સમીર વાનખેડેના ઘરેથી 4.50 લાખની ચોરી, ઘટના બાદ નોકરાણી ગાયબ

IRS અધિકારી સમીર વાનખેડે અને તેની એક્ટ્રેસ પત્ની ક્રાંતિ રેડકરના ઘરમાંથી 4.50 લાખ રૂપિયાની ચોરી થઇ ગઇ છે. પરિવારે તેની ફરિયાદ ગોરેગાંવ પોલીસને કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સમીર વાનખેડે અને તેમની પત્નીને નોકરાણી પર શંકા છે કેમ કે ચોરી બાદ જ તે ગાયબ છે. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ મુજબ ચોરીમાં જ્વેલરી પણ સામેલ છે.

સમીર વાનખેડેનું નામ એ સમયે લાઇમલાઇટમાં આવ્યું હતું, જ્યારે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)માં હતા અને તેમણે એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને કસ્ટડીમાં લીધો હતો. જો કે, કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતી વખત આર્યન ખાનને ક્લીન ચિટ મળી ગઇ હતી. તેને લઇને સમીર વાનખેડે સીનિયર અધિકારીઓના નિશાના પર આવી ગયા હતા. તેમનું ટ્રાન્સફર ચેન્નાઇ કરી દેવામાં આવ્યું હતું, ભારતીય આવકવેરા સેવા (IRS) અધિકારી સમીર વાનખેડેને ચેન્નાઇમાં ડિરેક્ટર ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજેન્સમાં DG ટેક્સપેયર સર્વિસના રૂપમાં તૈનાત કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી તેઓ મુંબઇમાં એનાલિટિક્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ ડિરેક્ટર કાર્યાલયમાં એડિશનલ કમિશનર હતા. સમીર વાનખેડે અને તેની ટીમે ગયા વર્ષે 3 ઓક્ટોબરના રોજ મુંબઇમાં કાર્ડેલિયા ક્રૂઝ પર છાપેમારી કરી હતી. અહીંથી ભારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હતું. આ કેસમાં આર્યન ખાન સહિત 22 લોકોની ધરપકડ થઇ હતી, પરંતુ વિવાદ ત્યારે વધી ગયો, જ્યારે મહારાષ્ટ્ર સરકારના તાત્કાલીન મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પર સવાલ ઊભા કરી દીધા.

બોમ્બે હાઇ કોર્ટે 28 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને જામીન આપતા કહ્યું હતું કે, NCB માત્ર વૉટ્સએપ મેસેજ પર ભરોસો કરીને કેસ બનાવી રહી છે, જે આવા ગંભીર કેસમાં સારું નથી. ત્યારબાદ સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, ત્યારબાદ NCBએ તપાસ માટે SITની રચના કરી. ગયા વર્ષે 6 નવેમ્બરના રોજ NCBએ સમીર વાનખેડેને આ કેસની તપાસમાંથી હટાવી દીધા.

આ દરમિયાન સમીર વાનખેડે વધુ એક વખત ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે NCB ઉપમહાનિર્દેશક (DDG) જ્ઞાનેશ્વર સિંહ પર અત્યાચારનો આરોપ લગાવ્યો. સમીર વાનખેડેએ એ સંબંધમાં રાષ્ટ્રીય અનુસૂચિત અજાતિ આયોગમાં દલિત અત્યાચાર નિયંત્રણ કાયદા હેઠળ ફરિયાદ પણ નોંધાવી હતી. સમીર વાનખેડેએ એ સમયે આરોપ લગાવ્યો હતો કે NCB અધિકારીઓએ તેમના અને તેમના પરિવારજનોની બેંક ડિટેલ બધાને આપી છે. આ તેમની ગોપનિયતાના ઉલ્લંઘનનો કેસ છે. આ કેસને લઇને આયોગે કહ્યું કે, તેઓ જ્ઞાનશ્વર સિંહ વિરુદ્ધ લાગેલા અત્યાચારના આરોપોની તપાસ કરશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.