બે બંધારણીય નિયમો, વસ્તી ગણતરીનો મુદ્દો; 850 બેઠકોકરવામાં NDAને કંઈ સમસ્યા નડે છે?

કેન્દ્રમાં BJPની આગેવાની હેઠળની NDA સરકાર આગામી ચોમાસુ સત્રમાં 2029થી મહિલા અનામત લાગુ કરવા માટે એક નવો બંધારણીય સુધારો બિલ અને લોકસભા બેઠકોની સંખ્યા 543થી 850 કરવા માટે સીમાંકન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, આ ઐતિહાસિક બિલોને પસાર કરવાનો સરકાર માટે સૌથી મોટો પડકાર બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવાનો રહેશે. 131મો બંધારણીય સુધારો બિલ સંસદના છેલ્લા બજેટ સત્રમાં સંખ્યાના અભાવે ફેલ ગયો હતો, ત્યારપછી સામાન્ય બહુમતીથી પસાર થયેલ સીમાંકન બિલ આગળ વધી શક્યું ન હતું. આ વખતે, સરકાર નવી રણનીતિ બનાવી રહી છે.

NDA-Lok-Sabha4
news18marathi.com

બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં હાજર અને મતદાન કરતા સભ્યોના બે તૃતીયાંશ સમર્થન જરૂરી છે. વર્તમાન પરિસ્થિતિમાં, પક્ષ પલટો કરીને આવેલા સાંસદોને સમાવ્યા પછી પણ, NDA બહુમતી આંકડાથી હજુ દૂર છે. લોકસભામાં NDAની હાલની સંખ્યા 319 સાંસદો થઇ ચુકી છે. આમાં TMCના 20 અને શિવસેના (UBT)ના 6 સાંસદોનો સમાવેશ થાય છે. BJPને હવે સંસદમાં 41 બેઠકોની જરૂર છે. 543 બેઠકોવાળી લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી માટે 360 સાંસદોની જરૂર છે.

રાજ્યસભામાં NDAની હાલની સંખ્યા 152 સાંસદો છે. બે તૃતીયાંશ બહુમતી માટે 161 સાંસદોની જરૂર છે. BJPને અહીંયા પણ 9 સાંસદોના સમર્થનની જરૂર છે. આને દૂર કરવા માટે, સરકારને કાં તો વિપક્ષી પક્ષોના સીધા સમર્થનની જરૂર પડશે અથવા બે તૃતીયાંશ બહુમતી માટે જરૂરી કુલ સંખ્યા ઘટાડવા માટે મતદાન દરમિયાન વોકઆઉટની જરૂર પડશે.

NDA-Lok-Sabha2
jansatta.com

વિપક્ષ અને પ્રાદેશિક પક્ષોનો ટેકો મેળવવા માટે, નવા બિલમાં તેમની ચિંતાઓને દૂર કરવી મહત્વપૂર્ણ રહેશે. 22 લોકસભા સાંસદો સાથે DMKએ સતત બેઠક ફાળવણી પર વર્તમાન સ્થિતિ જાળવી રાખવાની હિમાયત કરી છે. DMK માને છે કે દક્ષિણ રાજ્યો, જેમણે વસ્તી નિયંત્રણમાં સારું પ્રદર્શન કર્યું છે, તેમની બેઠકો ઓછી ન થવી જોઈએ. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પછી, CM જોસેફ વિજયની TVK પાર્ટી સત્તામાં આવ્યા પછી રાજ્યમાં રાજકીય સમીકરણ બદલાઈ ગયા છે, જેના કારણે BJP સામે DMKના કડક વલણમાં નરમાઈ આવી છે. જોકે, DMKના સાંસદ તિરુચી શિવ કહે છે કે, સત્તાવાર ઠરાવ રજૂ થાય તે પહેલાં ટિપ્પણી કરવી અકાળે ગણાશે.

NDA-Lok-Sabha1
ndtv.com

આ વિવાદ અને નવા બિલના કેન્દ્રમાં કલમ 81ની બે મુખ્ય, કડક જોગવાઈઓ છે, આંતર-રાજ્ય બેઠકોની ફાળવણી, અથવા કલમ 81(2)(a). આ જોગવાઈ જણાવે છે કે, રાજ્યોને તેમની વસ્તીના પ્રમાણમાં લોકસભા બેઠકો મળવી જોઈએ. દેશમાં રાજ્યો વચ્ચે બેઠકોનું સંતુલન જાળવવા માટે, 1971ની વસ્તી ગણતરીના આધારે બેઠકોની ફાળવણી છેલ્લા 50 વર્ષથી સ્થિર કરેલી છે. પ્રથમ 1976માં અને બીજી 2001માં અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન સ્થિર કરવામાં આવી હતી. આની સમયમર્યાદા 2026 પછી થનારી પ્રથમ વસ્તી ગણતરીના ડેટા જાહેર થયા પછી સમાપ્ત થશે.

NDA-Lok-Sabha
instagram.com

જો સરકાર 2011ની વસ્તી ગણતરીના આધારે નવી સીમાંકન લાગુ કરે છે, તો ઉત્તર ભારતની વસ્તી ઝડપથી વધી હોવાથી, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં બેઠકોની સંખ્યામાં કેરળ અને તમિલનાડુ જેવા દક્ષિણ રાજ્યોની તુલનામાં ખુબ મોટો વધારો થશે. અન્ય પક્ષોનો ટેકો મેળવવા માટે, કેન્દ્ર સરકાર કલમ ​​81માં સુધારો કરીને આ સ્થગિતતા સમયગાળાને થોડા વધુ દાયકાઓ સુધી લંબાવી શકે છે, જેનાથી રાજ્યો માટે હાલનો બેઠક ગુણોત્તર જળવાઈ રહે છે.

આ નિયમ રાજ્યની અંદર વિવિધ મતવિસ્તારોની સીમાઓ નક્કી કરે છે, જેથી રાજ્યની અંદરના તમામ વિસ્તારોમાં વસ્તી ગુણોત્તર બરાબર રહે. હાલમાં, 2001ની વસ્તી ગણતરીનો ઉપયોગ આ માટે આધાર માનવામાં આવ્યો છે. નવા બિલમાં, સરકાર તેને 2011ની વસ્તી ગણતરીના ડેટામાં બદલવાનો પ્રસ્તાવ મૂકી શકે છે, જેનાથી વિરોધ પક્ષોમાં વ્યાપક સંમતિ મેળવવાની શક્યતા વધુ છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.