જમીન ગીરવે મૂકી 9 લાખની લોન લીધી, ખેડૂતે 30 લાખ ચૂકવ્યા... હજુ પણ સવા કરોડ બાકી નીકળે છે; જાણો આખો મામલો

શાહુકારો અને ફાઇનાન્સ કંપનીઓના વ્યાજદરના જાળમાં ફસાયેલા ખેડૂતે બધું ગુમાવ્યું. આ પછી પણ, તે મુક્ત થયો નહીં અને લેવાયેલી લોન આપેલી રકમ કરતા અનેક ગણી વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના બિજનોરમાં, એક ખેડૂતે એક ફાઇનાન્સ કંપની પાસેથી નવ લાખની લોન લીધી. પછી ખેડૂતે 30 લાખ રૂપિયા ચૂકવ્યા, પરંતુ લોન હજુ પણ પૂરી થઈ ન હતી. ફાઇનાન્સ કંપનીએ મનસ્વી વ્યાજદર અને વ્યાજનું એવું ચક્ર શરૂ કર્યું કે ખેડૂત બધું વેચી દે તો પણ લોન ચૂકવી શકશે નહીં. એટલું જ નહીં, ખેડૂતને લગભગ 1.25 કરોડ વધુ ચૂકવવાનું કહેવામાં આવ્યું. દેવાના બોજ હેઠળ દબાયેલા ખેડૂતે હવે જિલ્લા SPને આ અંગે ફરિયાદ કરી છે. SPએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

આ મામલો બિજનોરના ગોપાલપુરનો છે. અહીં, એક ખેડૂત હરવીર સિંહે ધારા ફાઇનાન્સ કંપની પર આરોપ લગાવતા SPને જણાવ્યું હતું કે 2014માં, તેણે બિજનોરની એક ફાઇનાન્સ કંપની પાસેથી તેની જમીન ગીરવે મૂકીને 9 લાખ રૂપિયાની લોન લીધી હતી. ખેડૂતના જણાવ્યા મુજબ, તેણે 2019 સુધી કંપનીને 30 લાખ રૂપિયા સુધી ચૂકવ્યા હતા, પરંતુ તેમ છતાં, ખેડૂતનું દેવું પૂરું કરવામાં આવ્યું ન હતું.

02

એવો આરોપ છે કે ફાઇનાન્સ કંપનીએ વ્યાજનો એવો ખેલ રમ્યો કે ખેડૂતનું બધું વેચાઈ ગયું, પરંતુ તેમ છતાં તેની લોન ચૂકતે થઇ ન હતી. ખેડૂતે જણાવ્યું કે કંપની પાસેથી લોન લેતી વખતે, તેણે લગભગ 8 વિઘા જમીન ગીરવે મૂકી હતી, જે કંપનીએ છેતરપિંડીથી તેના નામે લીધી અને પછી તેને વેચી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે કંપનીના ડિરેક્ટરને તપાસ માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, ખેડૂત પર હજુ 1 કરોડ 24 લાખ રૂપિયા દેવાના બાકી નીકળે છે. આશ્ચર્યજનક રીતે, લોનની રકમ 10 વર્ષમાં 15 ગણી વધી ગઈ. 30 લાખ રૂપિયા ચૂકવ્યા પછી પણ, ખેડૂતની જમીન બચી ન હતી અને તેના પર અનેક ગણી વધુ લોન બાકી છે.

01

ખેડૂતનું કહેવું છે કે કંપનીએ તેના પર 1 કરોડ 24 લાખ રૂપિયાનું દેવું બાકી જાહેર કર્યું છે. SP અભિષેક ઝાએ કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર મામલો છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ફાઇનાન્સ કંપની દ્વારા કરવામાં આવતા તમામ વ્યવહારોની પણ કર મહેસૂલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

ધારા મોટર ફાઇનાન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ગજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ મામલે કોર્ટ કેસ પેન્ડિંગ છે, કોર્ટ જે પણ નિર્ણય આપશે તે માન્ય રહેશે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.