રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં જેપી નડ્ડાએ કહ્યુ એકપણ રાજ્યમાં ચૂંટણી નથી હારવાની

દિલ્હીમાં સોમવારથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થવા જઇ રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓઓ હિસ્સો લીધો છે. આ બેઠકનું આયોજન 16થી 17 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ બેઠકને લઇને ભાજપના નેતા રવિ શંકર પ્રસાદે પીસી કરીને આ જાણકારી આપી છે.

રવિ શંકર પ્રસાદે કહ્યું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે દરેકનું આવાહન કર્યું છે કે, 2023 આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે, આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. તેમણે દરેકને કમર કસી લેવા માટે કહ્યું છે કે, આપણે એક પણ ચૂંટણી નથી હારવાની. તેમનો સ્પષ્ટ સંદેશ હતો કે, એક પણ રાજ્યની ચૂંટણીમાં આપણે હારવાનું નથી, આપણે દરેક 9 રાજ્યોમાં જીત હાંસલ કરવાની છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠકમાં હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણી પર પણ ચર્ચા કરી અને કહ્યું કે, ગુજરાતની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. હિમાચલ ચૂંટણી વિશે તેમણે કહ્યું કે, આપણે સરકાર બદલવાની પરંપરાને બદલવાની હતી, પણ આપણે આમ ન કરી શક્યા. વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અધ્યક્ષ જેપી નડ્ડાએ પહેલા પણ કહ્યું હતું કે, આપણે નબળા બૂથોને જીતવાના હતા. દેશભરના 100 લોકસભા ક્ષેત્રોમાં 72 હજાર બૂથ ચિન્હિત કરવામાં આવ્યા હતા જ્યાં, ભાજપ નબળું હતું અને જ્યાં આપણે પહોંચવાનું હતું, પણ આપણે 1 લાખ 30 હજાર પૂથો સુધી પહોંચવા માટે પાર્ટીની નીતિઓનો પ્રસાર કર્યો.

તેમણે કહ્યું કે, દયાનંદ સરસ્વતી જીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસર પર 13મી ફેબ્રુઆરીના રોજ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સરસ્વતી જીના આદર્શો પર ચાલતા, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં અંતિમ છેડે ઉભેલા વ્યક્તિઓ સશક્ત કરવાનું કાર્ય કરવામાં આવ્યું છે. અધ્યક્ષે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 220 કરોડથી વધારે વેક્સીન પ્રદાન કરનારા વેક્સીનેશન કાર્યક્રમનું ઉદાહરણ આપતા ન્યુ ઇન્ડિયાની કાર્ય સંસ્કૃતિ પર પણ પ્રકાશ નાખ્યો.

રવિ શંકર પ્રસાદે કહ્યું કે, ગુલામીના દુર્ભાગ્યપૂર્ણ અતીતને સમાપ્ત કરતા 75 વર્ષ સુધી ચાલેલા રાજપથને બદલીને અમે કર્તવ્ય પથ કર્યો, પોતાની પરંપરાઓ પર ગર્વ કરતા કાશી કોરિડોર બન્યો, મહાકાલ લોક બન્યું, કેદારનાથનો વૈભવ પુનઃસ્થાપિત થયો અને હવે રામ મંદિર બની રહ્યું છે. જેપી નડ્ડાએ એ પણ કહ્યું કે, ભારત બ્રિટનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. એટલું જ નહીં પણ આપણે મોબાઇલ ફોનના બીજા સૌથી મોટા નિર્માતા બની ગયા છીએ અને ભારતમાં ઉપયોગમાં આવનારા 95 ટકાથી વધારે મોબાઇલ ફોન મેડ ઇન ઇન્ડિયા છે.

જેપી નડ્ડાએ બેઠકમાં એ વાત પર પણ પ્રકાશ માક્યો કે આપણે સેમી હાઇ સ્પીડ ટ્રેન બનાવી રહ્યા છીએ. આપણું ફિનટેક આંદોલન હવે આખા વિશ્વમાં 40 ટકા ડિજિટલ લેવડ દેવડમાં યોગદાન આપે છે. આ મેડ ઇન ઇન્ડિયા અને વિકસિત ભારત બનાવવા પ્રતિ આપણા સંકલ્પને દર્શાવે છે. એક વિકસિત ભારત જે આપણો સંકલ્પ હતો તે સાકાર થતો જોવા મળી રહ્યો છે. રક્ષા સૌદો આજે સંપૂર્ણ ઇમાનદારી સાથે થઇ રહ્યા છે. બોર્ડર રોડ 3600 કિલોમીટર સુધી બન્યા છે જ્યારે, કોંગ્રેસના રક્ષા મંત્રી આવું કરવા નહોતા માગતા.

About The Author

Related Posts

Top News

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.