ બંને પત્નીઓથી દૂર એકાંતમાં રહેશે અથવા પોતાની મરજી મુજબ સમય વિતાવી શકે છે.

વિશેષ પરિસ્થિતિઓ માટે પંચાયતે એક દિવસ આગળ કે પાછળ કરવાની છૂટ પણ આપી છે. ભવિષ્યમાં વિવાદ ન થાય તેના માટે આ કરાર લેખિતમાં કરવામાં આવ્યો છે અને ત્રણેયની સહી કરાવવામાં આવી છે.

husband
x.com/i/grok

પતિના વિભાજનનો આ પહેલો કિસ્સો નથી. આ અગાઉ બિહારના પૂર્ણિયામાં પણ આવી જ ઘટના ચર્ચામાં રહી ઈ હતી. ત્યાં પણ, એક યુવકે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજા લગ્ન કરી લીધા હતા. જ્યારે મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર સુધી પહોંચ્યો, ત્યારે બંને પત્નીઓ વચ્ચે અઠવાડિયાના 7 દિવસ વહેંચીને વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.